ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 🥀 વૈશાખ સુદ-૧૪ નૃસિંહ જયંતિ....               ભગવાન વિષ્ણુના 10 અવતારોમાંથી એક છે નૃસિંહ અવતાર. વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશીની તિથિએ ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો. જેમાં શ્રીવિષ્ણુએ સિંહ તથા મનુષ્યનો સંયુક્ત અવતાર ધારણ કરી ભક્ત પ્રહલાદની રક્ષા કરેલી અને પ્રહલાદના પિતા રાજા હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો. આ વર્ષે નૃસિંહ જયંતી 25 મે એટલે કે આજ રોજ ઉજવાશે. આજના દિવસે નૃસિંહ ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેમજ વ્રત-ઉપવાસ રાખવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર કશ્યપ નામના ઋષિ અને તેની પત્ની દિતિને બે પુત્રો નામે હરિણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ હતા. ભગવાન વિષ્ણુએ હિરણ્યાક્ષનો વરાહ અવતાર ધારણ કરી વધ કર્યો હતો. આથી, ભાઈના વધનો બદલો લેવા હિરણ્યકશ્યપુએ કઠોર તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કરી વરદાન માંગ્યું કે તેને માણસ, પશુ, દેવ, દાનવ, યક્ષ, ગંધર્વ, કિન્નર કોઈ મારી ન શકે, દિવસ કે રાત્રિમાં તેનું મૃત્યુ ન થાય, જમીન, જળ કે વાયુમાં તેનું મૃત્યુ થાય નહીં. આ વરદાન મેળવી હિરણ્યકશ્યપુ પ્રજા અને દેવતાઓ પર અત્યાચાર કરવા લાગ્યો. આ દરમિયાન તેને ત્યાં પુત્રનો જન્મ થયો. તેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું. રાક્ષસ કુળમાં જન્મ થયો હોવા છતાં પ્રહલાદ ભગવાન નારાયણનો પરમભક્ત હતો.                પુત્રને નારાયણની ભક્તિ કરતો અટકાવવા માટે હિરણ્યકશ્યપુએ અનેક પ્રયત્ન કર્યા. પરંતુ કોઈ પ્રયાસો સફળ થયા નહિ. પિતાના અત્યાચાર છતા પ્રહલાદ ભક્તિના માર્ગથી દૂર થયો નહીં. ક્રોધને વશ થઈ તેણે પુત્રને મારી નાંખવાના પણ પ્રયત્ન કર્યા પણ દર વખતે ભગવાનએ પ્રહલાદની રક્ષા કરી. હોલિકા સાથે ભસ્મ કરવાની યોજના પણ નિષ્ફળ થઇ હતી.               એક દિવસ પ્રહલાદ ભગવાન નારાયણની ભક્તિમાં લીન હતા. ત્યારે હિરણ્યકશ્યપુએ તેને પુછ્યું કે, જે નારાયણની તું ભક્તિ કરે છે તે હકીકતમાં ક્યાં છે? આ વાતના જવાબમાં પ્રહલાદએ જણાવ્યું કે ભગવાન કણકણમાં છે. આ વાત સાંભળી હરિણ્યકશ્યપએ ગદાથી એક થાંભલો તોડતા કહ્યું કે અહીં છે તારો નારાયણ? પ્રહલાદની ભક્તિને વશ થઈ ભગવાનએ નૃસિંહ સ્વરૂપે તે થાંભલામાંથી અવતાર ધર્યો અને હરિણ્યકશ્યપુનો વધ કર્યો. અને સર્વત્ર ભક્ત અને ભગવાનનો જય-જયકાર થયો.               ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપુને મળેલ વરદાન એળે ન જાય તે રીતે દિવસે નહીં, રાત્રે નહીં પણ સાંજે હિરણ્યકશ્યપુનો ધ્વંસ કર્યો. બહાર કે અંદર નહીં પણ ઉંબરામાં વધ કર્યો. નર સ્વરૂપે નહીં પણ અડધા નર તથા અડધા સિંહ સ્વરૂપે નાશ કર્યો. આમ, ભગવાને ભક્તની લાજ રાખી, ભક્તની રક્ષા કરી અને પોતે સર્વત્ર હાજરાહજુર છે તેની ખાત્રી કરાવી.                          🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #નૃસિંહ જયંતી 🌺🌷🙏પ્રહલાદ નરસિંહ #નૃસિંહ ભગવાન જયંતિ
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - @గిని नृशिंड शुलेथ्छाथो. .. @ಾನಿ aa[u 3-98 2G @గిని नृशिंड शुलेथ्छाथो. .. @ಾನಿ aa[u 3-98 2G - ShareChat