ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર....          વળી એક સમયે ગ્વાલીયર પરગણે ગામ બામરોલીના ગુર્જર ગિરધારી આદિક કેટલાક હરિભક્તો સંઘ લઇને છપૈયાપુરની યાત્રા કરવા માટે પોતાના ગામથી ચાલ્યા તે અયોધ્યાપુરી થઇને સરયૂગંગા ઉતરીને ગામ બિલવાબજારના વનમાં આવ્યાં એટલે તે સમયે તે સંઘમાંથી એક બાઇ સર્વે સંઘના માણસની પાછળ ચાલતી હતી. ત્યારે વચ્ચે બીજો માર્ગ આવ્યો. તે માર્ગે ચાલી. પણ સાચો માર્ગ હતો તે પડતો મૂક્યો. એટલે એક ગાઉ જઇને ગિરધારીને ઉચ્ચ સ્વરે બોલાવવા લાગી. પરંતુ કોઇ. બોલ્યું નહીં. ત્યારે પોતે એમ જાણ્યું જે, તે તો ઉતાવળા ચાલ્યા ગયા અને હુંતો ધીરે ધીરે ચાલું છું. તે હમણાં ક્યાંથી પહોંચીશ? એમ જાણીને ઉતાવળી ચાલી. તે ચાલતાં ચાલતાં બે ચાર ગાઉ એમને એમ ચાલી ગઈ. અને સૂર્યનારાયણ અસ્ત પામી ગયા અને અંધારું થઇ ગયું. પછી રૂદન કરતી સતી શ્રીજી મહારાજની પ્રાર્થના કરવા લાગી જે, હે ભક્તિધર્મના પુત્ર ! હે ઘનશ્યામ મહારાજ ! તમો અમારી રક્ષા કરો. નહીં તો હમણાં વાઘ કે ચોર આવશે તો મને મારી નાખશે. અને આ મારી પાસે ઘરેણું તથા રૂપિયા છે તે લઇ જશે. એવી રીતની પ્રાર્થના કરતી થકી એક વડના વૃક્ષ ઉપર ચડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ નામ પોતાના મુખથી બોલીને ભજન કરવા લાગી. તે થોડીકવાર થઇ એટલે શ્રીજી મહારાજ પોતાના ભક્તની પ્રાર્થના સાંભળીને તત્કાળ એક ગાડી લઇને આવ્યા અને તે બાઈને દર્શન દઈને એ ગાડીમાં બેસાડીને છપૈયાપુરમાં લાવીને નારાયણ સરોવરના કિનારા ઉપર ઉતારી મૂકીને અદ્રશ્ય થઇ ગયા. હવે તે ગિરધારી તો મખોડાઘાટે મનોરમા નદીએ આવીને તે બાઈની સંભાળ લીધી એટલે તે બાઈ મળી નહીં. પછી ત્યાંના મંદિરમાં ઉતારો કરીને એક માણસને બે રૂપિયા આપવાના કરીને તેને સાથે લઇને તે ગિરધારી પાછા વળ્યા તે બે-ચાર ગાઉ સુધી વનમાં જોઇને વળ્યા. પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહી. એટલે થાકીને પાછા રાત્રિના બે વાગે ઘાટ ઉપર આવ્યા. પછી સવારના પહોરમાં બીજા બે માણસને પાંચ રૂપિયા આપવાના કરીને તે બાઈને શોધવા માટે પાછા મોકલીને પોતે બે દિવસ ત્યાં રહેતા હતા. પછી ત્રીજે દિવસે શ્રીઘનશ્યામ મહારાજ આવીને તે ગિરધારીને દર્શન દઈને કહ્યું જે, હે ગિરધારી ! તમો અહીં બેઠા છો અને તે બાઈને તો અમો છપૈયાપુરમાં તેજ દિવસે ગાડીમાં બેસાડીને લઇ ગયા છીએ, અને હવે તમો અહીંથી ચાલો. એમ કહીને અન્તર્ધાન થઈ ગયા. તે પ્રતાપ જોઈને આનંદ પામતા સતા તે ગિરધારી છપૈયાપુરને વિષે આવતા હતા, ત્યારે તે બાઇએ શ્રીજી મહારાજના પ્રતાપની વાર્તા કહી.                          🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - सुजदाथ३ रे स्वाभी सहृशनंद सुजदाथ३ रे स्वाभी सहृशनंद - ShareChat