CM વિજયની કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ: જયેશ પટેલે PMને લખ્યો પત્ર
Surat News: તમિલનાડુના મુખ્યમંત્રીએ ગારમેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ફાયદા માટે કપાસની આયાત વેરામુક્ત કરવા કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે. હાલમાં ક્રૂડ ઓઇલના ઊંચા ભાવોને કારણે સિન્થેટિક ફાયબર્સના ભાવમાં વધારો થયો છે, જેને પગલે ટેક્સટાઇલ લોબી કપાસ પરની આયાત ડ્યુટી દૂર કરાવવા સક્રિય થઈ છે.