🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૧૫
સદ્દગુરુ નિર્ગુણદાસજી સ્વામીની અદ્ભુત વાતો સાંભળીને સ્વામી ઈશ્વરચરણદાસજી મંત્રમુગ્ધ જ થઈ ગયા. શ્રીજીમહા-રાજની મૂર્તિને વિષે રહીને મૂર્તિનું સુખ માણવું – તે સર્વોચ્ચ સુખની આત્યંતિક સ્થિતિ છે, તે વાતની સમજણ અને એ સ્થિતિનો અનુભવ જેમના જીવનમાં પળે જોવા મળે છે તેવા સિદ્ધમુક્તોના સાંનિધ્યથી સ્વામી ઈશ્વરચરણદાસજી પરમ ધન્યતા અનુભવી રહ્યા છે.
હવે મુક્તરાજ અબજીભાઈની રજા લઈને સંત-હરિભક્ત મંડળ વીખરાયું. સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી પોતાના મંડળે સહિત કચ્છના ગામોમાં ફરી ભુજ થઈ અમદાવાદ આવ્યા,
સં. ૧૯૪૪ની સાલ ચાલુ થઈ છે. શ્રીહરિજીના સુખને સદા કાળ માણી રહેલા પોતાના ગુરુશ્રીની સેવામાં સ્વામી ઈશ્વરચરણદાસજી મન, કર્મ, વચનથી રત રહે છે. સદ્દગુરુશ્રીની રુચિ જાણી રાખીને સતત તે મુજબ સેવા કરી તેમને રાજી કરે છે. સદ્ગુરુશ્રીનું તો એક જ કાર્ય છે – કેવી રીતે વધુ ને વધુ જીવો શ્રીહરિજીના અદ્ભુત ને સર્વોપરી સ્વરૂપમાં જોડાય. શ્રીહરિજીમાં જોડવાનો બ્રહ્મયજ્ઞ સતત ચાલુ છે. સ્વામી ઈશ્વરચરણદાસજી પણ એ દિવ્યયજ્ઞના ઉત્તમ પુરોહિત બની રહ્યા છે. મૂળી મંદિરના સંત-હરિભક્તોના વિનંતિ-પત્રો આવે છે કે સદ્ગુરુશ્રી આ વર્ષે ચાતુર્માસ કરવા મૂળી પધારે તો સૌને તેમનો અમૂલો લાભ મળે. સદ્દગુરુશ્રી એ વિનંતી સ્વીકારીને અષાડ સુદમાં પોતાના મંડળે સહિત મૂળી પધાર્યા. શ્રીઠાકોરજીના દર્શન કર્યા, મૂળીના મોટેરા સંતો – સદ્ગુરુ રામમનોહરદાસજી, સદ્દગુરુ હરિનારાયણદાસજી, સદ્ગુરુ બાળ કૃષ્ણદાસજી, પુરાણી શ્રીકૃષ્ણદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, વગેરે – સદ્ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીના આગમનથી અતિ
રાજી થયા. ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લા)ના હરિભક્તોને જાણ થતાં સદ્ગુરુશ્રીના જોગ સમાગમ માટે સૌ આવવા લાગ્યા. સ્વામી ઈશ્વરચરણદાસજીને મનમાં તો બસ એક જ અભિલાષા વર્તે છે: આવો સમુદાય ભેગો થયો છે તેમાં મુક્તરાજ અબજીભાઈ અત્યારે અહીં પધારે તો કેવું સારું? સદ્દગુરુશ્રી અંતર્યામીપણે આ વાત જાણી ગયા હોય તેમ સ્વામી ઈશ્વર-ચરણદાસજીને પોતાની પાસે બોલાવી વૃષપુર મુક્તરાજ અબજી ભાઈ ઉપર કાગળ લખાવ્યો! સદ્ગુરુશ્રીએ મુક્તરાજશ્રીને મૂળીએ તેડાવ્યા. મુક્તરાજ અબજીભાઈ સદ્ગુરુશ્રીને વિષે ગુરુ-ભાવ જણાવતા, તેથી તરત પત્રનો જવાબ લખી, અન્ય કચ્છી હરિભક્તોએ સહિત મૂળી પધાર્યા. ફરી પાછો બ્રહ્મરસની મોજ માણવાનો સુંદર અવસર આવી ગયો !
સ્વામી ઈશ્વરચરણદાસજીને તો બંને મુક્તોની સ્થિતિની જાણ થઈ ગઈ હતી, તેથી બંનેનો વધુ ને વધુ લાભ લેવા માંડ્યો. અને આ સંગમ જ અલૌકિક હતો. “વૃતિઓ ખેંચી લઈ ભગવત્સ્વરૂપમાં થીજાવી દે તેવા મુક્તોનું સાંનિધ્ય, પરમસુખરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજના દર્શન ને મૂળી જેવું અલૌકિક દિવ્ય ધામ.” સ્વામી ઈશ્વરચરણદાસજીને તો એ રસમાં ગરકાવ થઈ જતા અહો! અહો! થઈ ગયું! બંને મુક્તોનો અટળક રાજીપો સતત વરસી રહ્યો છે.
શ્રીઠાકોરજીના દર્શન વખતે, સભામંડપમાં પાંચ વારની કથામાં, ભંડારના જૂના મેડે, સદ્ગુરુશ્રીના આસને, સભામાં અખંડ બ્રહ્મયજ્ઞ થયા કરે છે. સર્વે સંતમંડળ – હરિભક્તમંડળ આ બ્રહ્મયજ્ઞમાં ઝીલ્યા કરે છે.
એકવાર સદ્ગુરુશ્રીએ મુક્તરાજ અબજીભાઈ પાસે વાત કરાવવા પોતે તેમને પ્રશ્ન પૂછ્યો : “અનાદિ મુક્ત મૂર્તિમાં કેવી રીતે રહે છે?” મુક્તરાજશ્રી બોલ્યા: “સ્વામી! શ્રીજી-મહારાજનું ધ્યાન કરતાં કરતાં જ્યારે જીવ શ્રીજીમહારાજરૂપ થાપ ત્યારે શ્રીજીમહારાજ તેને પોતાની મૂર્તિમાંથી અનુભવજ્ઞાન આપે છે ને અનુભવજ્ઞાને કરીને મૂર્તિમાં ખેંચી લે છે. ત્યારે એ મુક્તને મૂર્તિમાં અતિ અપાર સુખ આવે છે; એ સુખની હદ નથી, જે આટલું જ સુખ અને અનંત અનાદિ મુક્ત અનંત કોટિ કલ્પથી એ સુખમાં રમણ કરે છે, તો પણ એ સુખનો પાર પામતા નથી; એ અપાર ને અપાર રહે છે; તેનું વર્ણન શું કરાય! એવા શ્રીજીમહારાજ સુખના સાગર છે; અનાદિ મુક્ત એ સાગરમાં ડૂબ્યા જ રહે છે. એવા અનાદિ મુક્તના જોગ – સમાગમ ને રાજીષાથી એ મૂર્તિમાં પહોંચાય છે.” સભામાં બેઠેલા સૌ કોઈ શ્રીજીમૂર્તિના અપાર સુખમાં જાણે થીજી રહ્યા છે!
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


