ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           હે રામશરણજી ! એક સમયે જનકપુરીને વિષે એક વણિક મહાધનપતિ હતો. તે પોતાના ગામથી સંઘ કાઢીને અયોધ્યાપુરીની યાત્રા કરવા માટે પોતાના ગામથી ચાલ્યો. તે વચ્ચે છપૈયાપુરમાં આવીને નારાયણ સરોવરમાં સ્નાન કરીને સમીપે આંબાના બગીચામાં ઉતારો કર્યો. પછી તે સંઘનાં કેટલાંક માણસો મંદિર સારૂં દેખીને દર્શન કરવા માટે તે મંદિરમાં આવ્યા. ત્યારે તે દિવસે શ્રીઠાકોરજીને ભારે વસ્ત્ર-ઘરેણાં પહેરાવીને ખુરસીઓ ઉપર બેસાડયા હતા. તેવાં અલૌકિક દર્શન કરીને તે સર્વે જન પોતાના ઉતારા ઉપર જઈને શેઠને કહ્યું જે, હે દાદા ! આ મંદિર બહુ સારૂં છે તે આપને દર્શન કરવા યોગ્ય છે અને અંદર રામલક્ષ્મણ અને સીતાજી આદિક દશ મૂર્તિઓ પધરાવેલી છે. તે મૂર્તિઓને ભારે વસ્ત્ર-ઘરેણાં સહિત શણગાર ધારણ કરાવ્યા છે. એમ કહ્યું તે સાંભળીને તત્કાળ તે વણિક મંદિરમાં આવીને શ્રીઠાકોરજીનાં દર્શન કરીને પાંચ પાંચ રૂપીયા ત્રણે મંદિરમાં ભેટ કરીને અંતરમાં શાંતિ પામતો હતો.પછી વળી શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ એક પગે ઉભો રહીને પ્રેમમગ્ન થકો પ્રાર્થના સ્તુતિ કરીને, શણગારે સહિત પોતાના અંતઃકરણમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ ઉતારી. ત્યાર પછી પૂજારીએ પાન બીડીઓ મૂકીને પતાસાંનો થાળ ભરીને આપ્યો. તેલઈને પોતાના ઉતારે જઈને તે પ્રસાદીનાં પતાસાં સર્વેને વહેંચી આપતો હતો. ત્યાર પછી ત્યાં થકી ચાલ્યો તે બીજે દિવસે અયોધ્યાપુરીને વિષે જતો હતો. ત્યાં શ્રીરામચંદ્રજીના જન્મસ્થાનકે, કનકભવન તેમજ હનુમાનગઢી આદિક કેટલેક મંદિરે દર્શન કરીને ગોકુળમથુરા જતો હતો. ત્યાં પંદર દિવસ રહીને સર્વે મંદિરમાં દર્શન કરતો થકો પોતાના મનમાં એવો સંકલ્પ થતો હતો જે, હું દેશાંતરમાં ફર્યો અહીં પણ ગોકુળ-મથુરા વૃંદાવનમાં સર્વે સ્થળે દર્શન કર્યા, પરંતુ તે છપૈયાપુરનાં મંદિરમાં જેવું મૂર્તિઓનું તેજ અને શણગાર છે તેવા મેં કોઇ ઠેકાણે દીઠા નહીં.એમ સર્વને કહેતો હતો. પછી વળી સંકલ્પ કર્યો જે, હું મારા ગામમાં જઇને પાંચ લાખ રૂપિયાનું ખર્ચ કરીને છપૈયાપુર જેવું મંદિર કરાવીને એવી દસ મૂર્તિઓ પધરાવું. તેની પાછળ આજીવિકા બાંધુ અને તેની સમીપે તળાવ પણ બંધાવું. એવો સંકલ્પ કરતાં કરતાં ઉતારા ઉપર આવીને રસોઇ જમીને સૂઇ ગયો. કે તુરત તેને જ્વર આવ્યો અને અડધી રાત્રિ વીત્યા પછી તેનો દેહ પડયો. ત્યારે તે સમયે તેના અંતઃકરણમાં ઘનશ્યામ મહારાજનું સ્મરણ રહેવાથી ઘનશ્યામ મહારાજ ખુરશી ઉપર બેઠેલા મહા શોભાએ યુક્ત મોર મુકુટ ધારણ કરેલા અને ચતુર્ભુજ એવા થકા શ્રીકૃષ્ણરૂપે આવીને દર્શન દઈને બોલ્યા જે, અમો સર્વે અવતારના અવતારી અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ છીએ. તે છપૈયાપુરને વિષે ધર્મભક્તિ અમારાં માતાપિતા છે. તેમના ઘેર અમોએ અવતાર ધારણ કર્યો છે. એમ કહીને તેડી ગયા. તે સમયે કેટલાંક માણસોને ખુરસીએ સહિત ઘનશ્યામ મહારાજનાં તેજોમય દર્શન થતાં હતાં. ત્યાર પછી તે વણિકનો પુત્ર સંઘ સહિત ત્યાં થકી ચાલ્યો તે છપૈયાપુરને વિષે આવીને તે પ્રતાપની વાર્તા સર્વેને કહેતો હતો. ને શ્રીઘનશ્યામ મહારાજનાં દર્શન કરીને પોતાને ઘેર જનકપુરીને વિષે જતો હતો.                         🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 - पुरषोत्तम श्री स्वामिनारायण भगवान पुर्ण ' व्हयला लागे मने प्याय लागे , अक्तिमाताना बाळ Shree Suaminaragan Gurukut Rajkof Sansihan VDAGuukutSurnf  पुरषोत्तम श्री स्वामिनारायण भगवान पुर्ण ' व्हयला लागे मने प्याय लागे , अक्तिमाताना बाळ Shree Suaminaragan Gurukut Rajkof Sansihan VDAGuukutSurnf - ShareChat