#😱સેનાનું પ્લેન ક્રેશ 5 જવાનો શહિદ #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત #અમે સુરતી આસામના જોરહાટ સ્થિત રૌરિયા એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થતાં પાંચ વાયુવીર શહીદ થયા છે. દુર્ઘટનામાં એક કો-પાયલટ ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
શહીદ થયેલા વાયુવીરોમાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સારજન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીર વાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીર વાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે.
ભારતીય વાયુસેનાએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે વિમાન લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું હતું. દુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે.
Jorhat air crash, AN-32 aircraft crash, Indian Air Force, Assam airbase, IAF martyrs, military aircraft accident, Indian Air Force news, Jorhat breaking news
#IndianAirForce #AN32 #Jorhat #AssamNews #SaluteToHeroes
00:12

