🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે લખનૌ પરગણે ગામ સહાપુર મેંડીયામાં કનૈયાલાલ નામનો એક સારો સત્સંગી સુથાર હતો. તેના છોકરાને કુસંગનો યોગ થવાથી સત્સંગ મૂકી દીધો. એટલે થોડાક દિવસ પછી એક મુસલમાન જન તેને વળગ્યો. ત્યારે તેનો બાપ જે કનૈયાલાલ તેણે ઘણા રૂપીયા ખર્ચીને તે જનને કાઢવાનો ઉપાય કર્યો પણ કોઇથી નીકળ્યો નહિ. પછી તે સુથાર રામનવમીના સમૈયા ઉપર છપૈયાપુરને વિષે આવ્યો. ત્યારે તેણે ધર્મકુળમાં ઠાકો૨૨ામભાઇને વાર્તા કહીં. તે સાંભળીને ભાઇએ ઘનશ્યામ મહારાજના કંઠમાંથી ગુલાબનો હાર પ્રસાદીનો મંગાવીને તેને આપ્યો અને કહ્યું જે, આ પ્રસાદીનો હાર તારા પુત્રને પહેરાવજે. એટલે તત્કાળ તે જન બોલી ઉઠશે અને કહેશે જે હું બળી જાઉં છું. એવી રીતે બોલે ત્યારે તેને પૂછી જોજ્યો જે, કેમ મારા પુત્રને વળગ્યો છે ? ત્યારે તે બોલશે. પછી તે નીકળી જાય એટલે આ કંઠી હું આપું તે પહેરાવજો અને શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રય રખાવજે એટલે સારૂં થઇ જશે. એમ કહ્યું તે સાંભળીને આનંદ પામતો સતો, દર્શન કરી છાપો લઈને પોતાના ગામ ગયો. અને તે પ્રસાદીનો હાર પોતાના પુત્રને પહેરાવ્યો કે, તરત તે જન બોલવા લાગ્યો જે, હે ભાઇ! હવે હું જાઉં છું. ત્યારે કહ્યું કે તું કોણ છે ? અને આને કેમ વળગ્યો છે ? ત્યારે બોલ્યો જે, હું જન છું અને આ તારા છોકરે નકારી અભક્ષ્ય વસ્તુ ખાવા માંડી અને તારા ગુરુનો આશ્રય મૂકી દીધો ત્યારે હું વળગ્યો હતો. અને મારે કોટી ઉપાયે નીકળવું ન હતું પરંતુ આ તારા ગુરુનો પ્રસાદીનો હાર મને પહેરાવ્યો એટલે હું બળી જાઉં છું. એમ કહીને હાથ જોડીને પગે લાગીને નીકળી ગયો. તેવો પ્રતાપ જોઈને તે છોકરો શ્રીજી મહારાજનો અનન્ય ભક્ત થયો.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


