ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 🥀ચૈત્ર વદી - ૧૧ વરૂથિની એકાદશી.              યુધિષ્ઠિરે પૂછ્યું - હે વાસુદેવ ?? હું આપને નમસ્કાર કરું છું. આપ મને ચૈત્ર વદી એકાદશીનું નામ અને મહાત્મ્ય  કહો.          ભગવાન શ્રી કૃષ્ણ કહે છે :- હે રાજન ? ચૈત્ર વદી એકાદશી વરૂથિની એકાદશી છે. આ લોકમાં તથા પર લોકમાં સુખ સૌભાગ્ય આપનારી અને પાપ નષ્ટ કરનારી છે. એટલુંજ નહિ આ એકાદશીનું વ્રત કરનાર નું દુર્ભાગ્ય પણ સુભાગ્યમાં પરિવર્તિત થાય છે. જન્મ - મરણના દુઃખ દૂર કરનારી છે. આના  વ્રતથી ધૂંધુમાર , માંધાતા વગેરે રાજાઓ સ્વર્ગમાં ગયા છે. દશ હજાર વર્ષની  તપસ્યાનું ફળ મળે છે. ભોગ  અને મોક્ષ બંન્ને મળે છે.           હે રાજન ? ઘોડાના દાનથી હાથીનું દાન અધિક છે. તેથી પૃથ્વીનું અને તેથી સુવર્ણનું દાન અધિક છે. તેથી પણ અન્નદાન અધિક છે. અન્નદાન અને કન્યાદાન નું સરખું  પુણ્ય છે. સૌથી શ્રેષ્ઠ  વિદ્યાદાન છે. વિદ્યાદાન જેટલું પુણ્ય આ વરૂથિની એકાદશીનું વ્રત કરવાથી મળે છે.             આ એકાદશીનું વ્રત કરનારે કાંસાના પાત્રમાં ભોજન , અડદ , મસૂર , ચણા , કોદરા , શાક , મધ , પારકું અન્ન આ બધું  દસમીના દિવસે ત્યજી  દેવું. જુગાર , નિદ્રા , તાંબુલ , દાતણ , પરનિંદા , ચાડીયાપણું , પતિતોની સાથે ભાષણ , ક્રોધ  અને અસત્યનો ત્યાગ એકાદશીના દિવસે કરવો. કાંસાનું પાત્ર , અડદ , મસૂર , મધ , કસરત , મહેનત , અસત્યભાષણ , બીજી વખત ભોજન ,  ક્ષૌરકર્મ , તૈલમર્દન , પારકુંઅન્ન આટલું બારસના દિવસે ત્યજી દેવું. આટલા નિયમો પાળીને જે આ એકાદશીના દિવસે ઉપવાસ કરીને રાતે જાગરણ કરીને વિષ્ણુનું પૂજન કરે  છે તે પરમપદને પામે છે. જે કોઈ મનુષ્ય આ કથાનો પાઠ કરે છે તથા સાંભળે છે તે આ લોકના સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાનના ધામને પામે છે.             આવી રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર વદ - ૧૧ વરૂથિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે.                    🍃🍃🌼🍃🍃 #એકાદશી #એકાદશી ની શુભકામના #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
એકાદશી - @Aaనas 21 0899 वश्थीनी थेडाषशीना श्वाभिनाशथछ @ @ fadav @Aaనas 21 0899 वश्थीनी थेडाषशीना श्वाभिनाशथछ @ @ fadav - ShareChat