PM Gujarat Visit: 6 મહિનામાં બીજી વખત PM નરેન્દ્ર મોદી સોમનાથ આવશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM Modi to visit Somnath Temple: આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમા શ્રદ્ધાના કેન્દ્ર સમા દ્વાદશ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પર અનેક આક્રમણો થવા છતાં, આસ્થા અને અસ્મિતાને ડગાવી શક્યા નથી અને તે અડિખમ અને અવિચલ રહ્યું છે. એવા સોમનાથ ભગવાનના સાન્નિધ્યમાં આગામી 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યાં છે.