ShareChat
click to see wallet page
search
#😥ફેમસ એક્ટરનું 69 વર્ષની ઉંમરે નિધન💐, ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 90ના દાયકાના લોકપ્રિય અને કલ્ટ ક્લાસિક ટીવી શો ‘જુબાન સંભાલ કે’થી ઘરેઘરે ઓળખ મેળવેલા અભિનેતા દિનયાર તીરંદાજનું 69 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. દિનયાર તીરંદાજના નિધનની માહિતી સોશિયલ મીડિયા પેજ “પારસી ઝોરોસ્ટ્રિયન વર્લ્ડવાઈડ” દ્વારા આપવામાં આવી હતી. પોસ્ટમાં જણાવાયું કે દિનયાર તીરંદાજ હવે આપણી વચ્ચે રહ્યા નથી. આ સમાચાર વાયરલ થતા જ તેમના ચાહકો અને અનેક બોલિવૂડ કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી દિનયાર તીરંદાજે પોતાના કરિયરમાં ટીવીથી લઈને બોલિવૂડ સુધી અનેક ક્ષેત્રોમાં કામ કર્યું હતું. તેઓએ પોતાની અનોખી એક્ટિંગ અને કોમિક ટાઈમિંગથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. ‘જુબાન સંભાલ કે’માં તેમના અભિનયને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. અભિનેતાએ બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું હતું. તેઓ સલમાન ખાન અને શાહરુખ ખાન જેવા સુપરસ્ટાર્સ સાથે અનેક પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યા હતા. લાંબા સમય સુધી મનોરંજન જગતમાં સક્રિય રહેલા દિનયાર તીરંદાજના નિધનથી તેમના ચાહકોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. હાલ તેમના નિધનનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર ચાહકો સતત તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. #🔥 બિગ અપડેટ્સ
😥ફેમસ એક્ટરનું 69 વર્ષની ઉંમરે નિધન💐 - ShareChat