ગુજરાત રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની ગતિ ફરીથી સક્રિય થવાની સાથે વેંગવતી થવાની શક્યતા હવામાનના જાણકાર અંબાલાલ પટેલે વ્યકત કરી છે. હવામાન વિભાગના જાણકાર અંબાલાલના અનુમાન અનુસાર આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી શકે છે. ચોમાસું ધીમે ધીમે આગળ વધતાં 25 જૂન દરમિયાન વલસાડ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિશેષજ્ઞ અંબાલાલના અનુમાન મુજબ, હાલના સમયગાળા દરમિયાન વાતાવરણ ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ બનતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ શરૂ થઈ શકે છે. જેના પગલે, 26 થી 28 જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જે ચોમાસાની આગળની ગતિને વધુ મજબૂત કરી શકે છે.અંબાલાલ પટેલના જણાવ્યાનુંસાર આદરા નક્ષત્ર દરમિયાન વરસાદ આવવો એ ચોમાસા માટે સારો સંકેત માનવામાં આવે છે. જ્યારે મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન વાવેતર માટે પરિસ્થિતિ અનુકૂળ ન ગણાતી હોવાની લોકમાન્યતા છે. આ કારણે ખેડૂતો માટે આ સમયગાળો ખાસ મહત્વનો બની શકે છે.અનુમાન મુજબ 29 જૂનથી 4 જુલાઈ દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ડાંગ-આહવા, સુરત, ભરૂચ અને વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ મધ્ય ગુજરાતના મહીસાગર અને ઉત્તર ગુજરાતના પંચમહાલ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાંથી લઈને ભારે વરસાદ સુધીની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસું ઝડપ પકડે તેવી શક્યતા છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. ખેડૂતો અને સામાન્ય જનતાને હવામાનની અપડેટ્સ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.
#🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #🌦️ હવામાન અપડેટ્સ #⛈️આ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
01:08

