ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- ૦૭ ઘરનું તથા ખેતીનું નિત્યકર્મ કરવા લાગ્યા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 છે. ભગવાનનું સોંપેલું હોય તેવી રીતે ખેતીનું સર્વ કામ–ખેડ કરે છે, વાવણી કરે છે, રોપણી કરે છે, નીંદામણ નીંદે છે, ખેતર સાચવે છે, લણણી કરે છે. સર્વ ક્રિયા શ્રીજીની સોંપેલી માની સારામાં સારી રીતે કરે છે, તે છતાં શ્રીહરિજીની મૂર્તિને તો વિસારતા જ નથી, કે નથી વિસારના સદ્ગુરુજીના રાજીપાને ! મંદિરમાં સ.ગુ.શ્રી પ્રસાદાનંદજી સ્વામી આવતા-જતા રહે છે. તેમને બહેચરભાઈ સાથે જાણે પૂર્વની પ્રીત હોય તેવું જણાયા કરે છે. સ્વામીશ્રી બહેચરભાઈ પાસે શ્રીહરિજીના માહાત્મ્ય-પ્રતાપની વાતો કર્યા જ કરે છે, બંને જણાને જાણે એ જ માત્ર 'ઈશક’ જણાય છે. કેટલીય વાર તો મોડી રાત સુધી બહેચરભાઈ પ્રસાદાનંદજી સ્વામીશ્રીની માસે બેસીને વાતો સાંભળતા જોવા મળે છે. પ્રસાદાનંદજી સ્વામી કથામાં ઘણી વાર કહે છે : “ખોળી ખોળી ને ખોળિયું, ખરા ખપવાળાની ખોટ…” ભગવાનને પામવાના ખરા ખપવાળા મળે ત્યારે દેનારને ય આનંદ આનંદ થઈ જાય. સ.ગુ.શ્રી નિર્ગુણદાસજી સ્વામી આશરે સિત્તેર વર્ષની ઉંમરે પણ શ્રીહરિસ્વરૂપના જ્ઞાનની લહાણી કરતાં ગામેગામ ફરતા રહે છે. સૌ હરિભક્તોને મનમાં એવી તાણ રહે છે કે સદ્ગુરુશ્રીનો આપણે કેમ કરીને વધુ ને વધુ લાભ લઈએ. કચ્છ, હાલાર, મોરબીપંથક, ઝાલાવાડ, ખાખરિયા, નળકાંઠો, સાબરકાંઠા, પંચમહાલ, વગેરે પ્રદેશોમાં સદ્ગુરુશ્રી વિચરતા રહે છે. બહેચરભાઈને અનુકૂળતા હોય ત્યારે સદ્ગુરુશ્રીનો સમાગમ કરવા આવે છે. સદગુરુશ્રી પાસે કથાનો અખંડ અખાડો હતો. બ્રહ્મયજ્ઞ ચાલ્યા જ કરે. કથા થયા કરતી હોય, પ્રશ્નો પૂછાતા હોય, સદ્ગુરુશ્રી શંકાનું નિવારણ કરતા હોય કે સદ્ગુરુશ્રી આપમેળે જ 'વચનામૃત'ના રહસ્ય અભિપ્રાય સમજાવતા હોય. બહેચરભાઈને તો ત્યાંથી ઊઠવાનું મન જ ન થાય. તે છતાં પ્રસંગે પ્રસંગે સદ્ગુરુશ્રીની અંગ-સેવાનો લાભ લેવાનું ચૂકતા નથી. સદ્દગુરુશ્રીનો તેમના ઉપરનો રાજીપો વધતો જ જાય છે. સં. ૧૯૪૦માં સ.ગુ.શ્રી નિર્ગુણદાસજી સ્વામી પોતાના મંડળે સહિત ચાતુર્માસના બે મહિના કપડવંજ ને બે મહિના લુણાવાડા રહ્યા. ને વર્ષે બહેચરભાઈ ખેતીનું કામ નાનાભાઈ કસીભાઈને સોંપીને સદ્દગુરુશ્રીનો સમાગમ કરવા ચારે માસ તેઓશ્રીની સાથે ને સાથે રહ્યા. બહેચરભાઈને બાવીસ પૂરા થઈ ત્રેવીસમું વર્ષ ચાલે છે. સદ્ગુરુશ્રી બહેચરભાઈને પાસે બેસારીને વચનામૃતની કથા કરવાનું કામ સોંપે છે. બહેચર-ભાઈને તો એ જ અવસરની તાણ હતી! સ્વાતિ નક્ષત્રની વર્ષાની રાહમાં આ માછલી તો મોં ફાડીને તૈયાર જ બેઠી હતી, વર્ષાબિંદુઓને અધ્ધરથી ઝીલી લીધા! સગુરુશ્રી નિત્ય સભામાં વાતો કરી સૌને ન્યાલ કરતા. તેઓશ્રી વાત કરતા કે : "શ્રી સ્વામિનારાયણ જેવા તો એક સ્વામિનારાયણ છે. રામ-કૃષ્ણ-વગેરે અવતારો કે અસંખ્ય કરોડ ચૈતન્ય ભૂમિકાઓ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા ઐશ્વર્યને ભોગવે છે, ને તે સૌ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દાસ છે. શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી સર્વે ના કારણ, સ્વામી ને સુખદાતા છે. સં. ૧૮૩૭માં પોતે કેવળ કરુણા કરી ધર્મભક્તિના પુત્રરૂપે છપૈયાપુર પધારી આ બ્રહ્માંડના જીવોને ન્યાલ કર્યા. એ સ્વરૂપ જેવું બીજું કોઈ જાણવું નહીં. એ સ્વરૂપને વિષે જ જોડાવું. અક્ષરધામમાં રહેલું દિવ્ય સ્વરૂપ ને ધર્મભક્તિના પુત્રરૂપે મનુષ્યરૂપે વિચરેલું સ્વરૂપ ને હાલ પ્રતિમા સ્વરૂપે દર્શન દૈતું સ્વરૂપ-એ ત્રણેય સ્વરૂપ એક જ છે, તેમાં રુંવાડાનો ય ફેર નથી.” 🍃🍃🌼🍃🍃
✋ જય સ્વામીનારાયણ - भूर्ति...नीड२ शिद्iतवााही..० Qlacவ aః రఃRaaste[aఅaamdశ్ర:. @থণ @[ফ[ :- 09 भूर्ति...नीड२ शिद्iतवााही..० Qlacவ aః రఃRaaste[aఅaamdశ్ర:. @থণ @[ফ[ :- 09 - ShareChat