ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 🥀વૈશાખ વદી - ૧૧ અપરા એકાદશી.               યુધિષ્ઠિરે પૂછ્યું :- હે જનાર્દન ? વૈશાખ વદ એકાદશીનું નામ શું છે ? તેનો મહિમા કેવો છે તે બધું મને કહી સંભળાવો !!              શ્રી કૃષ્ણ કહે છે :- હે રાજન ? તમે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. વૈશાખ વદ એકાદશીનું નામ " અપરા " છે. આ એકાદશીનું વ્રત કરનારને અનંત ફળ મળે છે. જે અપરા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને કરે છે તે આ જગતમાં વિખ્યાત થાય છે. મોટા પાપો કરનાર જેમ કે બ્રહ્મહત્યા , ગોત્રનો નાશ કરનાર , ગર્ભ હત્યા , પરસ્ત્રીગમન કરનારો , ખોટી સાક્ષી પુરવા વાળો , માપતોલમાં કપટ કરનાર , યુધ્ધમાં પીઠ દેખાડનાર  આવા બધાય પાપી અપરા એકાદશીના વ્રતથી પાપ રહીત થઈને પવિત્ર થાય છે.              કાર્તિક પૂર્ણિમાના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી , મકરસક્રાંતિ અને માધમાસ માં પ્રયાગમાં સ્નાન કરવાથી , શિવરાત્રીના દિવસે કાશીમાં ઉપવાસ કરવાથી , ગયામાં પિંડદાન કરવાથી , ગુરુ સિંહરશીમાં હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી , ગુરુ કુંભરાશીમાં હોય ત્યારે કેદારનાથના દર્શન કરવાથી , સૂર્યગ્રહણ ના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન - દાન કરવાથી...જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ અપરા એકાદશીના વ્રતથી મળે છે.          હે રાજન ? પાપથી ડરતા મનુષ્યોએ અપરા એકાદશીનું વ્રત કરવું. આ વ્રત સ્વર્ગનું  સુખ આપનારું છે. જે કોઈ વિધિ પૂર્વક ઉપવાસ કરીને વિષ્ણુનું ભજન કરે છે તે વૈકુંઠધામને પામે છે. હે રાજન ? લોકોના હિતને અર્થે આ વ્રત વિશે મેં તમોને કહ્યું. આ કથાના પાઠથી અને શ્રવણથી પણ સર્વે પાપો નષ્ટ થઈ જાય છે.           આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં વૈશાખ માસની કૃષ્ણ પક્ષની અપરા એકાદશીનું મહાત્મ્ય કહેલું  છે.                     🍃🍃🌼🍃🍃 #એકાદશી #એકાદશી ની શુભકામના #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
એકાદશી - ஆஅசி deuga8-ga] थपश थेडा8शीना ळयश्वाभिनाशथP @Jada ஆஅசி deuga8-ga] थपश थेडा8शीना ळयश्वाभिनाशथP @Jada - ShareChat