🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
ભાઇ વણિક હતા. તેમાં વેણીરામ દિવ્ય દ્રષ્ટિવાળા હતા. તેથી પોતાના ઘરમાં એકાંત જગ્યામાં બેસીને શ્રીજી મહારાજનું ધ્યાન કરતા હતા. તે એક દિવસ તેમના ભાઇ પરશુરામે કહ્યું જે, હે મોટાભાઈ! તમો આ રીતે બેસીને શું કરો છો ? ત્યારે બોલ્યા જે, આ પૃથ્વી ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા છે. તેમનું ધ્યાન કરું છું. ત્યારે બોલ્યા જે, પુરુષોત્તમ ભગવાન કઇ જગ્યાએ પ્રગટ થયા છે ? ત્યારે બોલ્યા જે, નાની સરવાર્યમાં અયોધ્યાપુરીથી બે યોજન ઉત્તર છપૈયાપુરમાં હરિપ્રસાદ પાંડેના પુત્રભાવને પામીને હાલમાં ગુજરાત દેશને વિષે વિચરે છે. તેવું સાંભળીને પરશુરામ બોલ્યા જે, હે ભાઇ ! અમોને તે પુરુષોત્તમ ભગવાનનાં દર્શન કરાવો, ત્યારે તે વાત અમારા માન્યામાં આવે.ત્યારે તેની વૃત્તિ સાથે મેળવીને શ્રીજી મહારાજનાં દર્શન જેતલપુરના મહોત્સવમાં સર્વે સંતના મધ્યમાં ઉંચા સિંહાસન ઉપર બિરાજમાન અને દિવ્ય તેજોમય અલૌકિક આશ્ચર્યકારી મૂર્તિ જોઇને આ પ્રત્યક્ષ ભગવાન છે એમ નિશ્ચય કરતા હતા. તે પરશુરામ પ્રસન્ન મન વડે, ગદ્ગદ્ કંઠ થઇને મોટાભાઇને પગે લાગીને સ્તુતિ કરતા હતા. ત્યાર
પછી કેટલાક દિવસ વિત્યાબાદ પોતાના કુટુંબ પરિવાર સાથે લઇને ગુજરાત દેશમાં શ્રીગઢપુરમાં આવીને શ્રીજી મહારાજનાં દર્શન કરતા હતા. પછી અંગો અંગને વિષે ભારે વસ્ત્ર-અલંકાર પહેરાવી મૂગલીપાઘ ધરાવીને સર્વે સંતની પૂજા કરી, પગે લાગીને બેઠા. પછી શ્રીજી મહારાજે તેમને હિન્દુસ્તાન દેશના સમાચાર પૂછીને રામપ્રતાપભાઇને ત્યાં ઉતારો અપાવ્યો. અને ઉન્મત્ત ગંગામાં સ્નાન કરતા સતા કેટલાક દિવસ રહીને શ્રીગોપીનાથ દેવના મંડપમાં જઈને દર્શન કરતા સતા, અતિપ્રેમ લાવીને ગાવણું કરતા હતા. એવી રીતે કેટલાક દિવસ રહીને પોતાના દેશમાં જવાની તૈયારી કરી. તે સમયને વિષે શ્રીજી મહારાજે પોતાની પાદુકાઓ તથા કેટલાંક પોતાનાં ચરણારવિંદ વિગેરે પ્રસાદીની વસ્તુઓ આપી. એટલે ત્યાં થકી દર્શન કરી ચાલ્યા તે પોતાના દેશમાં જતા હતા. ત્યારે તે પ્રસાદીની વસ્તુઓને જે કોઇ દેખે તેને તત્કાળ સમાધિ થતી હતી. એવી રીતે શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને પ્રગટ પ્રમાણ ભજન કરતા હતા.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


