🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
એક સમયે ગ્વાલીયર પરગણે મગરોલી ગામના હરિભક્તો સંઘ લઇને છપૈયાપુરમાં શ્રીઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા માટે આવતા હતા. ત્યારે તેમાં એક બાઇ અતિ વૃદ્ધ, અને આંખે પણ ઓછું દેખાય, એવી થકી મંડપમાં આવીને બહારની જાળીથી છેટે બેસીને શ્રીઠાકોરજીનાં દર્શન કર્યાં. પરંતુ સિંહાસન ઉપર બરાબર મૂર્તિ દેખવામાં આવી નહીં. ત્યારે પોતાના મનમાં એવો સંકલ્પ થયો જે, પ્રયાગરાજ તથા કાશી, અયોધ્યાપુરી એ સર્વે પરોક્ષ મંદિરમાં તો ઠાકોરજીના સમીપે જઇને દર્શન કર્યાં. તે ઠાકોરજીની મૂર્તિઓ મારા જોવામાં આવતી હતી અને મારા ગામમાં પણ ઠાકોરજીની મૂર્તિઓને મેં ઘણી નીરખીને દર્શન કર્યા છે. પણ હે બાળસ્વરૂપ ! હે ભક્તિધર્મના પુત્ર ! હે ઘનશ્યામ ! આ તમારા જન્મસ્થાનકને વિષે હું ભાવે કરીને આટલે છેટેથી દર્શન કરવા આવી, પરંતુ મને તો તમારાં થોડાં આભાસમાત્ર દર્શન થાય છે. પણ બરાબર જેવો તમારો બાળસ્વરૂપનો આકાર છે અને જેવાં વસ્ત્ર-ઘરેણાં તમોએ ધારણ કર્યાં છે. તેની બરાબર કંઇ ઓળખાણ પડી નહીં. અને તમો તો સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો. માટે મારા પ્રેમનાં દર્શન માની લેજ્યો. અને હવે તો કૃપા કરીને વહેલા તેડવા આવજો.એવી રીતે પ્રાર્થના કરવા લાગી. તેને કેટલીક વાર થઇ એટલે તે સર્વે સંઘના માણસોને ઉતારા ઉપર જવા દઈને, પોતે અતિ હેતે સહિત વિનંતીપૂર્વક દર્શન કરતી સતી, રૂદન કરવા લાગી કે, તુરત ત્રણે મંદિરમાં સૂર્યનારાયણના જેવો પ્રકાશ થઇ ગયો. તે જોઇને તે બાઇ આનંદ પામતી સતી દસે મૂર્તિઓનાં દર્શન કરતી હતી. અને વસ્ત્ર-ઘરેણાં પોતાના અંતરમાં ઉતારીને પગે લાગીને બોલી જે, હે દયાળુ ! કૃપા તો બહુ કરી પરંતુ આમાં બાળસ્વરૂપ ભક્તિધર્મના પુત્ર ઘનશ્યામ મહારાજની મૂર્તિ કઇ હશે? અને આ તો દસે મૂર્તિઓ એક સરખી ભાસે છે. અને વળી આ સર્વે મૂર્તિઓનાં નામ શાં હશે ? એમ કહ્યું કે, તુરત પોતાના પ્રેમીભક્તોનો મનોરથ પૂર્ણ કરવા માટે ઘનશ્યામ મહારાજ નાના બાળસ્વરૂપે વસ્ત્ર-ઘરેણાં સહિત પોતાના સિંહાસન ઉપરથી મૂર્તિદ્વારાએ ઉતરી આવીને પોતાના સહિત દસ મૂર્તિઓનાં નામ લઇ, ઓળખાવીને પાછા સિંહાસન ઉપર જઈને પોતાની મૂર્તિમાં લીન થઇ ગયા. એવું અદ્ભૂત ઐશ્વર્ય જોઇને તે બાઈ આનંદ પામતી સતી, પોતાના ઉતારા ઉપર આવીને સર્વેને વાતો કરતી હતી.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


