ShareChat
click to see wallet page
search
#😢આસ્થાના કેન્દ્રમાં મોતનું તાંડવ, પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે પાટિયા પુલ નજીક ભુસ્ખલનની ઘટના સામે આવી છે. પથ્થરોમાં દબાઈ જતા 2 ના મોત થયા છે. પગથિયાં ઉપર પથ્થર પડતા ચારથી વધુ વ્યક્તિ દબાયા છે.ઇજાગ્રસ્તો પૈકી ત્રણ વ્યક્તિઓ ને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.પથ્થર નીચે દબાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી ચાલું છે.ધોધમાર વરસાદ દરમિયાન આ ઘટના બની હતી.પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોધરાના કાંકણપુર નજીક મયો નદી પર નિર્માણાધીન બ્રિજ ડૂબ્યો છે.કાંકણપૂર અને રામપુરાને જોડતો માર્ગ બંધ થયો છે. નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક નાના માર્ગો બંધ થયા છે. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થવાની ઘટના સામે આવી છે. #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #😨માર્ગ-અકસ્માતના ખતરનાક વીડિયો
😢આસ્થાના કેન્દ્રમાં મોતનું તાંડવ - ShareChat
00:38