માલાભાઈ(દિલિપ)બારડ
ShareChat
click to see wallet page
@1635451081
1635451081
માલાભાઈ(દિલિપ)બારડ
@1635451081
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
બંગાળમાં મમતાના પરાજયના બીજનું વાવેતર ૧૯૮૦ના દાયકામાં થઈ ગયું હતું !! શાહબાનો કેસ ભારતની રાજનીતિનો ટર્નિંગ પોઈન્ટ બની રહ્યો બિટવીન ધ લાઇન્સ: સુનીલ જોશી ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં કાનપુર બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. આ ઉમેદવારનું નામ આરિફ મોહમ્મદ ખાન. તેમના હરીફ ઉમેદવાર જનતા પાર્ટી (ભારતીય જનતા પાર્ટી નહીં) ના મુસ્લિમ ઉમેદવાર મકબૂલ હુસેન કુરેશી હતા. તમને આ ઐતિહાસિક રાજકીય સંદર્ભ આપવાનું કારણ છે. ભારતની જનતા ૧૯૪૭ના આઝાદીના સમયના દેશના ભાગલા ભૂલી જવાની તૈયારીમાં હતી. જે લોકસભા વિસ્તારમાંથી કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર આરિફ મોહમ્મદખાન ચૂંટાયા હતા. તેમની સામે બીજા નંબરે મત મેળવનાર જનતા પાર્ટીના ઉમેદવાર પણ મુસ્લિમ હતા એ મતક્ષેત્રની વોટિંગ પેટર્ન તમને ખબર છે? સૌથી વધુ મતદાર હિન્દુ ૮૨.૪ ટકા હતા. મુસ્લિમ ૧૨.૩ ટકા, ખ્રિસ્તી ૨.૪૩ ટકા અને શીખ ૧.૯ ટકા મતદારો હતા. જે મત ક્ષેત્રમાં ૮૨ ટકા મતદાર હિન્દુ હોય ત્યાં આજે કોઈ પક્ષ મુસ્લિમ ઉમેદવાર મૂકવાની હિંમત કરે? કરે તો તે જીતી શકે? આજની સ્થિતિ શું છે? તેના આંકડા હું આગળ આપીશ. હાલ તમને કહું કે ખાસ કરીને હિન્દુ મતદારો આઝાદીના ભાગલાના દિવસો ભૂલી જવા માંગતા હતા. પાકિસ્તાન ધર્મના આધારે મુસ્લિમ આબાદીનો દેશ બન્યો. છતાં જે મુસ્લિમોને ભારતમાં રહેવું હોય તેમને માટે ભારતમાં રહેવાની છૂટ હતી. ભારતના હિન્દુઓએ મુસ્લિમ નેતૃત્વને અને મુસ્લિમોને મેઈન સ્ટ્રીમમાં સમાવેશ કરવાની પહેલ કરી હતી. પણ રાજકારણ અહીંથી જ શરૂ થયું. આજે પશ્ચિમ બંગાળના જે પરિણામો આવ્યા છે તે ફરી એક વખત હિન્દુ ઓળખ અને મુસ્લિમ પહેચાન ઉપર આવીને ઊભા છે. દેશ ફરી એક વખત સાંપ્રદાયિકતામાં વહેંચાઈ રહ્યો છે. અહીંથી ખતરનાક રાજકારણના વિષનું વાવેતર થયું હતું. જેની આપણે વિગતે વાત કરીશું. ત All indian karadiya rajput का app आ गया है । सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे - Powered by Kutumb App https://primetrace.com/group/12541/post/1186235220?utm_source=android_post_share_web&referral_code=VFK2S&utm_screen=post_share&utm_referrer_state=PENDING #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #✒ રાજકારણ અપડેટ્સ
📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 - ShareChat
બંગાળમાં મમતાના પરાજયના બીજનું વાવેતર ૧૯૮૦ના દાયકામાં થઈ ગયું હતું !! શાહબાનો કેસ ભારતની રાજનીતિનો ટર્નિંગ પોઈન્ટ બની રહ્યો બિટવીન ધ લાઇન્સ: સુનીલ જોશી ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં કાનપુર બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. આ ઉમેદવારનું નામ આરિફ મોહમ્મદ ખાન. તેમના હરીફ ઉમેદવાર જનતા પાર્ટી (ભારતીય જનતા પાર્ટી નહીં) ના મુસ્લિમ ઉમેદવાર મકબૂલ હુસેન કુરેશી હતા. તમને આ ઐતિહાસિક રાજકીય સંદર્ભ આપવાનું કારણ છે. ભારતની જનતા ૧૯૪૭ના આઝાદીના સમયના દેશના ભાગલા ભૂલી જવાની તૈયારીમાં હતી. જે લોકસભા વિસ્તારમાંથી કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર આરિફ મોહમ્મદખાન ચૂંટાયા હતા. તેમની સામે બીજા નંબરે મત મેળવનાર જનતા પાર્ટીના ઉમેદવાર પણ મુસ્લિમ હતા એ મતક્ષેત્રની વોટિંગ પેટર્ન તમને ખબર છે? સૌથી વધુ મતદાર હિન્દુ ૮૨.૪ ટકા હતા. મુસ્લિમ ૧૨.૩ ટકા, ખ્રિસ્તી ૨.૪૩ ટકા અને શીખ ૧.૯ ટકા મતદારો હતા. જે મત ક્ષેત્રમાં ૮૨ ટકા મતદાર હિન્દુ હોય ત્યાં આજે કોઈ પક્ષ મુસ્લિમ ઉમેદવાર મૂકવાની હિંમત કરે? કરે તો તે જીતી શકે? આજની સ્થિતિ શું છે? તેના આંકડા હું આગળ આપીશ. હાલ તમને કહું કે ખાસ કરીને હિન્દુ મતદારો આઝાદીના ભાગલાના દિવસો ભૂલી જવા માંગતા હતા. પાકિસ્તાન ધર્મના આધારે મુસ્લિમ આબાદીનો દેશ બન્યો. છતાં જે મુસ્લિમોને ભારતમાં રહેવું હોય તેમને માટે ભારતમાં રહેવાની છૂટ હતી. ભારતના હિન્દુઓએ મુસ્લિમ નેતૃત્વને અને મુસ્લિમોને મેઈન સ્ટ્રીમમાં સમાવેશ કરવાની પહેલ કરી હતી. પણ રાજકારણ અહીંથી જ શરૂ થયું. આજે પશ્ચિમ બંગાળના જે પરિણામો આવ્યા છે તે ફરી એક વખત હિન્દુ ઓળખ અને મુસ્લિમ પહેચાન ઉપર આવીને ઊભા છે. દેશ ફરી એક વખત સાંપ્રદાયિકતામાં વહેંચાઈ રહ્યો છે. અહીંથી ખતરનાક રાજકારણના વિષનું વાવેતર થયું હતું. જેની આપણે વિગતે વાત કરીશું. તમને થોડા તથ્યો આંકડાથી જ રજૂ કરું. ૧૯૮૦થી ૧૯૮૪ની સાતમી લોકસભામાં ૪૯ સાંસદ મુસ્લિમ હતા. લોકસભાના કુલ સભ્યોની સંખ્યા ૫૪૩ હતી. ૨૦૧૩ની સાલમાં દેશભરમાં જુદા જુદા રાજ્યોમાં કુલ મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૩૩૯ હતી. ૨૦૨૬ની સાલમાં આ સિનારિયો જોઈએ. દેશમાં આજે મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૨૫૫ થઈ ગઈ છે. જ્યારે હાલની લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા ૨૪ થઈ ગઈ છે. ૧૯૮૦ની કટઑફ ડેટ મેં આ માટે જ લીધી. ૪૯ સાંસદોમાંથી ૨૪ સાંસદ ઘટીને કેમ થયા? ૫૦ ટકાનો ડાઉનફોલ કેમ? ધારાસભ્યોની સંખ્યા ઓલ ટાઈમ હાઈ ૩૩૯થી ઘટીને ૨૫૫ કેમ થઈ ગઈ? ભારતમાં મુસ્લિમોની વસ્તીની તુલનાએ સત્તામાં ભાગીદારી કેમ ઘટી? મુસ્લિમોની વસ્તી તો વધી છે. તો તેમની બેઠક પણ વધવી જોઈએ. તેને બદલે રિવર્સ ટ્રેન્ડ છે. આજે દેશમાં મુસ્લિમોની વસ્તી ૨૦ કરોડથી વધુ છે. મુસ્લિમ સમાજની સત્તામાં ભાગીદારી ઘટી છે. સત્તામાં ભાગીદારી ૪ ટકાની આસપાસ છે. આ ડ્રાસ્ટિક ચેન્જ કેમ આવ્યો? ૧૯૮૦માં ૮૪ ટકા વસ્તી ધરાવતી હિન્દુ બેઠક ઉપર સુધારાવાદી મુસ્લિમ સ્કોલર ચૂંટણી લડી શકે અને જીતી શકે એ માહોલ અચાનક કેમ ગાયબ થઈ ગયો? તેને માટે જવાબદાર છે મુસ્લિમ સમાજના કટ્ટરવાદી નેતાઓ, કોંગ્રેસના તત્કાલીન નેતાઓ અને સરેરાશ મુસ્લિમ સમાજનું તેમના નેતાઓ પાછળ દોરવાઈ જવું. મુસ્લિમ સમાજનું મૂક સમર્થન. સામા પક્ષે આ મુદ્દાનું રાજકીય ધ્રુવીકરણ કરવાનું સંઘ, જે તે સમયનું જનસંઘ બાદમાં ભાજપની થિંક ટૅન્કનું કામ છે. ભારતમાં વસી ગયેલા મુસ્લિમોને હિન્દુ સમાજ અને સમગ્ર દેશે સ્વીકારવાનું શરૂ કરી દીધું હતું. ૧૯૪૭-૪૮, ૧૯૬૫ અને ૧૯૭૧ ત્રણ વખત પાકિસ્તાને ભારત ઉપર આક્રમણ કર્યું. એક મુસ્લિમ રાષ્ટ્રનું હિન્દુ બહુમતીવાળા બિનસાંપ્રદાયિક બંધારણ ધરાવતા ભારત દેશ ઉપર આ આક્રમણ હતું. ભારત બિનસાંપ્રદાયિકતાની વિચારધારામાં સફળ ન થાય તેમાં ડીપ સ્ટેટને પણ રસ હતો. અંગ્રેજોની માફક આ દેશને ધર્મ અને પ્રાંત, જાતિવાદના આધારે તોડવાની એક સોચી સમજી સાજિશ હતી. પણ ૧૯૮૦ સુધીમાં આમ છતાં લગભગ આઝાદી સમયના એ હિન્દુ મુસ્લિમ દંગાઓ અને હિંસાની ભાવનાને ધરબી દેવાઈ હતી. કહોને કે હિન્દુ મુસ્લિમ બન્ને સમાજ ક્યાંક ને ક્યાંક બ્રિજિંગ બનાવી રહ્યા હતા. જે ખાઈ હતી તે પૂરવાની કોશિશ થતી હતી. તેના પરિણામ સ્વરૂપે જ ૧૯૮૦માં આરિફ મોહમ્મદ ખાન ૮૨ ટકા હિન્દુ મતદારો હોવા છતાં કાનપુરથી કોંગ્રેસમાંથી જીતી શક્યા હતા. હવે આવીએ આજની સ્થિતિમાં. આજે ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૬૩ હતી તે ઘટીને ૩૧ થઈ ગઈ છે. લગભગ અડધાથી વધુ. પશ્ચિમ બંગાળમાં ધારાસભ્યોની સંખ્યા આ ચૂંટણીમાં ઘટીને ૫૯માંથી ૩૭ થઈ ગઈ છે. બિહારમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૧૯ હતી તે ઘટીને ૧૧ થઈ ગઈ છે. રાજસ્થાનમાં પણ તેમાં ગિરાવટ આવી છે. રાજસ્થાનમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૧૧માંથી ૬ થઈ ગઈ છે. ૨૦૨૨ની ચૂંટણીમાં ગુજરાતમાં ૧૮૨ કુલ ધારાસભ્યોમાંથી એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય છે. ઈમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જમાલપુર અમદાવાદથી ચૂંટાયા છે. ૧૯૮૦માં ગુજરાત વિધાનસભામાં ૧૨ મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા. અગેઈન ૧૯૮૦ની સાલ યાદ રાખજો. તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યોનો મોટો હિસ્સો : તાજેતરમાં આસામ, કેરાલા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સહુથી વધુ મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા. આસામમાં કોંગ્રેસના ૧૯ ઉમેદવારમાંથી ૧૮ મુસ્લિમ ઉમેદવારો ધારાસભામાં ચૂંટાયા. કેરાલામાં યુડીએફ અને કોંગ્રેસનું એલાયન્સ છે. જેમાં ૩૦ મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે. આમાંથી ૮ કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર છે. વેસ્ટ બંગાળમાં કોંગ્રેસના બે ધારાસભ્યો વિજયી થયા છે. આ બન્ને મુસ્લિમ છે. તામિલનાડુમાં કોંગ્રેસના એક મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાયા છે. કર્ણાટકની છેલ્લી વિધાનસભામાં પણ મુસ્લિમ ધારાસભ્યો ઘટ્યા છે. એ ૩૬માંથી ૩૪ થયા છે. છત્તીસગઢમાં એક મુસ્લિમ ધારાસભ્ય છે. સાત રાજ્યો જેમાં અરુણાચલ પ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને છત્તીસગઢમાં હાલ એક પણ મુસ્લિમ ધારાસભ્ય નથી. જો કે, તામિલનાડુમાં એક મુસ્લિમ ધારાસભ્ય વધ્યા છે. ૮ હતા તે ૯ થયા છે. જમ્મુ કાશ્મીરમાં સૌથી વધુ મુસ્લિમ ધારાસભ્યો હોવા છતાં તેની સંખ્યા ૫૮ હતી તે ઘટીને ૫૧ થઈ છે. પાર્ટીવાઈઝ ચિત્ર : રાજકીય પક્ષ પ્રમાણે દેશમાં કુલ ધારાસભ્યોની સંખ્યા જોઈએ તો કોંગ્રેસના સહુથી વધુ ૬૧ ધારાસભ્ય મુસ્લિમ છે. નેશનલ કોન્ફરન્સના ૩૯, તૃણમૂલ કોંગ્રેસના તથા સમાજવાદીના ૩૪-૩૪ ધારાસભ્ય છે. જો કે ભાજપ પણ જરૂર પડે છે ત્યાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે છે. ભાજપના બે ધારાસભ્ય મુસ્લિમ છે. એક મણિપુરમાં અને એક ત્રિપુરામાં છે. ભાજપ પણ તકવાદી રાજકારણ કરે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં ભાજપ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે છે. પણ વિધાનસભામાં મુસ્લિમ ઉમેદવારની જરૂર એટલે નથી પડતી કે તેમની સંખ્યાને મતદાનમાં કાઉન્ટર કરી શકાય છે. આ સમગ્ર ચિત્ર જોઈએ તો કેટલીક બાબત ઊડીને આંખે વળગે છે. સહુ પ્રથમ દેશમાં ભાજપ હિન્દુવાદી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે. કોંગ્રેસ દેશમાં મુસ્લિમ તરફી પાર્ટી તરીકે સ્થાપિત થઈ રહી છે. પ્રાદેશિક પાર્ટીઓ પણ મુસ્લિમ બહુમતી હોય ત્યાં સફળ થવામાં મુસ્લિમ મતનું રાજકારણ જ રમે છે. પણ એવું તે શું થયું કે? ૧૯૮૦માં હિન્દુ સમાજે જેમને લગભગ સ્વીકારી લીધા હતા એ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓનું અચાનક પતન થઈ રહ્યું છે. વધુને વધુ રાજ્યોમાં ભાજપનું શાસન આવી રહ્યું છે. હાલ દેશમાં ૨૨ રાજ્યોમાં ભાજપનું શાસન છે. દેશની કુલ વસ્તી ૧૪૫ કરોડમાંથી ૧૧૦ કરોડની વસ્તી ભાજપ અથવા તેની યુતિ સરકારોની હેઠળ આવે છે. ભાજપનો ઉદય અને મુસ્લિમ પરસ્ત પાર્ટીઓની પીછેહઠનો ઇતિહાસ પાછળના ૪૬ વર્ષના શાસનમાં પથરાયો છે. તેનો બે ચાર ફકરાઓમાં સમાવેશ ન કરી શકાય. આથી આ વખતે આ જ શ્રેણીમાં મેં આગળ વધુ લેખ ક્રમશ: આપવાનો નિર્ણય કર્યો છે. આગામી અંકમાં ભારતીય રાજકારણના આમૂલ પરિવર્તન અને ભાજપની ઝળહળતી સફળતાની બાબતો લઈને બીટીએલના વાચકો સમક્ષ આવીશ. અલબત્ત તેમાં પણ તથ્યો અને ઐતિહાસિક શિફ્ટના કારણો અને તેનો ટાઈમલાઈન પ્રમાણે પ્રવાસ હશે. એક વાત ચોક્કસ છે કે ભારત ઐતિહાસિક પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતનો ઈતિહાસ ફરી એક વખત લખવાની શરૂઆત થઈ ચૂકી છે. હા એટલું ચોક્કસ કહી દઉં કે બંગાળમાં મમતાના પરાજયના બીજનું વાવેતર પણ રાજીવ ગાંધી સરકારમાં થયું હતું. શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને રોકી અને ખાસ ઑર્ડિનન્સ દ્વારા તેમાં ફેરફાર કરી હળવો કરવામાં આવ્યો હતો. મુસ્લિમ તુષ્ટિકરણ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફેરવી તોડવાની રાજીવ ગાંધી સરકારની નીતિએ દેશની રાજનીતિને આજની સ્થિતિએ લાવી દીધી છે. આગળના લેખમાં શાહબાનો કેસ અને તેના આઘાત-પ્રત્યાઘાત જોઈશું. જયહિન્દ જયભારત
માલાભાઈ (દિલીપ) બારડ ૯૯૦૪૪૭૦૯૪૬
વિચારોનું વંટોળ અને વ્હાલની હેલી… રાતના લગભગ નવ થવા આવ્યા હતા. આરતી તેના પતિ હર્ષની રાહ જોઈ દરવાજે મીટ માંડીને બેઠી હતી. ફોન પણ ઘુમેડી ચુકી હતી. પણ તે ફોન ઉપાડતો જ નહોતો. આરતી અકળાઈ ગઈ હતી. ઘરમાં આમતેમ આંટા મારતી હતી. આમ ઘરમાં એકલા એને ગોઠતું ન હતું. લગ્નને પાંચ વર્ષ થયા હતા હજી પારણું બંધાયું નહોતું નાનું બાળક હોય તો એની પાછળ પણ સમય સરખી જાય પણ આ તો સાવ એકલી કંટાળી હતી. અને આ એકલતા એને ઉદાસીના ઊંડા સાગરમાં લઈ જતી હતી. વિચારોનો ઝંઝાવાત તેના મન ને મગજને વલોવી રહ્યો હતો. કહેવાય છે ને કે માણસને સારા કરતાં નબળા વિચાર પહેલા આવે. એ મુજબ આરતી હર્ષના સારા પાંસા વિસરી ગઈ અને તેના વિશે વહેમથી વિચારવા લાગી હતી. શંકા કુશંકાઓ તેના પર ઘર કરવા લાગી હતી. તેનું મન હર્ષ વિશે અતરંગી કલ્પનાઓમાં ફરવા લાગ્યું. અને તે પાછલા ઘણા દિવસથી હર્ષના વર્તનમાં આવેલ પરિવર્તનની તપાસ કરવા ભૂતકાળના ભવંડરમાં પ્રવેશી ગઈ. લગ્નના દિવસથી છેક આજ સુધીની સફરમા એ લટાર મારવા ચાલી નીકળી. જેમાં જોતા તેણે ચકાસ્યું કે, લગભગ દસ દિવસથી જ હર્ષ નું વર્તન બદલાયું છે. બાકી એ પહેલાં તો એ મારો કેડો મુકતો જ નહોતો. મારા એક અવાજે તો હાજર થઈ જાય. અને સાંજે 6 પછી તો એનો ફોન પણ બંધ. એનો બધો સમય મારા માટે એટલો સ્નેહ વરસાવતો. તો હવે આમ અચાનક શું થયું? મનોમંથન કરતી પોતે જાતે જ સવાલો કરીને જાતે જ પાછી એના જવાબો નક્કી કરે. ઊંડી વીમાસણમાં પડી જાય. ઘડી બે ઘડી થાય કે ક્યાંક આ ખાલી પારણાની દોષી હર્ષ મને તો નહીં માનતો હોય ને? ના... ના પણ એ તો ખૂબ સમજદારને આધુનિક વિચારનો છે એ એવું માને જ નહીં. એટલે આ વાત તો વિચારવી જ નકામી છે. તો પછી...? એક શંકાને દૂર ઠેલે ત્યાં બીજો વહેમ કે વિચાર ઉભો થઈ જ ગયો હોય. ક્યાંક ઓફિસમાં મારાથી All indian karadiya rajput का app आ गया है । सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे - Powered by Kutumb App https://primetrace.com/group/12541/post/1186234940?utm_source=android_post_share_web&referral_code=VFK2S&utm_screen=post_share&utm_referrer_state=PENDING #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱
અમેરિકાના ન્યૂજર્સીના કેમડેન વિસ્તારની આ વાત છે. એક ગરીબ બાળક ઘેર ઘેર ફરીને કેટલીક ચીજવસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતો હતો. સ્કૂલ પૂરી થાય તે પછી તે ઘેરઘેર ફેરી કરતો હતો અને એમાંથી જે આવક થાય તે રકમથી સ્કૂલની ફી ભરતો હતો. એક દિવસની વાત છે. તે ખૂબ ભૂખ્યો થયો હતો. એના ખિસ્સામાં એક જ ડાઈમ-સિક્કો હતો. એમાંથી એનું પેટ ભરાય તેમ નહોતું. એણે નક્કી કર્યું કે હવે તે બીજા જે ઘેર ચીજવસ્તુ વેચવા જશે ત્યાં તે ભોજન માગશે. તેણે એક ઘરની બહાર જઈ ડોરબેલ વગાડયો. એક યુવતીએ બારણું ખોલ્યું પરંતુ તે ખાવાનું માગી શક્યો નહીં. એ બાળકે ભોજનના બદલે માત્ર પીવાનું પાણી જ માંગ્યું. ઘરની યુવાન માલિકણને ખ્યાલ આવી ગયો કે છોકરો ભૂખ્યો લાગે છે. એ સમજી ગઈ અને તે ઘરમાં જઈ એક દૂધ ભરેલો મોટો ગ્લાસ લઈને બહાર આવી. નાનકડા વિદ્યાર્થીએ ગ્લાસ લઈ લીધો અને દૂધ પી લીધા બાદ એણે પૂછયું: ‘આ દૂધના ગ્લાસના મારે કેટલા પૈસા આપવાના થાય છે ?’ યુવતીએ કહ્યું : ‘તારે મને કશું આપવાનું થતું નથી. મારી માએ મને શીખવાડયું છે કે કોઈની ભલાઈ કરી તેના બદલામાં કાંઈ જ લેવાય નહીં.’ છોકરાએ કહ્યું: ‘હૃદયપૂર્વક હું આપનો આભાર માનું છું.’ એમ કહી એણે એમની વિદાય લીધી. અજાણી મહિલાની આ ભલમનસાઈ જોઈ તે મનથી વધુ મક્કમ અને શક્તિશાળી બન્યો. એટલું જ નહીં પરંતુ તેની ઇશ્વરમાં શ્રદ્ધા વધી અને એ કારણે પણ તેનું મનોબળ વધુ મજબૂત બન્યું. એ ભગવાનમાં શ્રદ્ધા ગૂમાવવાનો હતો. ત્યારે જ આ નાનકડા દૂધના ગ્લાસે તેની ભગવાનમાં શ્રદ્ધા વધારી. આ વાતને વર્ષો વીત્યાં. એક દિવસ ન્યૂજર્સીમાં જ રહેતી એ યુવતી બહુ જ બીમાર પડી ગઈ. તેની હાલત ગંભીર બની ગઈ. સ્થાનિક ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા : ‘અમે કાંઈ કરી શકીએ તેમ નથી, તમને દુર્લભ બીમારી છે.’ સ્થાનિક ડોક્ટરોની સલાહથી એ યુવતીના પરિવ All indian karadiya rajput का app आ गया है । सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे - Powered by Kutumb App https://primetrace.com/group/12541/post/1186182039?utm_source=android_post_share_web&referral_code=VFK2S&utm_screen=post_share&utm_referrer_state=PENDING #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
મૂંગા જીવનું મોટું હૃદય રાઘવ કાકા શહેરના રેલવે સ્ટેશનની બહાર એક નાની ચાની લારી ચલાવતા હતા. તેમની સાથે તેમનો એકમાત્ર સાથી હતો - 'શેરુ', એક રખડતો કૂતરો જેને રાઘવ કાકાએ વર્ષો પહેલા ઠંડીમાં ઠરતો બચાવ્યો હતો. ​રાઘવ કાકા એકલા હતા, ન કોઈ સંતાન, ન કોઈ સગાં. શેરુ જ તેમનું બધું હતું. રાઘવ કાકા જે ખાય, તેમાંથી અડધો ભાગ શેરુનો હોય. ​ ​રાઘવ કાકા હંમેશા કહેતા, "જો શેરુ, હું ભલે ગરીબ હોઉં, પણ તને ક્યારેય ભૂખ્યો નહીં સૂવા દઉં." શેરુ પણ જાણે બધું સમજતો હોય તેમ આખો દિવસ કાકાની લારી પાસે બેસી રહેતો અને રાત્રે તેમની સાથે જ ઘરે જતો. ​સમય વીતતો ગયો. રાઘવ કાકા વૃદ્ધ થયા અને બીમાર રહેવા લાગ્યા. એક દિવસ તેમની તબિયત ખૂબ બગડી. તેમની પાસે દવાના પૈસા પણ નહોતા. શહેરની હોસ્પિટલમાં જવું પડે તેમ હતું, પણ સ્ટેશન સુધી જવાની શક્તિ પણ નહોતી. ​ ​શેરુ સમજી ગયો હતો કે તેના માલિક મુસીબતમાં છે. તે રાઘવ કાકાના ફાટેલા થેલાને મોઢામાં પકડીને રેલવે સ્ટેશન પર ગયો. ત્યાં આવતા-જતા લોકો પાસે જઈને થેલો નીચે મૂકતો અને કરુણ નજરે જોતો. લોકોએ સમજ્યું કે કૂતરો ભૂખ્યો હશે, એટલે કોઈએ બિસ્કિટ નાખ્યા તો કોઈએ બ્રેડ. પણ શેરુએ કંઈ જ ખાધું નહીં. ​અંતે, એક ભલા માણસે જોયું કે થેલામાં રાઘવ કાકાનું સરનામું અને તેમની જૂની તબીબી ચિઠ્ઠી હતી. તે માણસ શેરુની પાછળ પાછળ કાકાના ઝૂંપડા સુધી પહોંચ્યો. ત્યાં રાઘવ કાકા બેભાન અવસ્થામાં હતા. તે માણસે તરત એમ્બ્યુલન્સ બોલાવી. ​ ​રાઘવ કાકાને હોસ્પિટલમાં દાખલ કર્યા. શેરુ હોસ્પિટલના દરવાજા બહાર બેસી રહ્યો. ત્રણ દિવસ સુધી તેણે અન્નનો દાણો પણ ન લીધો. જ્યારે રાઘવ કાકાને હોશ આવ્યો અને તેમને રજા મળી, ત્યારે જેવો તે માણસ કાકાને લઈને બહાર આવ્યો, શેરુ દોડીને તેમને વળગી પડ્યો. ​રાઘવ કાકાની આંખોમાં આંસુ હતા. તેમણે પ All indian karadiya rajput का app आ गया है । सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे - Powered by Kutumb App https://primetrace.com/group/12541/post/1186181909?utm_source=android_post_share_web&referral_code=VFK2S&utm_screen=post_share&utm_referrer_state=PENDING #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱
નમસ્કાર જયમાતાજી સુપ્રભાત તા.૧૧/૦૫/૨૬.સોમવાર વૈશાખ વદ ૧૦(દશમ) ના સૌ મિત્રોને સવારના જયભવાની All indian karadiya rajput का app आ गया है । सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे - Powered by Kutumb App https://primetrace.com/group/12541/post/1186180961?utm_source=android_post_share_web&referral_code=VFK2S&utm_screen=post_share&utm_referrer_state=PENDING #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
નિઃશબ્દ પ્રેમ" અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સાંજનો સૂરજ ઢળી રહ્યો હતો. આકાશ રિવરફ્રન્ટની પાળી પર બેસીને દૂર દેખાતા પતંગોને જોઈ રહ્યો હતો. એના હાથમાં એક નાની ડાયરી હતી, જેમાં એ માત્ર શબ્દો નહીં, પણ લોકોના ચહેરા પરના ભાવો કંડારતો. ​ત્યાં જ બાજુમાં આવીને એક યુવતી બેસી ગઈ. એના હાથમાં આઈસ્ક્રીમ હતો અને કાનમાં ઈયરફોન. એ માયરા હતી. અચાનક એનો આઈસ્ક્રીમ આકાશની ડાયરી પર પડ્યો. ​"ઓહ સોરી! ખરેખર સોરી!" માયરા ગભરાઈ ગઈ. ​આકાશે શાંતિથી ડાયરી લૂછી અને સ્મિત સાથે કહ્યું, "કંઈ વાંધો નહીં, કદાચ મારા શબ્દોને થોડી મીઠાશની જરૂર હતી." ​આ એક નાનકડી ઘટનાથી એક એવી મુલાકાત શરૂ થઈ જે મનોરંજન અને ગંભીરતા વચ્ચે ઝૂલતી હતી. માયરા એક રેડિયો જોકી (RJ) હતી, જેનું કામ જ બોલવાનું હતું, જ્યારે આકાશ એક લેખક હતો જે મૌનમાં માનતો. માયરા એને દુનિયાભરની રમૂજી વાતો કહેતી, હસાવતી, અને આકાશ બસ એને સાંભળ્યા કરતો. ​ એક સાંજે માયરા બહુ ચૂપ હતી. એણે કહ્યું, "આકાશ, પપ્પાએ મને પૂછ્યા વગર ક્યાંક વચન આપી દીધું છે. આવતા મહિને સગાઈ છે." ​આકાશના હાથમાંથી પેન છટકી ગઈ. એણે પાણીનો ઘૂંટડો ભર્યો અને પૂછ્યું, "તું ખુશ છે?" ​માયરાની આંખમાં આંસુ આવી ગયા, "ખુશીનો સવાલ જ ક્યાં છે? જવાબદારીનો સવાલ છે. પણ તું કંઈક તો બોલ! તું મને રોકી લે તો હું..." ​આકાશે એની સામે જોયું. એની આંખોમાં પ્રેમ તો છલોછલ હતો, પણ સાથે એક વાસ્તવિકતા પણ હતી. એ જાણતો હતો કે પોતે હજુ સંઘર્ષ કરી રહ્યો છે અને માયરાનું પરિવાર ખૂબ પ્રતિષ્ઠિત છે. એણે મૌન ધારણ કરી લીધું. એ મૌન માયરા માટે નકાર હતો, પણ આકાશ માટે ત્યાગ હતો. ​ સગાઈના દિવસે આકાશે માયરાને એક પાર્સલ મોકલ્યું. એમાં એક નાનકડું રેકોર્ડિંગ હતું. માયરાએ ધ્રૂજતા હાથે એ પ્લે કર્યું. એમાં કોઈ ગીત નહોતું, માત્ર આસપાસન All indian karadiya rajput का app आ गया है । सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे - Powered by Kutumb App https://primetrace.com/group/12541/post/1186157941?utm_source=android_post_share_web&referral_code=VFK2S&utm_screen=post_share&utm_referrer_state=PENDING #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱
एक लाख ब्राह्मणों का कत्ल भुला दिया गया...।।।। 31 जनवरी से 3 फरवरी 1948 तक पुणे में हुए चित्पावन ब्राहमणों के सामूहिक नर#सं#हार को आज भारत के 99% लोग संभवत: भुला चुके होंगे, कोई आश्चर्य नही होगा मुझे यदि कोई मित्र भी इस बारे में साक्ष्य या प्रमाण मांगने लगे l सोचने का गंभीर विषय उससे भी बड़ा यह कि उस समय न तो मोबाइल फोन थे, न पेजर, न फैक्स, न इंटरनेट… अर्थात संचार माध्यम इतने दुरुस्त नहीं थे, परन्तु फिर भी नेहरु ने इतना भयंकर रूप से यह नरसंहार करवाया कि आने वाले कई वर्षों तक चित्पावन ब्राह्मणों को घायल करता रहा l राजनीतिक रूप से भी देखें तो यह कहने में कोई झिझक नही होगी मुझे कि जिस महाराष्ट्र के चित्पावन ब्राह्मण सम्पूर्ण भारत में धर्म तथा राष्ट्र की रक्षा हेतु सजग रहते थे… उन्हें वर्षों तक सत्ता से दूर रखा गया, अब 67 वर्षों बाद कोई प्रथम चित्पावन ब्राह्मण देवेन्द्र फडनवीस के रूप में मनोनीत हुआ है l हिंदूवादी संगठनों द्वारा मैंने पुणे में कांग्रेसी अहिंसावादी आतंकवादियों के द्वारा चितपावन ब्राह्मणों के नरसंहार का मुद्दा उठाते कभी नही सुना । मैं सदैव सोचता था कि यह विषय 7 दशक पुराना हो गया है इसलिए नही उठाते होंगे। परन्तु जब जब गाँधी वध का विषय आता है समाचार चेनलों पर, तब भी मैंने किसी भी हिंदुत्व का झंडा लेकर घूम रहे किसी भी नेता को इस विषय का संज्ञान लेते हुए नही पाया l क्या चित्पावन ब्राहमण, संघ परिवार या बीजेपी की हिंदुत्व की परिभाषा के दायरे में नही आते…?? या इसलिये कि वे हिदू महासभाई थे...?? या हिन्दू के नरसंहार वही मान्य होंगे जो मुसलमानों या ईसाईयों द्वारा किये गये होंगे ?? ...फिर वो भले कांग All indian karadiya rajput का app आ गया है । सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे - Powered by Kutumb App https://primetrace.com/group/12541/post/1186157560?utm_source=android_post_share_web&referral_code=VFK2S&utm_screen=post_share&utm_referrer_state=PENDING #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #✒ રાજકારણ અપડેટ્સ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
મહેનત પહેલા હુ જ્યારે રોજ મંદિર દર્શન કરવા માટે જતો હતો ત્યારે મને ત્યાં એક અઢાર વીસ વર્ષની ઉંમર નો છોકરો ભીખ માગતા દેખાતો હતો એ ક્યારે પણ રૂપિયા પૈસા માગતો નહોતો એ સિર્ફ ખાવાનું માગતો હતો અને હુ એને સામેની નાસ્તાની લારી પર થી એક ડીશ નાસ્તો લાવી આપું કરીને ખુશ થઇ જાય અને પગે લાગે હુ ના પાડું પગે નહી લાગવાનું તો કે સાહેબ તમે એકલા જ છો જે રોજ ખવડાવો છો બાકી બીજા બધા લોકો તો રૂપિયો બે રૂપિયા નાખીને જતા રહે છે મેં કહ્યું હુ વીસ રૂપિયાની નાસ્તાની ડીશ લઇ આવું છુ તો તારું પેટ ભરાય જાય છે તો જે લોકો રૂપિયા આપી જાય છે એનું તું શુ કરે છે તો કે એ બધા રૂપિયા ભેગા થઈને માંડ વીસ ત્રીસ રૂપિયા થાય છે એમાંથી બપોરે બ્રેડ પકોડા કે વડા પાઉં લાવીને ખાઈ લઉ છુ તો દિવસનું જમવાનું થઇ જાય છે મેં કહ્યું ભૂખ તો સાંજે પણ લાગતી હશે સાંજનું શું કરે છે તો કે સાંજે રાત્રે મોડા રામ રોટી વાળા આવે છે દાળભાત કે ખીચડી કઢી આપી જાય છે એ જમી લઉ છુ મેં કહ્યું મોટો થઇ ગયો છે કોઇ કામ કેમ નથી કરતો તો કે સાહેબ મારા જેવા ભિખારીને કોણ કામ આપે એમને તો ચોર સમજે છે એટલે ઘણી બધી વખતે કોશિશ કરી હતી પણ ધુત્કારી ને કાઢી મૂકે છે મેં કહ્યું કામ મળે તો કરે ખરો તો હા ચોક્કસ કરે અને એવામાં મારા એક મિત્રે કાર વોશિંગ નું પોતાનું સર્વિસ સ્ટેશન નવું નવું ખોલ્યું હતું અને મને કહ્યું દવે તારી આજુબાજુમાં કોઇ છોકરા છે મારે મારા ધંધામાં ચાર પાંચ છોકરાની જરૂર છે સર્વિસ માં આવેલી કાર ધોવા માટે અનુભવી નઈ હોય તો પણ ચાલશે ફ્રેશ હશે તો પણ ચાલશે હુ શિખવાડી દે મે કહ્યું ચાર પાંચ તો નથી એક છે છોકરો સારો છે મહેનતું છે પણ હાલમાં ભીખ માંગે છે તારે ચાલતો હોય તો વાત કરું તો કે હાલમાં એક મળે તો પણ ખૂબ જ સારી વાત છે મારે ખુદને ધોવામાં લીધેલી કાર ધોવી પડે છે All indian karadiya rajput का app आ गया है । सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे - Powered by Kutumb App https://primetrace.com/group/12541/post/1186139427?utm_source=android_post_share_web&referral_code=VFK2S&utm_screen=post_share&utm_referrer_state=PENDING #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
👌બેસ્ટ સ્ટેટ્સ📱 - ShareChat
મહેનત પહેલા હુ જ્યારે રોજ મંદિર દર્શન કરવા માટે જતો હતો ત્યારે મને ત્યાં એક અઢાર વીસ વર્ષની ઉંમર નો છોકરો ભીખ માગતા દેખાતો હતો એ ક્યારે પણ રૂપિયા પૈસા માગતો નહોતો એ સિર્ફ ખાવાનું માગતો હતો અને હુ એને સામેની નાસ્તાની લારી પર થી એક ડીશ નાસ્તો લાવી આપું કરીને ખુશ થઇ જાય અને પગે લાગે હુ ના પાડું પગે નહી લાગવાનું તો કે સાહેબ તમે એકલા જ છો જે રોજ ખવડાવો છો બાકી બીજા બધા લોકો તો રૂપિયો બે રૂપિયા નાખીને જતા રહે છે મેં કહ્યું હુ વીસ રૂપિયાની નાસ્તાની ડીશ લઇ આવું છુ તો તારું પેટ ભરાય જાય છે તો જે લોકો રૂપિયા આપી જાય છે એનું તું શુ કરે છે તો કે એ બધા રૂપિયા ભેગા થઈને માંડ વીસ ત્રીસ રૂપિયા થાય છે એમાંથી બપોરે બ્રેડ પકોડા કે વડા પાઉં લાવીને ખાઈ લઉ છુ તો દિવસનું જમવાનું થઇ જાય છે મેં કહ્યું ભૂખ તો સાંજે પણ લાગતી હશે સાંજનું શું કરે છે તો કે સાંજે રાત્રે મોડા રામ રોટી વાળા આવે છે દાળભાત કે ખીચડી કઢી આપી જાય છે એ જમી લઉ છુ મેં કહ્યું મોટો થઇ ગયો છે કોઇ કામ કેમ નથી કરતો તો કે સાહેબ મારા જેવા ભિખારીને કોણ કામ આપે એમને તો ચોર સમજે છે એટલે ઘણી બધી વખતે કોશિશ કરી હતી પણ ધુત્કારી ને કાઢી મૂકે છે મેં કહ્યું કામ મળે તો કરે ખરો તો હા ચોક્કસ કરે અને એવામાં મારા એક મિત્રે કાર વોશિંગ નું પોતાનું સર્વિસ સ્ટેશન નવું નવું ખોલ્યું હતું અને મને કહ્યું દવે તારી આજુબાજુમાં કોઇ છોકરા છે મારે મારા ધંધામાં ચાર પાંચ છોકરાની જરૂર છે સર્વિસ માં આવેલી કાર ધોવા માટે અનુભવી નઈ હોય તો પણ ચાલશે ફ્રેશ હશે તો પણ ચાલશે હુ શિખવાડી દે મે કહ્યું ચાર પાંચ તો નથી એક છે છોકરો સારો છે મહેનતું છે પણ હાલમાં ભીખ માંગે છે તારે ચાલતો હોય તો વાત કરું તો કે હાલમાં એક મળે તો પણ ખૂબ જ સારી વાત છે મારે ખુદને ધોવામાં લીધેલી કાર ધોવી પડે છે મેં કહ્યું શુ આપે તો કે જો સર્વિસ સ્ટેશન પર એક ઓરડી બનાવેલી છે જો રાત્રે રહી શકે એવો હોય તો બે ટાઈમ જમવાનું સવાર સાંજ ચા નાસ્તો અને પાંચ હજાર રૂપિયા આપે મનમાં થયુ કાઈ ખોટું સારુ જ છે અને મે આ વાત પેલાને જઈને કહી તો હા સાહેબ હુ કરે મારે આમ પણ રહેવાનું ઠેકાણું નથી જ્યાં ત્યાં દુકાનીના ઓટલા પર સૂવું પડે છે તો રહેવાનું જમવાનુ ચા નાસ્તો બધુ મળતું હોય અને ઉપરથી પગાર મળતો હોય તો હુ ચોક્કસ કરે મેં કહ્યું સારુ અને એને બાઇક પર બેસાડી હુ એને મિત્ર ના સર્વિસ સ્ટેશન પર લઇ ગયો અને બંનેને સામસામે બેસાડીને વાત કરી અને કહી દીધું જેમને જે કહેવું હોય તે હાલ જ કહી દો પાછળથી જે કોઇ પણ વાંધાવચકા ન થવા જોઈએ બંનેને બરોબર મંજૂર હોય તોજ આગળ વધો આને બંને એકબીજાની શરતો પર સંમત થઈ ગયા અને છોકરો મહેનતું અને ધગસ વાળો પ્રામાણિક હતો તો ખૂજબ સરસ વાત કામ કરતો હતો તો મિત્રના સર્વિસ સ્ટેશન નું નામ પણ એનો કામના કારણે ઊંચું થઈ રહ્યું હતું તો એને પણ કામ વધારે મળવા લાગ્યુ હતુ બાજુમાં ગેરેજ હતું તો ફ્રી સમયમાં ગેરેજમાં બેસીને મિકેનિકનું કામ પણ શીખતો હતો તો થોડા સમય બાદ એણે મિકેનિકનું કામ પણ ફાવી ગયું હતુ તો એને એના શેઠ મારા મિત્રને વાત કરી કે આપણે એકલી ગાડી ધોવાનું કરીએ છીએ તો સાથે સાથે ગેરેજનુ કામ પણ કરીએ તો કેવું રહેશે આપણી પાસે જગ્યા પણ વિશાળ છે તો મિત્ર કે મને મિકેનિકનું કામ ફાવતું નથી એના માટે અલગથી મેકેનિક રાખવો પડે તો મેકેનિક ઊંચો પગાર માગે જે પોસાય નહીં તો આને કહ્યું મને ફાવે છે હુ કરે મને ફાવે છે કામ થોડો પગાર વધારે આપશો તો હું કરે કામ મિત્રે કહ્યું એમ નહી સાથે સાથે સ્પરપાર્ટ નું પણ કરીએ એમાં જે નફો મળશે એમાં તારો ચાલીસ ટકા ભાગ મળશે તો પેલો ખુશ થઈ ગયો વગર મૂડીએ ભાગીદાર બની ગયો અને ધીરે ધીરે ધંધો સારો ચાલવા માંડ્યો હતો તો છોકરાએ બોડી કામ કલર કામ કરી શકે એવા લોકોને પણ રાખી દીધા હતા તો એક કાર વોશિંગ સેન્ટર ફુલ્લી મોટું સર્વિસ સ્ટેશન બની ગયું હતુ એની મહેનતના પરિણામે મિત્રને પણ મોટો ફાયદો થયો હતો તો એને એના રહેવા માટે એક નાનું મકાન લઈ આપ્યું અને એને એનો છોકરાની જેમ જ રાખતો હતો તો ગરીબ ઘરની સારી કન્યા જોઈને એના લગ્ન પણ કરાવી દીધા હતા આજે પણ પરિવાર સાથે રહે છે અને સર્વીસ સ્ટેશન મોટા ભાગનું એજ સાંભળે છે મિત્રને બીજા ધંધા છે તો સર્વિસ સ્ટેશન સાંભળવાની તમામ જવાબદારી આને આપી દીધી છે આ પણ પુરી પ્રમાણિકતાથી સંભાળે છે આજની તારીખે...........્્જયમાતાજી
માલાભાઈ (દિલીપ) બારડ ૯૯૦૪૪૭૦૯૪૬
प्रिय मित्रों आज जो कांग्रेस ओर गांधी परिवार के सदस्य असुद्दीन ओवैसी को भाजपा की B टीम कहते है कृपया वो अपनी दादी का इतिहास भी बताए.....? क्या आप जानते हैं कि इंदिरा गांधी भारत की एकमात्र ऐसी प्रधानमंत्री थी जो ओवैसी की पार्टी ए आई एम आई एम यानी ऑल इंडिया मजलिस ए मुत्ताहिदा मुस्लिमीन के दफ्तर में गई थी, इतना ही नहीं उन्होंने उस वक्त ओवैसी के पिता और सलाहुद्दीन ओवैसी के साथ खाना भी खाया था, आंध्र प्रदेश में जब फिल्म अभिनेता एन टी रामा राव का उदय हुआ और उन्होंने आंध्र प्रदेश में कांग्रेस को बिल्कुल खत्म कर दिया तब इंदिरा गांधी को लगा कि एन टी रामा राव के विजय रथ को रोकने के लिए उन्हें सलाहुद्दीन ओवैसी की पार्टी के साथ गठबंधन करना चाहिए और फिर इंदिरा गांधी ने आंध्र प्रदेश के विधानसभा और लोकसभा चुनाव में ओवैसी के पिता सलाहुद्दीन ओवैसी के साथ गठबंधन किया, इंदिरा गांधी उस वक्त प्रधानमंत्री पद पर थी उसके बावजूद उन्होंने एक देश विरोधी पार्टी के मुख्यालय गई वहां पार्टी प्रमुख सलाहुद्दीन ओवैसी के साथ खाना खाया और ओवैसी की पार्टी के साथ गठबंधन किया, इस गठबंधन से कांग्रेस को तो कोई फायदा नहीं हुआ लेकिन सलाहुद्दीन ओवैसी की पार्टी ए आई एम आई एम को बंपर फायदा हुआ उसे आंध्र प्रदेश विधानसभा में पहली बार 4 सीटें मिली और एक सांसद भी बन गया इस तरह से कांग्रेस ने अपने कुकर्मों और अपने निजी स्वार्थ की वजह से एक मरी हुई पार्टी को जिंदा कर दिया, જયહિન્દ All indian karadiya rajput का app आ गया है । सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे - Powered by Kutumb App https://primetrace.com/group/12541/post/1186136895?utm_source=android_post_share_web&referral_code=VFK2S&utm_screen=post_share&utm_referrer_state=PENDING #✒ રાજકારણ અપડેટ્સ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱