#🙏હિન્દૂ દેવી-દેવતા🌺#રામાયણ🏹
🌞 અરણ્ય કાંડ..
15
༺꧁📙 🌞 હરિ દૂત 🕊
https://www.facebook.com/share/p/1Bmk7CL2ZL/
🌞 .. .. માયા ક્યાં છે? તો કહે છે કે-ભોજન,ધન,ઘર,પત્ની,પુત્ર,કપડાં,ફર્નીચર-જ્યાં નજર કરો ત્યાં માયા જ માયા છે.કેટલાક ને રોજ ભોજનમાં દહીં જોઈએ,તો કેટલાક ને પાપડ-અથાણું જોઈએ.લૂલી (જીભ) ને રોજ આ જોઈએ ને તે જોઈએ.વાતો પર-બ્રહ્મની કરે પણ નાનકડી વાત પરથી મન હટતું નથી.લૂલી નાં લાડ લડાયે જાય પણ એ લાડમાં સુખ નથી,પણ લૂલી ને વધારે બગાડવાનો તરીકો છે.
કેટલાક તો આખો વખત ભોજન માં જ ફસાયેલા હોય છે-સવાર પડે કે-આજે દાળ બનાવશું કે કઢી? આજે ટીંડોળાનું શાક કે કંકોડાં નું શાક બનાવશું?કે પછી વિચારે કે હમણાં હમણાં ઘણા સમયથી ભજીયાં કે પાતરાં ખાધાં નથી.તો સાંજે તે બનાવજો.(સાંજ નો યે વિચાર સવારથી કરી નાખે)
ભોજન કેવળ સાધન છે,સાધ્ય નથી.જીવ અનેક જન્મો થી ભોગ ભોગવતો આવ્યો છે,પણ તેને મનથી ભોગ પ્રત્યે ધૃણા આવતી નથી.જો ભોગ પ્રત્યે ધૃણા જાગે તો ભક્તિ માર્ગે જીવ આગળ વધે.
જીભ ની માયા છે એવી જ મોટી ધન ની માયા છે.ગમે તેટલાં પૈસા આવે તો યે માનવી ને સંતોષ થતો નથી.તે સમજતો નથી કે લક્ષ્મીજી ને બાંધી શકાતી નથી.પુરી શકાતી નથી.અને પોતાની કરી શકાતી નથી.લક્ષ્મી કેવળ નારાયણ ની છે,અને તે નારાયણ ની છે એમ સમજી ને જ્યાં સુધી ઓળખવામાં ના આવે તો છાતી પર લાત મારી ને છટકી જાય છે.
સાદું ભીજન,સાદું જીવન અને સાદો વેશ –એ સુખી જીવન ની ચાવી છે.
પણ,માયામાં જીવ ભળી ગયો છે,જીવ એ ઈશ્વર નો અંશ હોવાં છતાં માયા માં ભળી જાય તે ખોટું છે.
માયા છે તો ખોટી પણ તે છે બહુ જબરી.તે હસાવી-હસાવી ને રડાવે છે,અને રમાડી-રમાડી ને મારે છે.
માયાને ઓળખાવા સ્વપ્ન નું દૃષ્ટાંત વારંવાર વપરાય છે.
સ્વપ્ન ખોટું છે,સ્વપ્ન માં જે દેખાય છે તે ખોટું છે,સ્વપ્ન જોનાર પણ ખોટો છે.
સ્વપ્નમાં એકવાર એક જણ ને ત્રણ વર્ષ ની જેલ ની સજા થઇ,તેમાં બે વર્ષ ની સજા ભોગવીને આંખ ખુલી ગઈ તો પછી બાકી રહેલી એક વર્ષ ની સજા કોણ ભોગવે?કોઈ નહિ!
હવે તે જાગી ગયો છે,એટલે સજા ભોગવવા ની રહી નથી,
તેમ જે આ સંસારમાં જાગી જાય છે,એના દુઃખ નો અંત આવે છે.
જરૂર છે માત્ર જાગવાની.અજ્ઞાન ના અંધકારમાંથી નીકળી ને જ્ઞાન-ભક્તિ ના અજવાળામાં આવવાની જરૂર છે. ભક્તિ એ માયાને તરવાનું સહેલામાં સહેલું સાધન છે.ભક્તિ થી માયાને જીતી શકાય છે.
સંતો કહે છે કે-પ્રભુ ના “નામ” ને પકડી રાખશો તો ખ્યાલ આવશે કે-માયા કેવી રીતે છૂટે.
માયા કોણે સર્જી? ને માયા ક્યાંથી આવી?એની ભાંજગડ માં જેને પડવું હોય તે ભલે પડે,અને થોથાં
ઉથલાવ્યા કરે.
જેમ,ખોળામાં ઓચિંતો સાપ આવી ચડે તો,તે સાપ ક્યાંથી આવ્યો?કોણે મોકલ્યો?કેમ મોકલ્યો? એ વિષે,
કોઈ વિચાર કરવા બેસતું નથી,પણ એ સાપ ને ફેંકી દઈ ને તત્કાળ છુટો થઇ જાય છે.
તેમ,માયા પણ સર્પ જેવી છે,વિચાર કર્યા વગર,પ્રભુ નું નામ લઇ,તેને ફેંકી છૂટા થઇ જાઓ.
સતત એવું ધ્યાનમાં રાખો કે-હું ભગવાન નો અંશ છું,જન્મ્યા ત્યારે તમે પતિ,પત્ની,પુત્ર કે પિતા નહોતા.
શ્રી રામે લક્ષ્મણજી ને કહ્યું કે-માયા ની બે શક્તિ છે,વિદ્યા અને અવિદ્યા.
વિદ્યા પંડિતો ને નચાવે છે અને અવિદ્યા મુર્ખાઓ ને નચાવે છે.
વિદ્યા વચનાંત (વચનો નો અંત )થતી નથી અને અવિદ્યા રચનાંન્ત (રચનાઓ નો અંત) થતી નથી.
અવિદ્યા થી રચનાઓ (નવા નવા બંગલાઓ –વગેરે) વધતી જાય છે.તેનાથી કોઈ ને શાંતિ મળતી નથી.
વિદ્યા નો પણ અંત આવતો નથી,મનુષ્યો સારાં પુસ્તકો વાંચી ને જ્ઞાન વધારે જાય છે,સારાં પ્રવચનો (કથાઓ) સાંભળે છે,પણ આચરણ માં મૂકતા નથી.ધ્યાન એ શું છે?એ ખબર છે,પણ ધ્યાન માં બેસતા નથી.
ખૂબ વાંચે તેનું શબ્દ-ભંડોળ વધી જાય છે,તેની પાસે માહિતી વધી જાય છે,તેથી તર્ક-વિતર્ક નું જોર બહુ વધી જાય છે.કોઈક સાચો ભક્ત કે સંત હોય તો તેની સામે જીભ-જોડી કરવા તે દોડે છે.
તેને જ્ઞાન નું અભિમાન ખૂબ વધી જાય છે અને પોતે જ સર્વ-શ્રેષ્ઠ છે એમ તે માને છે.
લોકો ને કહે છે કે-ફલાણો ભક્ત કે સંત કેવો છે તે હું જાણું છું,મને આ ખબર છે ને મને તે ખબર છે.
કદાચ એ ભક્ત કે સંત ને કે ભગવાન ને નમસ્કાર કરશે પણ તે માત્ર વિવેક ખાતર,દિલ થી નહિ.
આવો ભણેલો (પુસ્તકિયો-જ્ઞાની) કુતર્કો કરે છે અને ચમત્કાર જોવા માગે છે,કે –પ્રભુ-ભક્ત કોઈ
ચમત્કાર કરે તો નમસ્કાર કરું.પણ તેને પ્રભુ ની બનાવેલી આ અનંત સૃષ્ટિ માં ચમત્કાર દેખાતો નથી.
થોથાં મગજ માં ભરવાથી વિદ્યાવાન થવાતું નથી.વિદ્યા તો ભોજન જેવી છે.
ભોજન પચે અને ભૂખ હોય એટલું જ ખવાય,ભૂખ વિના નું અને વધારે ખાધેલું ઝેર થાય છે.
વિદ્યા ની ભૂખ હશે તેને પચી શકે તેટલી વિદ્યા લાભકારી થાય,અતિ વિદ્યા ઝેર સમાન છે.
દયારામ કહે છે કે-
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે,તદપિ અર્થ નવ સરે,
ચિત્ત તું શીદ ને ચિંતા કરે,કૃષ્ણ ને કરવું હોય તે કરે.
(#રામાયણ🏹
સરળ સમજૂતી સાથે..
તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..)
❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜
❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜ #👣 જય મેલડી માઁ
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺#રામાયણ🏹
🌞 અરણ્ય કાંડ..
14
༺꧁📙 🌞 હરિ દૂત 🕊
https://www.facebook.com/share/p/1GpAjUoBFs/
🌞 .. .. ભગવાન નો ભક્ત કદી ભગવાનની આશા છોડતો નથી.ભગવાન પરની અપાર શ્રદ્ધા ને લીધે,તેને નિરાશ થવું પડતું નથી.પણ જો પ્રભુ પર ની શ્રદ્ધા જો ઓછી થાય તો તે ઓછી થયેલી જગા પુરવા નિરાશા દોડી આવે છે.એટલે જો શ્રદ્ધા થી હૃદય ભરાયેલું હોય તો નિરાશા ને કદી સ્થાન જ નથી.
ભગવાન નાં બધાં જ નામ શ્રેષ્ઠ છે,પણ રામ-નામ સહુથી સહેલું અને મધુર છે.
અને આ રામ-નામ નો મહિમા સાચા ભક્તો જાણે છે.તેથી તે રામ-નામ ના તરાપા પર બેસી ને ભવ-સાગર પાર કરવા નીકળી પડે છે.ડૂબવાની એમને કોઈ ધાસ્તી નથી,અને ભવ-સાગર ક્યારે પાર થશે તેની કોઈ માથા પર ચિંતા નથી,કારણ કે ભવ-સાગર પાર થશે જ તેની તેમને હૃદયમાં ખાતરી છે.
મા જેમ ભણેલા દીકરા ની બહુ કાળજી લેતી નથી,
તેમ,પ્રભુ પણ જ્ઞાનીઓની ઉપેક્ષા કરે છે,પણ ભક્ત ને સંભાળે છે,તેમનો તરાપો ચલાવે છે.
જ્ઞાન નો અધિકાર બધાને નથી,અને જ્ઞાન મેળવવું પડે છે.પણ ભક્તિ નો અધિકાર સર્વે ને છે,
ભક્તિ તો ઉગે છે,ઉગવા જેવી જમીન તૈયાર કરવામાં આવે તો ભક્તિ ફૂલે-ફાલે છે.
ભક્તિ કરતાં મનુષ્ય ની આંખ ભીંજાય, તો જ પરમાત્મા નાં દર્શન થઇ શકે.
પરમાત્મા તો જડ-ચેતન સર્વમાં હાજરા હજુર છે,એ તો સર્વ જગ્યાએ છે એટલે એણે ખોળવાનો પણ નથી,
પણ જેને ઘરમાં કુટુંબી-જનો માં ભગવાન દેખાતા નથી,તેને મંદિરમાં કે પછી ક્યાંય તે દેખાવાના નથી.
ઘરમાં અને સર્વમાં જો ભગવાન ને જોવામાં આવે તો દુનિયાની સમસ્યાઓ નો હલ થઇ જાય.
આખું દૃષ્ટિ-બિંદુ જો બદલાઈ જાય અને “આ બીજો છે,હું નથી” એવો તારા-મારા નો ભેદ જતો રહે તો
દુનિયા નાં કષ્ટો પેદા થાય જ નહિ.
એટલે જ રામજી પાયા નો અર્થ સમજવતા કહે છે કે-“હું અને મારું,તુ અને તારું” આ જ માયા છે અને તે માયા ને લીધે જ ઈશ્વર દેખાતા નથી.અને જગત નથી છતાં દેખાય છે.
વેદાંત કહે છે કે-માયા અંધકાર જેવી છે,અંધારામાં જે છે તે દેખાતું નથી,ને જે નથી તે દેખાય છે.
અંધારામાં દોરી પડી હોય તો તે સાપ દેખાય છે,સાપ નો ભાસ થાય છે,
તેમ અજ્ઞાન-વશ જીવ માયા ને આધીન બની ને પરમાત્મા ને પિછાની શકતો નથી.
માયા ને જે આધીન (વશ) રહે છે,તે જીવ અને માયા જેને આધીન રહે છે તે પરમાત્મા.
ભગવાન ને પણ થોડી માયાની જરૂર પડે છે,કોઈ પણ કાર્ય કરવા માટે માયાની જરૂર પડે છે.
સંતો કહે છે કે-વ્યવહાર માં માયા ની જરૂર પડે તો માયા નો ઉપયોગ કરો,પણ માયા ને આધીન ના બનો.
માયાનો ઉપયોગ કરો ત્યારે યાદ રાખો કે-હું ઈશ્વર સ્વ-રૂપ છું,જો આ વાત ભૂલ્યા તો માયા માથા પર ચડી બેસશે,ને માયા ના હાથ નો માર ખાવો પડશે.
માયા એ અગ્નિ જેવી છે,અગ્નિ દઝાડે છે,પણ અગ્નિ વિના વ્યવહાર થતો નથી,એના વિના ચાલતું નથી.
એટલે લોકો અગ્નિ જોડે વ્યવહાર કરે છે,પણ અગ્નિ ને હાથ થી ઉપાડતા નથી,ચીપિયા થી ઉપાડે છે.
આમ માયા ને પણ વિવેક-રૂપી ચીપિયાથી ઉપાડવાની છે.માયા દઝાડી ના જાય તે જોવાનું છે.
માયા એ છાયા જેવી છે,જેમ, મનુષ્ય,સૂર્ય ની સન્મુખ ઉભો રહે તેને પોતાની છાયા ના દેખાય,પણ
જેવો તે સૂર્ય થી વિમુખ થાય તો પોતાની છાયા (પડછાયો) તેની સામે આવે.
તેમ,જે ઈશ્વર ની સમક્ષ ઉભો છે તેની સામે માયા નહિ આવે,માયા તેને નહિ ડરાવે,પણ જેવો તે
ઈશ્વર થી વિમુખ થાય તો માયા હાજર થઇ જાય છે.
માટે પ્રતિક્ષણ સાવધાન થઇ ને ઈશ્વર ની સન્મુખ રહેવાનું છે.એક ક્ષણ પણ પ્રભુ ને ના ભૂલવા જોઈએ.
(#રામાયણ🏹
સરળ સમજૂતી સાથે..
તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..)
❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜
❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜ #👣 જય મેલડી માઁ













![🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - ೫೬ 6 २वा% ढथो ७शे ढौ २{भु$ दौड्ो % शi@कशे , %ो ७थीe ८शे तो 4Q1 dld $][2 ٤ aqu aist ?qa21 !! 99 ೫೬ 6 २वा% ढथो ७शे ढौ २{भु$ दौड्ो % शi@कशे , %ो ७थीe ८शे तो 4Q1 dld $][2 ٤ aqu aist ?qa21 !! 99 - ShareChat 🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - ೫೬ 6 २वा% ढथो ७शे ढौ २{भु$ दौड्ो % शi@कशे , %ो ७थीe ८शे तो 4Q1 dld $][2 ٤ aqu aist ?qa21 !! 99 ೫೬ 6 २वा% ढथो ७शे ढौ २{भु$ दौड्ो % शi@कशे , %ो ७थीe ८शे तो 4Q1 dld $][2 ٤ aqu aist ?qa21 !! 99 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_410904_1b5dc031_1778321409232_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=232_sc.jpg)