#💐 શનિવાર સ્પેશિયલ #🙏 ભક્તિ & ધર્મ તારીખ 06/12/2025 (શનિવાર) માગશર આર્દ્રા નક્ષત્ર શિવ દર્શન - મહાપૂજા વિશેષ પાવન દિવસનું મહત્વ.
🔱
શિવ મહાપુરાણ વિધેશ્વર સંહિતા અધ્યાય ૯ અને શ્લોકો ૧૫, ૧૬ અને ૧૭માં સ્વયં ભગવાન મહાદેવ માગશર માસમાં આર્દ્રા નક્ષત્રનો મહિમા કહે છે :-
હે પુત્રો ! જે સમયે હું સ્થંભ રૂપે પ્રગટ થયો છું,
તે કાળ માગશર માસમાં આર્દ્રા નક્ષત્ર છે. (૧૫)
🔱
જે પુરુષ માગશર માસમાં આર્દ્રા નક્ષત્ર હોય ત્યારે પાર્વતી સહિત મારી મૂર્તિનું કે લિંગનું દર્શન કરે છે, તે મને કાર્તિક કુમારથી પણ અધિક પ્રિય થાય છે. (૧૬)
🔱
આ શુભ દિવસે મારાં કેવળ મંદિરમાં દર્શનથી જ ઘણું ફળ થાય છે, પણ જો તે દિવસે પૂજન કરે, તો વાણીથી ન વર્ણવી શકાય એટલું ફળ મળે છે. (૧૭)
@ આ દિવસે શિવ દર્શન - પૂજન કરવાથી ૧૦૦ મહા શિવરાત્રીનું ફળ પ્રાપ્ત થાય છે.
@ આ દિવસે પાર્થિવ શિવલિંગ પૂજન અવશ્ય કરવું.
@ આ દિવસે ઉપવાસ - જળાભિષેક - કમલ પુષ્પ અને બિલીપત્ર દ્વારા પૂજન કરવું.
@ આ દિવસે શિવ મંદિરે અને ઘરમાં દીપ માળાઓ ખાસ કરવી.
@ આ દિવસે શિવ દર્શન - પૂજન કરવાના ફળનો મહિમા વાણીથી વર્ણવી શકાતું નથી.
@ આ દિવસે શિવ દર્શન પૂજન કરવાથી સુખ - શાન્તિ - સમૃધ્ધિ તેમજ મનોકામનાઓ પૂર્ણ અને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
આથી, દરેક શિવ ભક્તોએ પરીવાર સહ તારીખ ૦૬-૧૨-૨૫ માગશર આર્દ્રા નક્ષત્રમાં અચૂક શિવ દર્શન - મહાપૂજા કરી માનવ જીવનમાં અમૂલ્ય લહાવો લઇ શિવ કૃપા પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કરવો અને કરાવવો.
जय श्री महाकाल
ॐ નમઃ શિવાય ॐ નમઃ શિવાય ॐ નમઃ શિવાય
નોંધ: દરેક ગ્રૂપમાં મેસેજ ફોરવર્ડ કરી શિવ ભક્તિના દર્શન પૂજનના મહિમાનો પ્રચાર પ્રસાર કરી પુણ્યના ભાગીદાર બનો.
🙏🙏🙏🙏🙏🙏
।। ૐ નમઃ શિવાય ।।