રુષી પંચમી સામા પાંચમ 🙏
37 Posts • 92K views
ઋષિ પંચમીનું મહત્વ: °સપ્ત ઋષિની પૂજા – આ દિવસે સત્વ ઋષિ (કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ)ની પૂજા કરવામાં આવે છે. તેમને સન્માન આપવા અને તેમની કરુણાથી જીવન પવિત્ર રહે એ માટે વ્રત રાખવામાં આવે છે. ° સ્ત્રી માટે પાપવિમોચન વ્રત – માન્યતા છે કે માસિક ધર્મ (રજોદર્શન) દરમિયાન કોઈ અશુદ્ધિથી થયેલ ભૂલ કે પાપને નિવારવા આ વ્રત કરવાથી શુદ્ધિ મળે છે. ° ધર્મગ્રંથોમાં વર્ણન – સ્કંદ પુરાણમાં ઋષિ પંચમી વ્રતનું વિશેષ વર્ણન આવે છે. આ વ્રત રાખનારને જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મળે છે એવું કહેવામાં આવ્યું છે. °વ્રત પદ્ધતિ – આ દિવસે સ્ત્રીઓ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે, ઉપવાસ રાખે છે, અર્જુન અથવા દતોડાના પાન પર સપ્ત ઋષિનું ચિત્ર બનાવી પૂજન કરે છે અને ઋષિ સૂક્ત, મંત્રો દ્વારા પૂજા અર્ચના કરે છે. °લોકમાન્યતા – માનવામાં આવે છે કે આ વ્રત કરનારને સંતાનસુખ, આયુષ્ય અને પતિસુખ મળે છે તથા કુટુંબમાં શાંતિ રહે છે. #રુષી પંચમી સામા પાંચમ 🙏 #હેપ્પી રૂષિ પંચમી🙏
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
10 likes
15 shares