દેવદિવાળી ની શુભેચ્છાઓ..💐💐🙏🏻🙏🏻

5 Posts • 452 views
daxa
796 views 5 months ago
* #🙏આજના દર્શન #પ્રથમ જ્યોતિર્લિગ શ્રી સોમનાથ મહાદેવ પ્રભાસપાટણ સૌરાષ્ટ્ર #🕉️ નમઃ શિવાય #🔱હર હર મહાદેવ #દેવદિવાળી ની શુભેચ્છાઓ..💐💐🙏🏻🙏🏻 🛕🚩सोमनाथ कार्तिकी पूर्णिमा २०२५* *अमृत वर्षा संयोग दर्शन* *'🌹☘️🙏श्रीसोमनाथ महादेव,ध्वजदंड, एवं चंद्रमा ⚪ एक क्षितिज में'🕉️*🌉 *Night 1:15.AM**કાર્તિક પૂર્ણિમાનું ⚪ મહાત્મય તમે જાણો છો ?* *દેવ દિવાળી🪔 એટલે...?.* *હિન્દુ છો તો જાણો...*👇🙏🌹🏵️ ------------------------ *જે દિવસે સોમનાથ મંદિરના શિખર ઊપર* *રાત્રે બરાબર 12-00 વાગે* *સોમ (ચંદ્ર).. આવે છે..એ તિથિ* *કાર્તિક પૂર્ણિમા ⚪* *( દર્શન હેતુ લાખ્ખો ભાવિકો આજે રાત્રે સોમનાથના પ્રાંગણમાં ઉમટશે)* *મહાદેવ શિવજીએ ત્રિપુરાસુરનો વધ કરેલ.. એ તિથિ...* *કાર્તિક પૂર્ણિમા ⚪* *જે દિવસે માતા તુલસી 🍃વનસ્પતિ* *રૂપે પ્રગટ થયા...એ તિથિ......* *કાર્તિક પૂર્ણિમા ⚪* *જે દિવસે ભક્ત બોડાણાના આગ્રહ ને વશ ભગવાન દ્વારકાથી ડાકોર આવ્યાં* *એ તિથિ. ....* *કાર્તિક પૂર્ણિમા ⚪* *જે દિવસે ભગવાન વિષ્ણુ એ વેદ-ધર્મ* *રક્ષણ માટે મત્સ્ય🐬 અવતાર લીધેલ* *એ તિથિ.....* *કાર્તિક પૂર્ણિમા⚪* *જે દિવસે જય-વિજય (વિષ્ણુ ના પાર્ષદ) નો ઉદ્ધાર થયેલ એ તિથિ* *કાર્તિક પૂર્ણિમા ⚪* *ભગવાન ગુરુ નાનક* *દેવ નો પ્રાગટ્ય* *દિવસ એ તિથિ* *કાર્તિક પૂર્ણિમા ⚪* *ધાર્મિક મહત્વ એ છે કે કાર્તિક પૂર્ણિમા⚪ એ સર્વે દેવો પૃથ્વી ઉપર આવી ઘાટ સ્નાન...( નદીનો ઘાટ) કરે છે અને ઉત્સવ મનાવે છે... એટલે એને આ તિથિ ને દેવ દિવાળી🪔 કહે છે* *આજે નદી સ્નાન કરવાથી પ્રકૃતિના આશીર્વાદ મળે છે... તંદુરસ્તી જળવાય છે.....* *🙏🌹શુભ દેવ દિવાળી🪔* *ડાકોરને કર્યું કાશી રે... બોડાણાનું ગાડું લઈને... 🙏🏻* *કારતક સુદ પૂર્ણિમા⚪ દેવ દિવાળી🪔* *ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન દ્વારકાધીશ દ્વારકા નગરી છોડી ડાકોર આવી ડાકોરનાં ઠાકોર બન્યાં ને આજે ૮૬૯ વરસ પૂર્ણ કરી ૮૭૦ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરશે....🌹* 🕉️🪔🎊🌝🎉✨
10 likes
7 shares
c.j. jadav
719 views 5 months ago
🍃🍃🌼🍃🍃 કારતક સુદ-૧૫ દેવ દિવાળી...             આજે કારતક માસની પૂનમ છે જે કારતક પૂર્ણિમા કે દેવ દિવાળીના નામે ઓળખાય છે. આજના દિવસે દેવો દિવાળી ઉજવે છે. માન્યતા મુજબ દેવ દિવાળીના દિવસે બધા દેવતાઓ ગંગાના ઘાટ પર આવીને દિપ પ્રગટાવીને પોતાની પ્રસન્નતા દર્શાવે છે. આથી આ દિવસે ગંગા સ્નાન કરીને દીપદાનનું ખુબ મહત્વ છે. આ દિવસે દિપ દાન કરવાથી લાંબુ આયુષ્ય મળે છે. તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહે છે. કારણ કે પ્રાચીન સમયમાં આ તિથિ પર શિવજીએ ત્રિપુરાસૂર નામના દૈત્યનો નાશ કર્યો હતો. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે આ દિવસે જ ભગવાન વિષ્ણુએ મત્સ્યાવતાર પણ લીધો હતો. આજના જ દિવસે શીખોના ગુરુ ગુરુનાનકદેવજીનો પણ જન્મ થયો હતો. આજના આ પવિત્ર દિવસે શું કરવું અને શું ન કરવું તેના વિશે તમને જણાવીએ છે... 🥀આજે આટલા કામ કરો તો થશે અઢળક લાભ :- 🥀આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન બાદ સૂર્યને જળ ચઢાવો અને ત્યારબાદ દિપદાન, પૂજા, આરતી અને દાન કરો.  🥀આજે તુલસીજીની પૂજા અને પરિક્રમા જરૂર કરો અને તેમના સમક્ષ દિપદાન કરો.  🥀સત્યનારાયણ ભગવાનની કથા વાંચો અને સાંભળો.  🥀આજના દિવસે શિવલિંગ પર જળ ચઢાવીને ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો.  🥀આજે હનુમાનજીની સામે ઘીનો દિવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 🥀ગંગા નદીના તટ પર સ્નાન કરીને દિપ પ્રગટાવીને દેવતાઓ પાસે કોઈ મનોકામના રાખીને પ્રાર્થના કરો.  🥀આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લક્ષ્મીજી સદા માટે પ્રસન્ન રહે છે.  🥀ભૂલેચૂકે આટલા કામ ન કરો :- 🥀મોડે સુધી સૂવું નહીં. સવારે જલદી ઉઠીને સ્નાન કરવું. પાણીમાં ગંગાજળના કેટલાક ટીપા નાખવા 🥀આજના દિવસે તુલસી પૂજાનું ખાસ મહત્વ હોય છે. આથી તુલસીના પાંદડા તોડવા નહીં અને મૂળમાંથી ઉખાડવા પણ નહીં.  🥀આજે અડદ અને મસૂરની દાળ ન ખાવી. આ ઉપરાંત ખાવામાં કારેલા, રિંગણા અને લીલા શાકભાજી પણ ખાતા બચવું જોઈએ.  🥀આજના દિવસે ઘરના મુખ્ય દ્વારને ખાલી ન રાખો. રંગોળી બનાવો અને તોરણથી શણગારો.  🥀આજનો દિવસ ખુબ શુભ છે આથી ઘરમાં કોઈ પણ પ્રકારનો કલેશ ન કરવો અને લડાઈ ઝઘડાથી દૂર રહો.  🥀તામસી ભોજનથી દૂર રહો. માંસ તો ભૂલેચૂકે ન ખાવું. બની શકે તો ભોજનમાં ડુંગળી, લસણનો પણ ઉપયોગ ન કરો.  🥀આજે ભગવાન ગમે તે સ્વરૂપે તમારી સામે આવી શકે છે. તો ભૂલથી પણ કોઈનું અપમાન ન કરવું કે અપશબ્દો ન બોલવા. ક્રોધ પર કાબુ રાખો અને સમજી વિચારીને બોલો.  🥀ઘરના દરવાજે આવેલા કોઈને પણ ખાલી હાથે પાછા ન મોકલો. કઈંક ખવડાવો કે દાન કરો.                              🍃🍃🌼🍃🍃 #દેવદિવાળી ની શુભેચ્છાઓ..💐💐🙏🏻🙏🏻
12 likes
13 shares