ન્યુઝ
145 Posts • 71K views
Sanjay ᗪesai
15K views
#🤮પાણીપૂરીમાં સડેલા બટાટાનો મસાલો, ગાંધીનગરમાં ફાટી નીકળેલા રોગચાળા બાદ સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓ પર દરોડા પાડીને અખાદ્ય તેલ, સડેલા બટાકા અને અસ્વચ્છ પુરી જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહી વિભાગની ભૂતકાળની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા કરી રહી છે અને જાહેર આરોગ્ય સુરક્ષા પર ભાર મૂકે છે.ગાંધીનગરમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ ગુજરાત સરકારે રાજ્યના તમામ શહેરોમાં આરોગ્ય વિભાગોને સાવચેતી અને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચના બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ આખરે એક્શન મોડમાં આવ્યો છે અને શહેરના પાણીપુરી વિક્રેતાઓ પર દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે આ કાર્યવાહી એટલા માટે સવાલો ઊભા કરી રહી છે કારણ કે તે ગાંધીનગરના રોગચાળા પછી મોડે મોડે શરૂ કરવામાં આવી છે, જેનાથી પાલિકાની અગાઉની નિષ્ક્રિયતા પર પ્રશ્નાર્થ સર્જાયો છે.સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાસ કરીને ગુલશનનગર અને નાગસેનનગર જેવા સ્લમ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમોએ પાણીપુરી બનાવવામાં આવતી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પાણીપુરી બનાવવા માટે કાળા પડી ગયેલા અખાદ્ય તેલનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત આલુ પુરી જેવી વસ્તુઓ ગંદા કપડાંમાં બનાવવામાં આવતી હતી, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. સૌથી ગંભીર બાબત એ હતી કે પાણીપુરીના માવા માટે સડેલા અને ખરાબ બટાકાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે બટાકાનો મોટો જથ્થો ખરાબ સ્થિતિમાં રાખવામાં આવ્યો હતો, જેમાંથી પાણીપુરીનો માવો બનાવવામાં આવતો હતો.આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી અખાદ્ય બટાકા અસ્વચ્છ તેલ અને અન્ય દૂષિત સામગ્રી જપ્ત કરી તેનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પાણીપુરીના વિક્રેતાઓ સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જોકે, અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેઓ નિયમિતપણે મહિને મહિને અને રોજ સાંજે સ્કોડ દ્વારા આવી તપાસ કરતા જ હોય ​​છે. પરંતુ ઉપલબ્ધ દ્રશ્યો અને જોવા મળેલી અસ્વચ્છતાની વ્યાપકતા આ દાવા પર શંકા ઊભી કરે છે.આ સમગ્ર ઘટનાથી એ સવાલ ઉદ્ભવી રહ્યો છે કે જો પાલિકાનો આરોગ્ય વિભાગ પહેલેથી જ સક્રિય હોત તો આવા રોગચાળાની સ્થિતિ ઊભી થવાની શક્યતા ઓછી હોત. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આવી પ્રવૃત્તિઓ પર સમયસર અંકુશ મૂકવો અત્યંત જરૂરી છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ જ આરોગ્ય વિભાગ કામે લાગ્યો હોવાનું જણાય છે. આ ઘટના દર્શાવે છે કે જાહેર આરોગ્યની સુરક્ષા માટે માત્ર પ્રસંગોપાત નહીં, પરંતુ નિરંતર અને અસરકારક દેખરેખ અત્યંત આવશ્યક છે, જેથી આવી અસ્વચ્છ પરિસ્થિતિઓથી થતા રોગચાળાને અટકાવી શકાય. #🔥 બિગ અપડેટ્સ #આજના સમાચાર #તાજા સમાચાર #સુરત
96 likes
169 shares
Sanjay ᗪesai
21K views
#😯ફરી એકવાર કચ્છની ધરતી ધ્રુજી , કચ્છના ખાવડામા મોડી રાત્રે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 4.1 મપાઇ છે. ભૂકંપનું એપિસેન્ટર ખાવડાથી 55 કિમી દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો રાત્રે 1 વાગ્યે 22 મિનિટે અનુભવાયો હતો. ગઈકાલે રાપર, ભચાઉ નજીક પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક સમયથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. ગત મોડી રાત્રે કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 1.22 વાગ્યે ધરતી ધ્રુજતા લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરની બહાર ભાગ્યા હતા.આ પહેલા સતત બેથી ત્રણ દિવસ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અહીં 12 કલાકમાં 3થી વધુ વખત ભૂકંપના આચકા અનુભવાયા હતા.ઉલ્લેખનિય છે કે, અગાઉ 26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છ જિલ્લામાં ચાર વખત ભૂકંપના આંચકા નોંધાયા હતા. જેમાં 26 ડિસેમ્બરે રાપર વિસ્તારમાં બે વખત અને 27 ડિસેમ્બરે ફરી બે વખત ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 26 ડિસેમ્બરે નોંધાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 જેટલી હોવાથી લોકોમાં ચિંતા વધી હતી. અચાનક આવેલા આ આંચકાના કારણે ઘણા લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા.ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અને હિમાચલ પ્રદેશની મહારાજા અગ્રસેન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસ મુજબ, રાજ્યની નીચે અનેક ફોલ્ટ લાઇનો એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેના કારણે વારંવાર ધ્રુજારી અને ભૂકંપ આવે છે. આ અભ્યાસનું તારણ 2001ના વિનાશક ભૂકંપની 25મી વર્ષગાંઠના લગભગ એક મહિના પહેલા આવ્યું હતું. . ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ અભ્યાસના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલ મુજબ, સંશોધકોએ 2008 થી 2024 સુધી નોંધાયેલા 1,300 થી વધુ ભૂકંપનું વિશ્લેષણ કર્યું હતું. આનો અર્થ એ થયો કે આ 16 વર્ષ દરમિયાન, આ પ્રદેશમાં દર વર્ષે આશરે 81 ભૂકંપ અનુભવાયા હતા. આ ડેટા 56 કાયમી અને 20 કામચલાઉ ભૂકંપ મથકો પરથી મેળવવામાં આવ્યો હતો. ભૂસ્તરીય રીતે કચ્છ રિફ્ટ બેસિન તરીકે ઓળખાતો આ પ્રદેશ ગુજરાતના બાકીના ભાગ કરતાં નોંધપાત્ર રીતે ક્રસ્ટલ ડિફોર્મેશન દર્શાવે છે. નોંધપાત્ર રીતે, આ ડિફોર્મેશન કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, દક્ષિણ વાગડ ફોલ્ટ, અલ્લાહ બુંદ ફોલ્ટ અને ગેડી ફોલ્ટ જેવા મુખ્ય સક્રિય ફોલ્ટ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. ભૂતકાળમાં આ ફોલ્ટ સિસ્ટમ્સ મોટા ભૂકંપ માટે જવાબદાર રહી છે. અભ્યાસો અનુસાર, આ પ્રદેશમાં રિક્ટર સ્કેલ પર 6 કે તેથી વધુ તીવ્રતાના ઓછામાં ઓછા ચાર ભૂકંપ નોંધાયા છે. 1819 માં, અલ્લાહ બુંદમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે 2001 માં, 7.7 ની તીવ્રતાનો ભૂકંપે કચ્છ અને ગુજરાતને હચમચાવી દીધું હતું. સંશોધકો માને છે કે, ટૂંકા ગાળામાં, આ તારણો સમજાવે છે કે, રાજ્યના અમુક ભાગો ભૂકંપ માટે વધુ સંવેદનશીલ છે. કચ્છ જેવા પ્રદેશો ભવિષ્યમાં ભૂકંપની દ્રષ્ટિએ સક્રિય રહેશે. આનું કારણ એ છે કે મર્યાદિત વિસ્તારમાં બહુવિધ ફોલ્ટસ જે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેના કારણે પોપડામાં જટિલ અને સતત દબાણ જમા થાય છે.જેના કારણે ભૂકંપ અનુભવાય છે. #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #આજના સમાચાર #તાજા સમાચાર
142 likes
164 shares