Ame Surati
7K views • 21 hours ago
#😰રેસ્ટોરન્ટના ફૂડથી બાળકીનું મોત 4 ગંભીર #💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર #અમે સુરતી સુરતના વરાછામાં ફૂડ સેફ્ટીને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. શીતલ રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવીને ખાધા બાદ એક પરિવારના પાંચ સભ્યો બીમાર પડ્યા હોવાનો આક્ષેપ છે.
પરિવારના જણાવ્યા મુજબ સારવાર દરમિયાન 4 વર્ષની બાળકીનું મોત થયું છે, જ્યારે અન્ય પરિવારજનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બાળકીના મોત બાદ સુરત મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગે રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફૂગવાળી તુવેરની દાળ, ખુલ્લો ખોરાક અને ગંદકી મળી આવ્યાનું સામે આવ્યું છે. અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો છે અને રેસ્ટોરન્ટને હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે.
મામલામાં બાળકીના મોતનું ચોક્કસ કારણ અને ફૂડ પોઈઝનિંગ સાથેનો સીધો સંબંધ તબીબી તથા સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
Varachha food poisoning, Surat restaurant inspection, Sheetal Restaurant Surat, food safety Surat, Surat Municipal Corporation, food poisoning case Gujarat, Surat health department, restaurant hygiene
#SuratNews #Varachha #FoodSafety #SuratMunicipal #GujaratNews
74 shares