c.j. jadav
1.3K views
🍃🍃🌼🍃🍃 આસો વદ-૩૦ અમાસ, દિવાળીના પર્વની કથા...         દિવાળીનો તહેવાર વર્ષોથી દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ચાલતા આ પાંચ દિવસના ઉત્સવનો ઇતિહાસ ખૂબ જ જૂનો છ. આપણે સૌ એ તો જાણીએ જ છીએ કે દિવાળી શા માટે ઉજવાય છે. અને તેની પાછળ પહેલી દંતકથાઓ પણ આપણને સૌ ને ખબર છે. તો ચાલો  જાણીએ… આ પર્વની ઉજવણી શા માટે કરવામાં આવે છે ? તેનું શું મહત્વ છે અને તેની સાથે જોડાયેલી કથા શું છે ? નથી જાણતા તો આજે જાણી લો દિવાળી સાથે જોડાયેલી રોચક વાતો અને પ્રચલિત વાર્તાઓ 🥀દિવાળી પર શા માટે ફોડાય છે ફટાકડા... 🥀દિવાળીનો તહેવાર કેમ પાંચ દિવસનો... 🥀દિવાળી સાથે જોડાયેલો ભારતનો ઈતિહાસ         દિવાળીનો તહેવાર વર્ષોથી દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ચાલતા આ પાંચ દિવસના ઉત્સવનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. દિવાળીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારના મહત્વની સાથે તેનો ઇતિહાસ પણ છે. દિવાળીના દિવસે શ્રીરામ અયોધ્યા પરત ફર્યા હતા, આ દિવસે માતા દુર્ગાએ કાલીનું સ્વરૂપ લીધું હતું.  ભગવાન મહાવીરે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. દિવાળીના દિવસે, પાંડવો તેમના દેશનિકાલ અને અજ્ઞાતવાસથી પાછા ફર્યા હતા. કારતક મહિનામાં અમાસના દિવસે ક્ષીર સાગરમાંથી દેવી લક્ષ્મીજી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.  આથી લોકો આ દિવસે ઘરને શણગારે છે અને માતા લક્ષ્મીનું સ્વાગત અને પૂજન કરવામાં આવે છે.  એવું માનવામાં આવે છે કે લક્ષ્મી-વિષ્ણુનાં લગ્ન પણ દિવાળીની રાતે થયાં હતા. આમ ઘણી જ કથાઓ આની સાથે જોડાયેલી છે. 🥀ઉજાસનો પર્વ છે દિવાળી... 🥀શ્રી રામ વનવાસ ભોગવી અયોધ્યા પરત ફર્યા હતા... 🥀અયોધ્યામાં દીપ પ્રગટાવી સ્વાગત કરાયું... 🥀શ્રીરામના પરત ફરતા વેચાઈ હતી મિઠાઈઓ... 🥀અયોધ્યામાં નવા વર્ષની થઈ હતી શરૂઆત... 🥀દિવાળીના દિવસે મા દુ્ર્ગાએ કાલીનો રૂપ ધારણ કર્યો... 🥀રાક્ષસોનો નાશ કરતી વખતે મહાકાલીનું રૂપ કર્યું હતું ધારણ... જો બીજી દંતકથાની વાત કરીએ તો રામાયણ સાથે સંકળાયેલી કથાઓ અનુસાર, ત્રેતાયુગમાં કારતક મહિનાના અમાસના દિવસે ભગવાન શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ ગાળ્યા બાદ અયોધ્યા પાછા ફર્યા હતા. અયોધ્યાવાસીઓએ તેમના સ્વાગત માટે દીપ પ્રગટાવી મીઠાઇનું વિતરણ કર્યુ હતું. શ્રીરામના પરત આવવાનાં પ્રસંગે દર વર્ષે દીવડાઓ પ્રગટાવી અને મીઠાઇ વહેંચીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અને આ સાથે જ નવા વર્ષની પણ ઉજવણી કરવામાં આવે છે. ફટાકડા ફોડવાની પ્રથા બહુ જૂની નથી. દારૂ ગોળાનું શંશોધન થયું ત્યાર પછી ફટાકડા ફોડવાની પ્રથા ચાલુ થઈ. આજે દિવાળી ભારત સહિત અનેક વિશ્વના દેશઓમાં ઉજવવામાં આવે છે. અને દરેક ભારતવાસીઓ આ પર્વનો ઉમંગ અને ઉત્સાહથી ઉજવતા હોય છે. ત્યારે આ દિવાળીના પર્વ પર આપને અને આપના પરિવારને ફળે તેવી મંતવ્ય પરિવારથી આપ સૌને શુભેચ્છાઓ.                🍃🍃🌼🍃🍃 #હેપી દિવાળી #હેપ્પી દિવાળી #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ