સુરતમાં સ્વામીનારાયણ મંદિરના સ્વામીના આપઘાતથી હડકંપ, કાવતરાની આશંકા વ્યક્ત કરાઈ
સુરત: શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરના સ્વામી પ્રિયદર્શન સ્વામીના શંકાસ્પદ મોતના મામલે શહેરભરમાં ભારે ચર્ચા જાગી છે. થોડા દિવસો પહેલા ઝેરી પદાર્થ અથવા ઘેનના ટીકડા ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરનારા સ્વામીનું સારવાર દરમિયાન મોત થતાં ભક્તોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થતા હવે લસકાણા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.