*શ્યામજી કૃષ્ણ વર્મા*
જન્મદિવસ...૪-૧૦-૧૮૫૭.
🔸️વતન : માંડવી, કચ્છ-ગુજરાત.
🔸️મુંબઈની પાઠશાળામાં તેઓશ્રીએ પાણિનીના વ્યાકરણથી શંકરાચાર્યના ભાષ્યનો અભ્યાસ કરેલ.
🔸️ *મહર્ષિ દયાનંદ સરસ્વતી* શ્યામજીના સંસ્કૃતના જ્ઞાનથી પ્રભાવિત થઈને કહ્યું, *બેટા! તું વિદેશમાં જઈને આપણી સંસ્કૃતિનું ત્યાંના લોકોને ભાન કરાવ.*
🔸️શ્યામજી લંડન જાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના અધ્યાપક વિલિયમ મોનીયેરના તેવો સહાયક બને છે.
🔸️સંસ્કૃત સાથે સાથે કાયદાનો અભ્યાસ કરી શ્યામજી બેરિસ્ટર થઈ સ્વદેશ પરત આવે છે.
🔸️ *લોકમાન્ય તિલક* સાથે તેમને પરિચય આવે છે અને લોકમાન્ય તિલક તેમને કહે છે *પરદેશમાં જઈને ત્યાંના લોકોને ભારતની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપો*.
🔸️લંડન જઈ તેઓશ્રીએ *ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ અખબાર* શરૂ કરેલ.
🔸️લંડનમાં તેઓશ્રીએ *ઈન્ડિયા હાઉસ* ની સ્થાપના કરેલ.
🔸️ *વિનાયક સાવરકર, મદનલાલ ધીંગરા* જેવા કેટલાય ક્રાંતિકારીઓને શિષ્યવૃત્તિ આપી અભ્યાસ માટે તેમણે ઈંગ્લેન્ડ બોલાવ્યા હતા.
🔸️ઈન્ડિયા હાઉસ ક્રાંતિકારી પ્રવૃત્તિનું કેન્દ્ર બની ગયું. મદનલાલ કર્જન વાયલીની હત્યા કરતા બ્રિટન સરકારે ઈન્ડિયા હાઉસ બંધ કરી દીધું હતું.
🔸️શ્યામજીને લંડન છોડી પેરિસ જતા રહેવું પડ્યું. ત્યાં તેઓશ્રીએ *ક્રાંતિકારી સરદારસિંહ રાણા અને મેડમ કામા* નો ભેટો થયો અને પેરિસમાં તેમને માં ભારતીની સ્વતંત્રતાની જ્યોત જલતી રાખી.
🔸️પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતા તેમને પેરિસ છોડવું પડ્યું અને જીનીવા જવું પડ્યું.
🔸️તેઓશ્રીને આંતરડાની બિમારી થાય છે.
#રાષ્ટ્રીય_વિમર્શ .. *માતૃભૂમિની મુક્તિ માટે તન-મન-ધન સમર્પિત કરનાર વીરોને શત શત વંદન*.
*વિવિધ વાતોને જાણવા* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
#પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #📕શિક્ષણ (એજ્યુકેશન) ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏