આજે બહાર નીકળતા પહેલા હવામાન વિભાગની આગાહી વાંચી લેજોગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉંચકાયો છે અને અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભારે ગરમી તેમજ લૂ ને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજે ફરી ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ, બોટાદમાં હીટવેવની અગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે 41થી 45 ડીગ્રી તાપમાન પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. #🌦️ હવામાન અપડેટ્સ
ઉનાળામાં શેરડીનો રસ પીતા પહેલા સાવધાન, ફાયદો નહીં પણ શરીરને થશે આ ગંભીર નુકસાન!ગરમીથી બચવા ઉનાળામાં ઠંડો શેરડીનો રસ ભલે તાજગી આપે પરંતુ દરેક માટે તે સુરક્ષિત નથી. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તે શુગર લેવલ ઝડપથી વધારી શકે છે, જ્યારે વધુ વજન ધરાવતા લોકોમાં ચરબી વધારવાનું કારણ બની શકે છે. જેમને ગેસ, અપચો કે પેટની સમસ્યાઓ રહેતી હોય તેમના માટે પણ આ રસ નુકસાનકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે, ક્યારેય ભૂખ્યા પેટે અથવા વધુ પ્રમાણમાં શેરડીનો રસ ન પીવો અને પોતાના સ્વાસ્થ્ય મુજબ જ તેનું સેવન કરવું.#SugarcaneJuice #HealthTips #SummerHealth #LifestyleNews #humdekhengenews #🔍 જાણવા જેવું