15 shares
More like this
- 𝗦𝗔𝗡𝗝𝗔𝗬 𝗗𝗘𝗦𝗔𝗜#⛈️આ જિલ્લાઓને ઘમરોળશે મેઘરાજ🔴 ,વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આજથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને એકસાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આજથી આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત એકસાથે છ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર કેટલાક વિસ્તારોમાં વધવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદની સાથે ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આજે અને આવતીકાલે દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાથી માછીમારો માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયાકાંઠે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં સક્રિય વરસાદી સિસ્ટમોના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🌦️ હવામાન અપડેટ્સ2124
- 💖💞~ K ~ R ~ 💛💚 💙💛💞તારીખ 17.8.2026.ના રોજ ભાવનગર જિલ્લા ના જેસર તાલુકા ના ગામય વિસ્તાર માં આભ ફાટ્યું 3 કલાક માં 35 ઇંચ વરસાદ #⛈️આ જિલ્લાઓને ઘમરોળશે મેઘરાજ🔴 #😱આસામમાં પૂરે મચાવી તબાહી, 31 મોત🌊 #📱મહાદેવ વિડિઓ સ્ટેટ્સ #🔱શિવ-પાર્વતી મંદિર🛕 #📷શિવ-પાર્વતી વીડિયો સ્ટેટ્સ🤩1814
- Gujarat Bajar Samachar - ગુજરાત કૃષિ ખેડૂત સમાચારગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદની રાહ યથાવત રહેશે 17 થી 24 ઓગસ્ટ અશોક પટેલની આગાહી.. વધુ વાંચો: https://gujaratbajarbhav.in/gujarat-weather-updates-forecast-ashok-patel-ni-agahi-17-to-24-august/ #⛈️આ જિલ્લાઓને ઘમરોળશે મેઘરાજ🔴 #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #🌦️ હવામાન અપડેટ્સ #⛈️અશોક પટેલની આગાહી2219
- 𝗦𝗔𝗡𝗝𝗔𝗬 𝗗𝗘𝗦𝗔𝗜#⛈️15 જિલ્લામાં વરસાદની આગાહી☔ ,દેશભરમાં એકસાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર અને રાજસ્થાન પર સર્ક્યુલેશનના કારણે 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.જો તમે આગામી દિવસોમાં ક્યાંય પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો હવામાન વિભાગની આ નવીનતમ આગાહી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં દેશભરમાં એકસાથે 6 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશન અને આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં બનવા જઈ રહેલા નવા લો-પ્રેશરને કારણે, હવામાન વિભાગે ગુજરાતમાં 21 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.ખાસ કરીને 16 ઓગસ્ટના રોજ રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ અને નર્મદા સહિતના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ, ભારે વરસાદની આશંકાને પગલે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, જ્યારે 17 થી 21 ઓગસ્ટ સુધી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે.દેશના એકંદર વરસાદી માહોલ પર નજર કરીએ તો, દક્ષિણ-પૂર્વ ઝારખંડ પર સર્જાયેલું લો-પ્રેશર અને તેને સંલગ્ન સાયક્લોનિક સરક્યુલેશન દરિયાઈ સપાટીથી 4.5 કિ.મી.ની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. આ ઉપરાંત, મોન્સૂન ટ્રફ (વરસાદી ધરી) ફિરોઝપુર, રોહતક અને ઝારખંડના લો-પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થઈને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે. નીચલા સ્તરેથી ફૂંકાઈ રહેલા પશ્ચિમી પવનો અને બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા નવા સરક્યુલેશનને કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ જામશે.ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેના પરિણામે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 671.34 મિ.મી. એટલે કે સિઝનનો કુલ 73.86% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પ્રદેશવાર જોઈએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 100.67%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 73.59%, ઉત્તર ગુજરાતમાં 55.94% અને સૌરાષ્ટ્રમાં 55.45% વરસાદ થયો છે. નોંધનીય છે કે, રાજ્યના કુલ 233 માંથી 36 તાલુકાઓ એવા છે જ્યાં 1000 મિ.મી. કરતા પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં જોખમી અને નીચાણવાળા વિસ્તારોમાંથી 84,318 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ નવસારી, વલસાડ અને સુરતમાંથી લોકોને બચાવવામાં આવ્યા હતા. આ રાહત અને બચાવ કામગીરીને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યમાં NDRF ની 12 ટુકડીઓ અને SDRF ની 30 પ્લાટૂન સતત તૈનાત રાખવામાં આવી છે. સારા વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પણ નવા નીરની જંગી આવક થઈ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 87.59% જેટલો ભરાઈ ગયો છે, જ્યારે અન્ય 206 ડેમોમાં 65.55% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. 27 ડેમ સંપૂર્ણપણે છલોછલ થતાં 40 ડેમને 'હાઈ એલર્ટ', 6 ને 'એલર્ટ' અને 12 ને 'વોર્નિંગ' પર રાખવામાં આવ્યા છે. દરમિયાન, દરિયામાં ભારે કરંટ અને પવનની સંભાવનાને જોતા હવામાન વિભાગે માછીમારોને 15 થી 17 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપી છે. #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #🌦️ હવામાન અપડેટ્સ1210
- heer k prajapati#⛈️આ જિલ્લાઓને ઘમરોળશે મેઘરાજ🔴1215