ડો અબ્દુલ ગની મહેસાણીયા
ઔદ્યોગિક વિકાસ, શહેરીકરણ અને આર્થિક સમૃદ્ધિના મોડલ તરીકે રજૂ થતું ગુજરાત હવે એક મહત્વના પ્રશ્નનો સામનો કરી રહ્યું છે. રાજ્યના અંદાજે 3.38 કરોડ લોકો, એટલે કે કુલ વસ્તીના 45.55 ટકા, સરકારી સબસિડી હેઠળ મળતા મફત અથવા સબસિડાયુક્ત અનાજ પર નિર્ભર છે.
આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતમાં લગભગ દર બેમાંથી એક વ્યક્તિ જાહેર વિતરણ પ્રણાલી (PDS) દ્વારા મળતા અનાજનો લાભ લે છે. રાજ્યના વિકાસ અને આર્થિક પ્રગતિના દાવાઓ વચ્ચે આ હકીકત અનેક સામાજિક અને આર્થિક પ્રશ્નો ઉભા કરે છે.
વિશ્લેષકોના મતે, એક તરફ ગુજરાતને રોકાણ, ઉદ્યોગ અને રોજગારીની દૃષ્ટિએ અગ્રણી રાજ્ય તરીકે રજૂ કરવામાં આવે છે, તો બીજી તરફ વસ્તીનો મોટો હિસ્સો હજુ પણ ખાદ્ય સુરક્ષા માટે સરકારી સહાય પર નિર્ભર છે. આ સ્થિતિ વિકાસના લાભો સમાજના તમામ વર્ગો સુધી સમાન રીતે પહોંચ્યા છે કે નહીં, તે અંગે ચર્ચા ઊભી કરે છે.
વિગતવાર વાંચો: https://x.com/Kshatriyadilip/status/2080165708273754229 #જાણવા જેવું #*આપણે વિચારીશું ખરા?* #points to ponder #દેશ પ્રેમ