𝗦𝗔𝗡𝗝𝗔𝗬 𝗗𝗘𝗦𝗔𝗜
#🦠ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત😲, રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત. અમીરગઢના કાનપુરામાં ચાંદીપુરાથી 10 વર્ષના બાળકનું મોત. બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટીવ. અત્યાર સુધી બનાસકાંઠામાં ચાંદીપુરાથી બેના મોત. બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે સારવાર દરમિયાન બાળકે અંતિમ શ્વાસ લીધા હતા.
આરોગ્ય વિભાગે તાવ, ઉલટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરી છે. ઉપરાંત બાળકોની ખાસ કાળજી રાખવા અને સ્વચ્છતા જાળવવા પણ સૂચના આપી છે. ચાંદીપુરા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.
#🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ