Ame Surati
524 views • 19 hours ago
#અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરતના પર્વત પાટિયા અને આસપાસના ખાડી પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકો હવે માત્ર રજૂઆતો સુધી મર્યાદિત રહેવાના મૂડમાં નથી. છેલ્લા 25 દિવસમાં ત્રણ વખત ખાડી પૂરનો સામનો કર્યા બાદ સ્થાનિકોએ હવે સંગઠિત રીતે લડત આપવાનો નિર્ણય લીધો છે.
ગઈકાલે મોડી રાત સુધી યોજાયેલી બેઠકમાં રીસીવિહાર, માધવબાગ, સત્યમ એપાર્ટમેન્ટ, કૈલાશ નગર, શ્રી વર્ધન, વીર દર્શન, નંદનવન રો-હાઉસ સહિત 15થી વધુ સોસાયટીઓના 400થી વધુ રહીશો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં 'ખાડી પૂર પીડિત જન આંદોલન સમિતિ'ની રચના કરવામાં આવી અને આગામી આંદોલનની રણનીતિ ઘડવામાં આવી.
રહીશોએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષથી ખાડી પૂરનો પ્રશ્ન યથાવત છે અને દર વર્ષે માત્ર ખાતરીઓ જ મળે છે. હવે તેઓ તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે જો યોગ્ય સમયમાં અસરકારક પગલાં નહીં લેવાય તો મ્યુનિસિપલ કમિશનર, મેયર, જિલ્લા કલેક્ટરથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો અને જરૂરી હોય તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે હવે વચનો નહીં, પરંતુ ખાડી પૂરથી કાયમી મુક્તિ જોઈએ.
Surat creek flood, Parvat Patiya flood, Surat flood issue, Khaadi pur Surat, Surat residents protest, flood affected societies, Surat civic issue, Gujarat local news
#SuratNews #FloodIssue #ParvatPatiya #SuratUpdates #GujaratNews
12 likes
13 shares