વડોદરા
354 Posts • 646K views
#🛺ચાલતી રિક્ષામાં ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત😥, વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માત સાથે હાર્ટ-એટેકના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે શહેરના રાજમહેલ રોડ પર એક રિક્ષાચાલક યુવક ચાલુ રિક્ષાએ અચાનક ચક્કર આવતાં ઢળી પડ્યો હતો. ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈ નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૃતક રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વડોદરા શહેરના રાજમહેલ રોડ પર ચાલુ રિક્ષામાં બેઠેલા ચાલકને હૃદયરોગનો હુમલો આવતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ શૈલેષભાઈ મનસુખભાઈ મીઠાપરા (ઉંમર 45) તરીકે થઈ હતી. તેઓ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિશાલનગરના રહેવાસી હતા અને રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.રિક્ષા ચલાવતી સમયે અચાનક હૃદયરોગનો હુમલો આવતાં મોત એ દરમિયાન આજે રિક્ષા ચલાવતા સમયે અચાનક તેમને ચક્કર આવતાં ડ્રાઈવર સીટ પર જ ઢળી પડ્યા હતા, જ્યાં હૃદયરોગનો હુમલો આવતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે રાજમહેલ રોડ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. એ બાદ મૃતકનાં પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.ઘટનાસ્થળે પહોંચેલી માતા પુત્રના મૃતદેહને જોઈને ભારે આક્રંદ કરી રહી હતી. શૈલેષભાઈ ગરીબ માતાના ત્રીજા પુત્ર હતા અને અગાઉ પણ તેમના બે ભાઈનાં મોત નીપજ્યાં હોવાથી આ મોતે પરિવારને વધુ લાચાર બનાવી દીધો છે. ઘટનાસ્થળે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયાં હતાં. નવાપુરા પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. #🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ #વડોદરા
12 likes
12 shares
#😱ક્રેનચાલકે યુવકને કચડી માર્યો, CCTV, વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક રાહદારીનું ક્રેન અડફેટે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ક્રેન ડ્રાઇવરની અટકાયત કરી છે. આ અકસ્માતની ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જોઈ શકાય છે કે, યુવક પોતાની ધુનમાં ચાલીને જઈ રહ્યો છે અને અચાનક પાછળથી આવતી ક્રેને યુવકને અડફેટે લઈ કચડી નાખ્યો હતો.ડેપોથી જી.આઈ.ડી.સી. તરફ જતા રસ્તા પર રાહદારી વિનુભાઈ ભાભોર (દાહોદ જિલ્લાના ડોકી ગામના નિવાસી, હાલ વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહે છે) પોતાના સંબંધીને મળવા જઈ રહ્યા હતા. તેમને ક્રેનના ચાલકે અડફેટે લીધા હતા. ક્રેનના તોતિંગ પૈડા નીચે આવી જવાથી રાહદારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માતની ઘટના CCTVમાં કેદ અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. મકરપુરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ઘટનાના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાંથી મળેલા ફૂટેજમાં ક્રેન ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. મકરપુરા પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ અકસ્માત અને બેદરકારીથી મૃત્યુના આરોપસર ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.સરકારે આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએઃ જયેશભાઈ મકરપુરા GIDCમાં કંપની ચલાવતા વેપારી જયેશભાઈએ જણાવ્યું હતું કે, જે માણસ ગુજરી ગયો છે, એના ઘરવાળાને તો ખબર પણ નથી કે એમના પરિવારનો સભ્ય હવે આ દુનિયામાં નથી. આ અકસ્માતો દિવસેને દિવસે વધી રહ્યા છે. સરકારે આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. રસ્તાઓ પરથી દબાણો હટાવવા જ પડશે.મોટી ગાડીઓ અને ક્રેન વાળા ગમે તેમ સ્પીડમાં જાય છેઃ યુવક અન્ય એક યુવકે જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટો ચાલતી નથી. રસ્તો બનાવે છે અને પાછો ખોદી નાખે છે. મોટી ગાડીઓ અને ક્રેન વાળા ગમે તેમ સ્પીડમાં જાય છે. હજુ 13 જાન્યુઆરીએ રાત્રે અહીં જ એક ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને આજે ફરી આ અકસ્માત થયો છે. શું સરકાર આની જવાબદારી લેશે? #આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ #વડોદરા #📽 CCTV વીડિયો
8 likes
3 shares
#😯કફ સીરપ પીધા બાદ બાળકીનું મોત, વડોદરા: માતા, પિતાના મોત પછી દાદા, દાદી સાથે રહેતી પાંચ વર્ષની બાળકીને શરદી થઇ હોઇ તેના કાકાએ શરદીની સિરપ આપી હતી. ત્યારબાદ આજે સવારે તેનું મોત થતા બાળકીની માસીએ શંકાસ્પદ મોત થયાના આક્ષેપ કરતા ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે. ગોરવા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇલોરાપાર્ક આત્મજ્યોતિ આશ્રમ પાસે કાનન ફ્લેટમાં રહેતા ૮૬ વર્ષના મનસુખભાઇ દેવજીભાઇ ઠક્કર અને તેમના પત્ની અંજુબેન નિવૃત્ત જીવન ગુજારે છે. મનસુખભાઇના પુત્ર હર્ષદભાઇ અને તેમના પત્નીનું ત્રણ વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ તેમની એક દીકરી ધ્યાની (ઉં.વ.૫) દાદા, દાદી સાથે વડોદરામાં અને બીજી દીકરી માસી રૃપલબેન સાથે ખંભાતમાં રહેતી હતી. ધ્યાનીની તબિયત સારી નહીં હોવાના કારણે ગઇકાલે રાત્રે તેના કાકા શૈલેષ ઠક્કર (રહે. ઓમકારેશ્વર રેસિડેન્સી, રામા કાકાની ડેરી પાસે, છાણી જકાતનાકા) એ આપેલી કફ સિરપ પીવડાવી હતી. રાત્રે બાળકીની તબિયત વધારે બગડતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાંથી બીજી હોસ્પિટલમાં રિફર કરાઇ હતી. પરંતુ, બાળકીનું મોત થયું હતું. બાળકીની માસી રૃપલબેને પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, ધ્યાનીને જે દવા પીવડાવી હતી. તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપી હોઇ શંકાસ્પદ છે. તેના કારણે જ તેનું મોત થયું છે. જેથી, ગોરવા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એન. લાઠિયાની સૂચના મુજબ, પી.એસ.આઇ.એમ.કે.વાળાએ બાળકીના મૃતદેહનું ગોત્રી હોસ્પિટલમાં પેનલ પી.એમ.કરાવ્યું છે. પી. એમ. નો ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી બાળકીના મોતનું સાચું કારણ જાણવા મળશે. #આજના સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #વડોદરા
80 likes
1 comment 102 shares