અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા

2K Posts • 770K views
c.j. jadav
645 views 1 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 100 સંતો બે દિવસ પછી નીકળી મોરબી પહોંચ્યા, ત્યાં નદીએ નહાવા જતાં, અસાધારણ ધુમ્મસ થયેલું હતું. બાજુમાં કોણ ઊભું છે તે પણ ન દેખાય. મુક્તરાજ મનસુખભાઈ કહે : “આજે આવો દિવસ છે તે બાપાશ્રી દેહોત્સવ કરવાના હોય તેનું ચિહ્ન તો નથી ને?” સ્વામી દેવજીવનદાસજીનું હૈયું ફરી ભરાઈ આવ્યું. ત્યાં ફરી તેમને સદ્દગુરુશ્રીના દર્શન થયાં, કહે : “તમને સરાના મંદિરમાં કહ્યું છે, તોય કેમ ઉદાસ થઈ જાઓ છો?” ત્યારે સ્વામી દેવજીવનદાસજી શોક રહિત થયા ને મોરબીથી ભુજ થઈ વૃષપુર આવી બાપાશ્રી તથા સદ્ગુરુશ્રીના દર્શન કર્યા. એક વાર જમિયતપુરા ગામના હરિભક્તોને થયું કે વરસાદ વરસી રહ્યો છે, ને ખેતરમાં જવાતું નથી અને નવરાશ છે. અત્યારે જો સદ્ગુરુશ્રી પધારે તો કથા-વાર્તા, જોગ— સમાગમનો સૌને ખૂબ લાભ મળે. આમ વિચારી તેઓ સદ્ગુરુશ્રી પાસે અમદાવાદ આવ્યા ને પ્રાર્થના કરી. સ.ગુ.શ્રી વૃંદાવનદાસજી સ્વામી પણ ત્યાં હાજર હતા. તેઓશ્રી કહે: “આવા વરસાદમાં સંતોને બહાર નહાવા જવા-આવવાનું ફાવશે નહિ.” ત્યારે સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બોલ્યા કે જવું હોય તો વરસાદને રજા આપી દઈએ! હરિ-ભક્તોને પ્રેમભર્યો આગ્રહ જોઈને સદ્ગુરુશ્રીએ જમિયતપુરા પધારવાની હા પાડી. બીજે જ દિવસે સંતો સહિત ત્યાં પધાર્યા. જેવા અમદાવાદથી નીકળ્યા કે વરસાદ બંધ થઈ ગયો. સંતમંડળ તે ગામ સત્તર દિવસ રોકાયા. હરિભક્તોને કથા-વાર્તાના દિવ્ય આનંદમાં રાજી કર્યા. જમિયતપુરા ગામના હરિભક્તોને સદ્ગુરુશ્રી માટે અતિશય અહોભાવ થઈ ગયેલો, તેમ છતાં માતાજીના કે અન્ય જૂના મતમતાંતરોને વળગી રહેલા કચરાભાઈ પટેલને દર પૂનમે બહુચરાજી માતાજીના દર્શને જવાનો નિયમ હતો. સદ્ગુરુશ્રીએ એ જાણ્યું ત્યારે એમને ભગવાન શ્રી સ્વામિ-નારાયણનો મહિમા સમજાવી બહુચરાજી ન જવા માટે સમજાવ્યા અને દર અગિયારસે અમદાવાદ દર્શને આવવા કહ્યું. ત્યારે કચરાભાઈ કહે : “બહુચરાજી તો બહુ મોટાં દેવી છે. અલ્લાઉદ્દીન ખીલજી બાદશાહના લશ્કરના સૈનિકોના પેટમાં કુકડા બોલાવ્યા હતા. તેમની રાખેલી બાધા પાર પાડવી જોઈએ.” સદ્ગુરુશ્રી કહે: “એ માતાજી તમારા પેટમાં કુકડા નહીં બોલાવે! એ ડર છોડી તમે અમારી આજ્ઞાથી દર અગિયારસે અમદાવાદ શ્રીજીમહારાજના દર્શને આવજો.” તે પ્રમાણે કચરાભાઈ અમદાવાદ-સરસપુર મંદિરે દર્શને જતા ને ખૂબ બળિયા સત્સંગી થયા અને તેમનું આખું કુટુંબ પણ ભગવદીય બની ગયું. 🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
16 likes
5 shares