Ame Surati
581 views
1 days ago
#સુરત સમાચાર #📰 5 ડિસેમ્બર ના સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં તાલીમ મિશન દરમિયાન ભારતીય વાયુસેનાનું સુખોઈ-30MKI ફાઇટર જેટ ક્રેશ થતાં બે પાઇલટનું કરુણ મો/ત થયું છે. મૃત પાઇલટમાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરાગકરનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ વિમાને 5 માર્ચની સાંજે લગભગ 7:42 વાગ્યે જોરહાટ એરબેઝ પરથી નિયમિત તાલીમ મિશન માટે ઉડાન ભરી હતી. ઉડાન બાદ થોડા સમય પછી વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. ત્યારબાદ શોધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પછી માહિતી મળી કે જોરહાટથી આશરે 60 કિમી દૂર કાર્બી આંગલોંગ જિલ્લાના પહાડી વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું. સ્થાનિક લોકોએ જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો અને ટેકરીઓમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ભારતીય વાયુસેનાએ બંને પાઇલટના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ શોક વ્યક્ત કરતા કહ્યું કે રાષ્ટ્ર તેમની બહાદુરી અને સેવા હંમેશા ગર્વ સાથે યાદ રાખશે. #IAF #Su30MKI #AssamCrash #IndianAirForce #Sukhoi30MKI Su-30MKI crash | Assam fighter jet crash | IAF pilots death | Jorhat airbase mission | Indian Air Force news IAF Su-30MKI Fighter Jet Crash In Assam: Two Indian Air Force Pilots Dead