🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે રામપ્રતાપભાઇના મોટા પુત્ર નંદરામજી તથા ઠાકોરરામજી એ બન્ને ભાઇ કોઇક કારણસર ગામ ખુરદ્વાર વિષે ગયા. ત્યારે ત્યાં ક્ષત્રી બાબુરામની હવેલી પાસે ચોકમાં મલ્લ અખાડામાં ગામના કેટલાક બ્રાહ્મણ મલ્લ તથા કેટલાક ગરાસીયા મલ્લ એ સર્વે મળીને મલ્લ કુસ્તીની રમત ઘણીવાર સુધી કરી. પછી એક મોટી કડીયાળી લાકડીને ઠેબે બંદુકો અને તેર તરવારો બાંધીને એમને એમ અદ્ધર ઉપાડી લેવી, એવી રીતની રમતને કરતા હતા. તે સમયે આ બન્ને ભાઇ ત્યાં જઇને તે રમત જોવા માટે કેટલીકવાર સુધી રહ્યા. તો પણ કોઇ તે લાકડીને ઉપાડી શક્યા નહીં. અને સર્વે હારીને પાછા બેઠા. ત્યારે ગામ લોહગંજરીનો આચાર્ય સંધ્યાગીરી બાવો ત્યાં હતો. તેણે નંદરામભાઇને જોઇને કહ્યું જે, નંદરામજી! આવો, તમો લાકડીને ઉપાડો. તેવું સાંભળીને બોલ્યા જે, બાબુ ઘનશ્યામકી ઇચ્છા હોયગી ! ત્યારે કહે હા, હોયગી એમ કહ્યું કે, તુરતજ હજારો માણસોને દેખતે સતે ઘનશ્યામ મહારાજનું નામ લઇને તે લાકડીનું ઠેબુ એક હાથે ગ્રહણ કરીને ચડપ લઈને ઉપાડી લીધી. તે ચરિત્ર જોઇને સર્વેજન મહા આશ્ચર્ય પામતાં હતાં. એવી રીતના તે નંદરામભાઈ તે પણ મહા કાંડાબળીયા હતા.
વળી એક સમયે તે નંદરામભાઈ લોહગંજરી રહેતા હતા. તે વખતે પોતાના ઘરમાં ચોરી કરવા માટે ચોર પેઠા. તે વાતની પોતાને ખબર પડી તે ઉઠીને ચોરનાં બે કાંડાં પોતાના એક હાથમાં પકડયાં. તે એમને એમ ચોરના હાથ ભાંગી ગયા પરંતુ છોડ્યા નહિ. એવા મહા કાંડા બળિયા હતા.
🍃🍃🌼🍃🍃
#✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗