c.j. jadav
2.3K views
25 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           પછી મહારાજનાં દર્શન કરીને તે માણેકધર ગઢપુર થી ચાલ્યા, તે પછી થોડાક દિવસમાં પોતાના ગામ પહોંચી ગયા. ત્યારે પોતાની પત્નિએ સર્વે સમાચાર પૂછીને કહ્યું જે, તમારા ભાઇએ શું આપ્યું ? ત્યારે બોલ્યા જે, મેં કંઇ તેમની પાસે માગ્યું નહિ અને હું તૈયાર થઇને તે સભામાં બેઠા હતા ત્યાં મળવા ગયો, ત્યારે મેં જાણ્યું જે, મને કંઇક આપશે. પરંતુ કંઇ આપ્યું નહિં. અને મળીને અમોને એક ગાઉ સુધી વળાવવા પણ આવ્યા હતા. એમ કહ્યું. ત્યારે તે બાઇ બોલી જે, તમો સાતસો ગાઉ જઇ આવ્યા પરંતુ તમને કંઈ સુખદુઃખની વાર્તા ન કરી અને એમને એમ જેવા ગયા તેવા પાછા વળી આવ્યા, એમ કહીને વળી બોલી જે હશે, તે ભગવાન જે કરતા હશે તે ઠીક કરતા હશે. એમ કહીને પોતાના મનમાં સંતોષ પામતી હતી. પરંતુ પોતાના સ્વામીનો તથા શ્રીઘનશ્યામ મહારાજનો લેશમાત્ર અવગુણ લીધો નહિં. ત્યારે શ્રીજી મહારાજ અંતર્યામીપણે જાણીને તત્કાળ ભારે વસ્ત્ર ઘરેણાં સહિત તેમના ઘેર જઈને પોતાનું દર્શન દેતા સતા બોલ્યા જે, હે માણેકધરભાઇ! મેં તમોને કંઈ ન આપ્યું, પરંતુ તમો બંને જણે અમારો અવગુણ લગાર પણ લીધો નહિં. તેથી અમો બહુ રાજી થયા. એમ કહીને એક હેમના કંદોરા સહિત ભારે ઉતરી આપીને બોલ્યા જે, આ તમારી ઘંટી નીચે રૂપીયાનો ભરેલો એક ચરૂ છે તે તમો કાઢી લેજો. અને તમો ગઢપુર આવ્યા હતા. તે સમયે અમો તમને કંઈક આપત તો ખરા, પણ તમો અહીં કેવી રીતે લાવી શક્ત. વચ્ચે મહા ઝાડી અને પર્વતના માર્ગ બહુ કઠણ છે. તેથી ચોર લૂંટી લેત. એમ જાણીને અમોએ કંઇ ન આપ્યું. એમ કહીને જમવા બેઠા. એટલે તે બાઇ અતિ હર્ષને પામતી થકી થાળીમાં પૌંઆ, દહીં અને સાકર આપી. તે જમી ચળુ કરીને અદ્રશ્ય થઇ ગયા. તે જોઇને બંને જણ મહા આશ્ચર્ય પામતાં સતાં તે ઘંટી તળે જોયું ત્યાં તો રૂપીયાનો ભરેલો એક ચરૂ નીકળ્યો. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના મશીયાઇભાઈ તથા તેમની પત્નિની ધીરજ જોઈને અવગુણ ન લેવાથી, ખરી વખતમાં રક્ષા કરી.                             🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ