c.j. jadav
670 views
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           રામાનંદસ્વામી તો સરજુદાસજી ને જોઈને બહુ આનંદ પામતા હતા. અને તેમનું વૃતાન્ત સર્વે તેને પૂછવા લાગ્યા. પછી તે સરજુદાસજી પોતાનું જન્મસ્થાન, કુળ, માતા-પિતા, ગોત્ર, વેદ, પ્રવર, ગુરુ, ઇષ્ટદેવ એ સર્વેને જેમ છે તેમ કહેતા હતા. તથા પોતાનો વૈરાગ્ય તથા પોતે જેમ સ્વજનનો ત્યાગ કર્યો તથા પોતે જેમ વનમાં નિવાસ કરીને રહ્યા તથા પોતે જેમ નાના પ્રકારે તપશ્ચર્યા કરી તથા પોતે જેમ અષ્ટાંગયોગ સાધ્યો તથા પોતે જેમ તીર્થયાત્રા કરી તથા તે તીર્થમાં રહેનારા જે પાખંડી ગુરુ તેનો જેમ પોતે પરાભવ કર્યો એ આદિક જે જે સર્વે પોતાનું વૃત્તાંત તેને વિસ્તારે સહિત અનુક્રમથી કહેતા હતા. ત્યારે તે સાંભળીને સ્વામી અતિશય પ્રસન્ન થયા.અને શ્રીનીલકંઠ બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા જે, હે બ્રહ્મચારી ! તમો તો અમારા છો, કેમ જે, તમારા પિતા ધર્મદેવ પ્રથમ પ્રયાગક્ષેત્રને વિષે અમારાથી જ ભાગવતી દીક્ષા પામ્યા હતા.અને અમારી આજ્ઞાથી મુમુક્ષુજનને ધર્મ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિનો ઉપદેશ કરતા થકા કોશલ દેશમાં રહ્યા હતા. તે ધર્મદેવના તમો પુત્ર છો. અને ગુણથી તો તમારા પિતાથી પણ અધિક છો. એવી રીતનાં વચન સાંભળીને સરજુદાસજી અતિશય પ્રસન્ન થઇ સ્વામી પાસે રહેતા હતા. પછી સંવત્ (૧૮૫૭) અઢારસો સત્તાવનના કાર્તિક સુદી ૧૧ એકાદશીના દિવસે તે સ્વામી થકી ભાગવતી દીક્ષાને ગ્રહણ કરતા હતા. ત્યારે તે સ્વામીએ શ્રીસહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ એ બે નામ પાડયાં. પછી પોતે અતિ પ્રીતિએ કરીને તે સ્વામીની સેવા કરતા હતા. ત્યારે રામાનંદ સ્વામીએ સર્વે ગુણે સંપન્ન અને અતિ સમર્થ એવા, શ્રીનારાયણ મુનિને જોઇને પોતાની ધર્મધૂરા તે નારાયણ મુનિને સુપ્રત કરીને, પોતે સંવત્ (૧૮૫૮) અઢારસો ને અઠ્ઠાવનના માગસર સુદી ૧૩ તેરસના દિવસે દેહનો ત્યાગ કરીને, પાછા બદરિકાશ્રમને વિષે પધાર્યા અને દુર્વાસાના શાપથી મુકાયા. પછી શ્રીસહજાનંદ સ્વામી પોતાના ગુરુની દેહક્રિયા યથાવિધિ કરીને તે ધર્મધુરાને ઉપાડી લેતા હતા.અને રામાનંદ સ્વામીના આશ્રિત જે સાધુ બ્રહ્મચારી તથા ગૃહસ્થો હતા તેમને સત્શાસ્ત્રનો ઉપદેશ કરીને સંભાવના રાખતા હતા અને તેમને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિષે તેમના ચિત્તને તાણી લેતા હતા. ત્યાર પછી સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ પોતાના શિષ્ય જે, ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા કેટલાક ગૃહસ્થ સત્સંગી તેમણે વિટાંણા થકા સોરઠ, હાલાર, કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ,દંઢાવ્ય, ભાલ, ગુજરાત એ આદિક જે સર્વે દેશ તેને વિષે પોતાના પ્રતાપને વિસ્તારતા થકા અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યયુક્ત જે ભક્તિ તેને પ્રવર્તાવતા થકા અને અધર્મનો ઉચ્છેદ કરતા સતા અને અધર્મી એવા જે પાખંડી અસુરાંશ ગુરુ તેનો પરાભવ કરતા થકા વિચરતા હતા. અને શ્રીજી મહારાજ જે જે દેશને વિષે વિચર્યા તે તે દેશના જે જન, તે શ્રીજી મહારાજનાં અલૌકિક આશ્ચર્ય જોઇને ઘણાક આશ્રિત થઇને પ્રગટ પ્રમાણ ભજન કરતા હતા. પછી શ્રીજી મહારાજ તે તેમના ઉત્સાહને અર્થે, તેમની બુદ્ધિની દ્રઢતાને અર્થે, પોતાનું જે નાના પ્રકારનું ઐશ્વર્ય સમાધિએ કરીને દેખાડતા હતા.                          🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ