c.j. jadav
1.4K views
7 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...                વળી એક સમયે નંદરામભાઈ, ગોપાળજીભાઇ, સીતારામજી, સફલમામા, મંછારામ, કનૈયારામ, પાળા કરસન ભગત, તથા પાળા જાલમ મોટા એ સર્વે મળીને ગુજરાત દેશમાંથી હિન્દુસ્તાન દેશમાં જતા હતા. તે વિંધ્યાચળની ઝાડી ઉલ્લંઘીને અડા નદીએ જ્યારે ગયા, ત્યારે તે નદીમાં ભીલ પોતાનાં હથિયાર તીર-કામઠે સહિત બાંધીને બેઠા હતા. તેને દેખીને સુફલમામા પોતાના અંતઃકરણમાં કંપારી ખાઇને બોલ્યા જે, હે નંદરામભાઈ ! તમે મહાબળવાન છો. પરંતુ આ સમયે તમો કંઇ આ ભીલ સામા થશો નહીં. કંઈ બોલશો નહીં કેમ જે, આપણે તો થોડા જણ છીએ અને આ ભીલ તો એક હજારને આશરે છે. માટે કોઇકને વગાડીને નુકસાન કરશે અને અંતે લુંટશે પણ ખરા. માટે જેમ શ્રીજી મહારાજની ઇચ્છા હશે તેમ થશે. એમ કહીને દીલગીર થઇ ગયા. ત્યારે સુફલમામાને દીલગીર થયેલા જાણીને નંદરામભાઇના મનમાં એવો ઘાટ થયો જે, ભારે વસ્ત્રઘરેણાં અમારા કાકા જે શ્રીજી મહારાજે તેમણે અતિ પ્રસન્ન થઈને અમોને આપ્યાં છે, તે સર્વે આ ભીલ લઇ જશે અને જો હું સામો થઉં તો ન લેવા દઉં. પરંતુ અમારા મામાએ ના પાડી છે. હવે કેમ કરવું? હે શ્રીજી મહારાજ ! આખરી વખતમાં અમારી લાજ રાખવી તમારા હાથમાં છે. નહીં તો મરવાનો સમય આજે આવ્યો છે. એવી રીતનો સંકલ્પ થયો. એટલામાં તો શ્રીજી મહારાજ પોતાના કુટુંબીની ખરા વખતમાં સહાય કરવા માટે રોઝા ઘોડા ઉપર બેઠેલા અને હાથમાં મોટો ભાલો લઇ તત્કાળ આવી, સર્વે ભીલને અનંતરૂપે દેખાતા હતા. તે જોઈને એ સર્વે ભીલ મહા ભય પામીને મરવાની બીકથી નાસી ગયા. ત્યાર પછી તેમને પોતાનું દર્શન દેતા સતા તે નદી અને પર્વતનો મહા વિકટ માર્ગ ઓળંગાવીને અદ્રશ્ય થઇ ગયા. તે જોઇને પાળા કરસન ભગત બોલ્યા જે, હે નંદરામભાઇ ! જુઓ, આખરી વખતમાં શ્રીજી મહારાજે આપણી કેવી રક્ષા કરી ? એમ કહેતા સતા તે સર્વે શ્રીજી મહારાજનું સ્મરણ કરતા કેટલેક દિવસે સુખેથી છપૈયાપુરને વિષે પહોંચી ગયા.                             🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ