c.j. jadav
697 views
9 hours ago
🥀श्री हरि चरित्र-whatsapp🥀: Jay Swaminarayan: 🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...            પછી સુંદરજીભાઇએ પૂછયું જે, હે મહારાજ ! સતયુગ, ત્રેતાયુગ તથા દ્વાપરયુગ એ ત્રણે યુગને વિષે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે સુદર્શન ચક્રને મોકલતા અને તે ચક્રે કરીને ભક્તની રક્ષા કરતા અને કળીયુગને વિષે ચક્ર મુકીને કેમ હવે પોતાના ભક્તની રક્ષા કરતા નથી ? હળાહળ કળિને વિષે ભગવાનનું ભજન કરે છે. તેની ભગવાનને રક્ષા કરવી જોઈએ એ પ્રશ્નો ઉત્તર કરો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તેજ સુદર્શનચક્ર છે અને તે સુદર્શન ચક્રને વિષે દશ હજાર સૂર્યનો પ્રકાશ છે. તે જુઓને જ્ઞાનને વિષે પણ એટલો પ્રકાશ છે. જે જીવના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધારૂં છે. તેને ચંદ્રમા તથા સૂર્ય તથા પ્રલયકાળનું મહાતેજ તે કોઇ ટાળવાને સમર્થ નથી. પણ જ્ઞાન તે અંધારાને ટાળી નાખે છે. તે જુઓને દશ હજાર સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશ છે. અને સુદર્શનચક્ર સતયુગને વિષે તથા ત્રેતાયુગને વિષે ભગવાનના ભક્તની રક્ષા કરતું અને આજ કળિને વિષે તેનું તેજ રક્ષા કરે છે. ત્યારે તમે કહેશો જે, કઇ રીતે રક્ષા કરે છે? તે કહીએ છીએ તે સાંભળો. જ્યારે પ્રભુનો ભક્ત હોય તેના હૃદયમાં કામક્રોધાદિકના ભૂંડા ઘાટ થાય છે. ત્યારે તે ભક્તને એવો વિચાર રહે છે જે, મને ભગવાન મળ્યા છે. અને હું એવા મોટા લાભને મૂકીને ભગવાનનું વચન લોપીને કુમાર્ગે કેમ ચાલું? તેને જ્યારે આવો ભગવાનના નિશ્ચય યુક્ત પોતાના મનમાં વિચાર થાય છે ત્યારે તે ઘાટ ટળી જાય છે. તે પોતે ભક્તજનના શત્રુ તે તો કામક્રોધાદિક છે તે થકી રક્ષા પણ જ્ઞાનરૂપી સુદર્શનચક્ર કરે છે. માટે કળિને વિષે જો ભગવાન સુદર્શન ચક્ર મૂકીને અંબરીષ રાજાની પેઠે રક્ષા ન કરતા હોય તો એનાથી વર્તમાન પડે નહીં અને ભગવાનનું ભજન પણ થાય નહીં અને કામક્રોધાદિક તો એવા જબરા છે જે, શિવબ્રહ્માદિકને પણ ભૂલાવ્યા છે. તો પછી જીવનો તો શો ભાર ? માટે ભગવાન પોતાના ભક્તની જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર મૂકીને સર્વે કાળને વિષે રક્ષા કરતા આવે છે. એવી રીતની ઘણીક વાર્તા કરી તે સાંભળીને સર્વે સંત હરિભક્તને શ્રીજી મહારાજને વિષે પ્રગટ પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો હતો. ત્યાર પછી બીજે દિવસે ભગવાનજીભાઈને ઘેર જમવા પધાર્યા. ત્યારે રસોઇને થોડીક વાર હતી એટલે ભગવાનજીભાઈએ પોતાની ઓસરીમાં ચાકળો નાખીને તેના ઉપર બિરાજમાન કર્યા, ત્યારે તે સમયે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ ! જનક તે શું અને જાનકી તે શું? અને રઘુનાથજીએ ધનુષ્ય ભાગ્યું તે શું ? ત્યારે અતિ પ્રસન્ન થકા બોલ્યા જે, જનક તે ગુરુને કહીએ. અને જીવ તે જાનકીને અને સમજણ તે ધનુષ્ય છે. માટે તે ગુરુના ઉપદેશથી જીવની સવળી સમજણ થાય તે જીવને ભગવાન વરે. એટલી વાર્તા કરીને જમવા પધાર્યા. તે જમી રહ્યા પછી ભાલને વિષે ચંદનની અર્ચા કરીને કંઠમાં પુષ્પના હાર પહેરાવીને એક ભારે હેમની ઉતરી, કડાં, વેઢ, વીંટી, કંદોરો એવી રીતે ઘરેણાં અંગોઅંગને વિષે ધારણ કરાવી ભગવાનજીભાઈ બોલ્યા જે, હે મહારાજ ! આવી રીતે મેં રામાનંદ સ્વામીને જમાડીને આ સર્વે ઘરેણાં હું પહેરાવવા લાગ્યો, ત્યારે સ્વામીએ પહેર્યાં નહીં અને બોલ્યા જે, આવા ભારે દાગીના અમારાથી હવે ન પહેરાય, અને તેના પહેરનાર થોડાક દિવસમાં અહીં આવશે એટલે તેમને પહેરાવજો.એમ કહીને પાછા મૂકાવ્યા હતા, તે હે મહારાજ ! આજે તમોને પહેરાવ્યાં. એમ કહીને બે હાથ જોડીને વિનંતીપૂર્વક પગે લાગતા હતા. પછી ત્યાં થકી ઉતારે આવીને સાંજની વખતે ગાદી તકીયા ઉપર ઉગમણે મુખારવિંદે બિરાજમાન થયા અને બાજુમાં સર્વે સંત હરિભક્તો બેઠા. તે જ્યારે સૂર્ય અસ્ત પામ્યો તે સમયે શ્રીજી મહારાજની મૂર્તિ સૂર્યના જેવી પ્રકાશેયુક્ત જણાતી હતી. ત્યારે ભગવાનજીભાઇએ જાણ્યું જે, આ મુક્તાનંદ સ્વામીને આવું શ્રીજી મહારાજનું પ્રકાશેયુક્ત દર્શન થતું હશે કે નહીં ? એમ જાણીને મુક્તાનંદ સ્વામીના મુખ સામું જોઇને બોલ્યા જે, હે સ્વામિન્ ! તમોને કંઇ શ્રીજી મહારાજનું ઐશ્વર્ય જણાય છે ? ત્યારે કહે હા જણાય છે. એમ કહીને આનંદ પામતા હતા. ત્યાર પછી બે સંત ગામ કાળાતળાવે રામાનંદ સ્વામીનું બંધાવેલું સદાવ્રત હતું, તે સદાવ્રત અંગે કંઇ કામ હશે તે માટે ત્યાં જવાનો સંકલ્પ ધારીને તૈયાર થઇ આજ્ઞા લીધા સિવાય ચાલવા જાય છે. ત્યારે તે બન્ને સંતના અંતરના ઘાટ જાણીને બોલ્યા જે, ભગવાનને ભગવાન જાણીને કંઈ બીજું કરવાને ઇચ્છવું નહીં અને પોતાને કૃતાર્થ માનીને સહેજે ભજન સ્મરણ થાય તે કરવું. પણ કોઇ વાતનો આગ્રહ મનમાં રાખવો નહીં. જેમ ભગવાનની મરજી હશે તેમ થશે. અને પોતાને મનને જાણ્યે કંઇ કરવું નહીં અને કામાદિક જે મોટા વિકાર છે, તે તો ભગવાન વિના પોતાના બળે ટાળવા જાય તે ઘણો હેરાન થાય. માટે ભગવાનની આજ્ઞાએ કરીને જે જે સાધન કરેતો તે કામાદિક શત્રુનો તત્કાળ નાશ થઈ જાય છે. માટે ભગવાનનું બળ રાખીને તે પ્રગટ ભગવાન જેમ આજ્ઞા કરે તેમ કરવું, પણ ભગવાનને મૂકીને ફક્ત સાધનનું બળ રાખવું નહીં. એમ કહીને વળી બોલ્યા જે, આજ દિવસ પછી સત્સંગમાં ધારણા ધ્યાનનું પ્રકરણ ઘણું થશે અને સત્સંગ પણ વૃદ્ધિને પામશે. એવી રીતની ઘણીક વાત તે બન્ને સંતને કરી. તે સાંભળીને તેમનાં અંતઃકરણ શીતળ થઇ ગયાં.અને વિનંતીપૂર્વક પગે લાગીને પાછા પોતાના આસને જઈને બેસતા હતા.                        🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ