c.j. jadav
12.2K views
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...            હે રામશરણજી ! શ્રીરામાનંદ સ્વામી દેહોત્સર્ગ કર્યા પછી શ્રીજી મહારાજ સોરઠ દેશમાં કેટલાક દિવસ વિચર્યા થકા પોતાનો મહા અલૌકિક પ્રતાપ જણાવીને, જે શ્રીરામાનંદ સ્વામીના આશ્રિતો હતા તથા બીજા કેટલાક જન તે સર્વેને પોતાના સ્વરૂપનો યથાર્થ દ્રઢ નિશ્ચય કરાવીને પોતાના શિષ્ય શ્રીભુજનગરમાં રામાનંદ સ્વામીના સત્સંગી જે રથકાર સુંદરજીભાઈ, હીરજીભાઈ તથા ભગવાનજીભાઈ તથા ગંગારામ મલ્લ તથા ડોસાભાઈ તથા કાયસ્થ મહેતા શિવરામભાઈ તથા મહેતા હરજીવનભાઈ તથા લાધીબાઇ એ આદિક બીજાં કેટલાંક હરિજન બાઈભાઈ તેમણે અતિ આદર વડે સન્માન કરીને ભગવાનજી-ભાઈના ડેલામાં ઉતારો કરાવતા હતા. અને ત્યાં શ્રીરામાનંદ સ્વામીનું સદાવ્રત બાંધેલું હતું. તે સદાવ્રત લેવા માટે પૂર્વ દેશના બે વૈરાગી આવ્યા.તેને શીરોપુરી કરીને શ્રીજી મહારાજે પોતે બહુ હેત દેખાડીને જમાડ્યા, એટલે તેમને બહુ સારૂં લાગ્યું. અને કેટલાક દિવસ ભેગા રહ્યા. અને સમાધિઓ આદિક ઘણોક શ્રીજી મહારાજનો પ્રતાપ ઐશ્વર્ય જોઇને અંતરમાં શાંતિ પામતા હતા. પછી એક દિવસે શ્રીજી મહારાજે તેમને પૂછ્યું જે, તમો ક્યાંથી આવ્યા છો? ત્યારે તે વૈરાગી બોલ્યા જે, અમો તો સરવરીયા બ્રાહ્મણના પુત્ર હતા, બાળપણામાંથી જ ઘરનો ત્યાગ કરીને કલ્યાણને અર્થે જગન્નાથપુરીમાં મૂંડાઇને રહ્યા હતા. પછી એક નાનો બ્રહ્મચારી પંચતીર્થી કરતો સતો તપસ્વીના વેષે ત્યાં આવ્યો. તેણે ત્યાં રહેનારા બીજા કેટલાક વૈરાગીઓને પરસ્પર વિરોધ કરાવ્યો, તેથી કેટલાક વૈરાગી કપાઈ મૂવા અને કેટલાક ઘાયલ પણ થયા અને અમો બે જણ તો જીવ લઈને નાઠા તે બચી ગયા.એટલે કેટલાંક તીર્થમાં ફરતા ફરતા શ્રીદ્વારિકાનાથ જતા હતા.તે આ સદાવ્રત લેવા સારૂં અહીં આવ્યા અને આ તમારો યોગ થયો. તેથી અહીં અમારા અંતરમાં શાંતિ થઇ. એવી રીતે વિસ્તારે સહિત વાર્તા કરી તે સાંભળીને શ્રીજી મહારાજ મંદમંદ હસીને બોલ્યા જે, હવે દ્વારકાનાથ જાઓ. ત્યારે કહ્યું જે, હે મહારાજ ! હવે તો ક્યાંય જવું નથી. તમારા ભેગું અહીં સત્સંગમાં રહેવું છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, શું સમજીને રહેશો? અને સમજ્યા વિના તો જગતમાં પણ કોઇ રહેતું નથી અને જેને એમ સમજાણું છે જે, આપણે શહેરમાં રહેવું તે ઠીક છે તે શહેરમાં રહે છે અને જેને એમ જાણ્યું છે જે, આપણે ગામડામાં રહેવું તે ઠીક છે, તે ગામડામાં રહે છે. અને જેને વન પર્વતમાં રહેવું ગમે છે તે ત્યાં રહે છે. માટે આ સંસારમાં જ્ઞાની અથવા અજ્ઞાની તે સર્વે સમજણને વિષે રહે, પણ શહેર આદિક જે રહેવાનાં ઠેકાણાં કહ્યાં છે. તેમાં કોઇ રહેતું નથી. માટે આ બધું વિશ્વ સમજણને વિષે રહે છે. અને તમો અમારા સત્સંગમાં શું સમજીને રહેશો ? ત્યારે બોલ્યા જે, હે મહારાજ ! અહીં તમારા સત્સંગને વિષે કલ્યાણનું ઠેકાણું અમે જોયું. તેથી અમો મનમાં તપાસ કરીને રહ્યા છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, દ્વારકાનાથ જાઓ, અગર બદ્રિનારાયણ જાઓ, તે સર્વે કલ્યાણનાં ઠેકાણાં છે, તેવું સાંભળીને અતિ નિર્માની થકા બોલ્યા જે, હે મહારાજ ! અમારે તો તમારાં દર્શનને વિષે સર્વે સાધન સંપૂર્ણ થઇ રહ્યાં છે. અને જેમ તમો કહો તેમ કરવું છે, અને તમો જ્યાં મોકલશો ત્યાં અમારે રાજી થઇને જવું છે. તેવાં દીનપણાનાં વચન સાંભળીને બહુ પ્રસન્ન થતા હતા.                          🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗