#અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર ઉત્તરાયણ પર્વ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ બસ સેવાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તા. 14/01/2026 ના રોજ ઉત્તરાયણના દિવસે મનપાની તમામ 367 BRTS બસ સેવાઓ સદંતર બંધ રહેશે. BRTS કોરિડોરમાં પતંગ ચગાવા, દોરી અને સંભવિત અકસ્માતની શક્યતાઓને કારણે આ નિર્ણય લેવાયો છે. આ દિવસે સિટી બસ સેવા માત્ર 30 ટકા શિડ્યુલ સાથે ચાલુ રહેશે. ત્યારબાદ તા. 15/01/2026 ના રોજ BRTS બસ સેવા 30 ટકા શિડ્યુલ સાથે અને સિટી બસ સેવા 50 ટકા શિડ્યુલ સાથે ચલાવવામાં આવશે. શહેરીજનોએ મુસાફરીની યોજના બનાવતા પહેલાં આ વ્યવસ્થા અંગે ખાસ નોંધ લેવા અને સહકાર આપવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.
#Surat #Uttarayan2026 #BRTS #CityBus #PublicNotice
Uttarayan | BRTS bus service | city bus schedule | Surat Municipal Corporation | transport update | kite festival safety | public transport Surat