c.j. jadav
668 views
21 hours ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર....            હે રામશરણજી ! એક સમયે લખનૌ પરગણે ગામ ગોસાઇગંડના હલવાઇ હુકમચંદભાઈ આદિક બીજા કેટલાક હરિભક્તો શ્રાવણ માસમાં હિંડોળામાં ઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા માટે છપૈયાપુર આવતાં, વચ્ચે અયોધ્યાપુરીમાં સરયૂગંગામાં આવ્યાં. તે સમયે પાણીનું ઘણું જોર હતું અને વાયુ તથા વરસાદ પણ ઘણો હતો તેથી તે વહાણ પાણીમાં ત્રણ ઘુમરીયો ખાઇને ડુબવા લાગ્યું. તે જોઈને વહાણનો ખેવટીયો બોલ્યો જે, હે ભાઈઓ ! પોતાના ઈષ્ટદેવને સંભારો. હવે આ વહાણ અમારા હાથમાં નથી. ડુબી જશે. તેવું મહા ત્રાસનું વચન સાંભળીને હુકમચંદના અંતઃકરણમાં ત્રાસ પડ્યો. એટલે ઘનશ્યામ મહારાજને સંભારીને બોલ્યો જે, હે શ્રીજી મહારાજ ! અમો ડુબી જઇશું તો લોકમાં તમારી લાજ જશે. કારણ કે આ અયોધ્યાપુરી અનાદિનું શ્રીરામચંદ્રજી ભગવાનનું ધામ છે અને તે ધામનાં દર્શન પડયાં મૂકીને એમના ગુરુ સ્વામિનારાયણ હમણાં થોડાક દિવસમાં પ્રગટ થયા છે તેમનાં દર્શન ક૨વા સારું છપૈયાપુર જતા હતા તેથી સર્વે પાણીમાં ડુબીને અંતરીયાળ મરી ગયા. એમ કહીને જગતમાં અમારી લોકો હાંસી કરશે, એવી રીતની પ્રાર્થના કરતા હતા. એટલામાં તો તે વહાણની ચારે બાજુ ફરતાં ચાર ચાર ધનુષ્યવા પાણી દૂર થઇ ગયું, એટલે તે વહાણ ભોય ઉપર જઇને બેઠું. પછી શ્રીજી મહારાજે હુકમચંદભાઇને દર્શન દઇને કહ્યું જે, સર્વે વહાણમાંથી નીચે ઉતરીને અંદરથી પાણી કાઢી નાખો. તેવું સાંભળીને હુકમચંદભાઇ તો અતિ આનંદ પામતા છતા, મહારાજનાં દર્શન કરીને સર્વે મનુષ્યોને વહાણમાંથી નીચે ઉતારીને એક તરફ ઉભા રાખીને વહાણને પકડીને એક બાજુ નમાવ્યું. એટલે અંદરથી સર્વે પાણી નીકળી ગયું. પછી તે વહાણમાં સર્વે મનુષ્યો બેઠાં કે તરત કોઇ પાપી ખેવટીયાએ કેયમાં પૈસા ઘાલેલા હતા. તે ભોંય ઉપર નીકળી પડ્યા. એટલે તે પાપી વીણવા લાગ્યો. તે સમયમાં ચારે તરફથી પાણી ભેગું થઈ ગયું અને તે વહાણ તરવા લાગ્યું. તે જોઈને સર્વે જન મહા આશ્ચર્ય પામતાં હતાં. પછી ત્યાં થકી હુકમચંદભાઈ કિનારે ઉતરીને છપૈયાપુર આવીને સર્વે ધર્મકુળને તે વાર્તા કહેતાં હતા.                             🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗