🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૧૪
મુક્ત તો મૂર્તિમાં છે, છે ને છે જ. અનાદિ મુક્તને અમારુ માહાત્મ્ય તથા અમારા વિષે પ્રેમ પરમ એકાંતિક મુક્તથી ઘણા અધિક છે ને અનાદિ મુક્ત તો અમારા રૂપ છે ને અમારી સમગ્ર મૂર્તિમાં લીન રહ્યા થકા સમગ્ર મૂર્તિનું નવીન નવીન સુખ ભોગવે છે. પરમ એકાંતિક મુક્તથી અનાદિ મુક્તને સુખ ઘણું અધિક છે.
(૫) વળી પ્રશ્ન પૂછ્યો: હે મહારાજ ! અનાદિ મુક્ત તમારામાં લીન રહે છે તે અનાદિ મુક્તને તમારે વિષે દાસ-ભાવ કેવી રીતે રહે છે?
શ્રીજીમહારાજ કહે : અનાદિ મુક્ત જેમ અમારો
મહિમા અધિક જાણે છે તેમ જ અમારે વિષે દાસભાવ પણ પરમ એકાંતિકથી અતિ અધિક રહે છે, કેમ કે જેનું સુખ આવે તેને વિષે દાસભાવ રહે જ. પરમ એકાંતિક મુક્તના સમૂહ પણ અનંત ને અપાર છે ને તે મધ્યે હું બિરાજમાન છું ને સર્વે મુક્તને પાસે ને સન્મુખ દેખાઉં છું, એવું મારું અલૌકિકપણું છે, ને તે પરમ એકાંતિક મુક્તને પણ ઊંચું-નીચું તથા પડખે-કેડે એવો ભાવ નથી તથા દેહ-દેહીં ભાવ નથી. દિવ્ય વિગ્રહ ને ચૈતન્યઘન અને દિવ્ય મૂર્તિઓ છે ને જેમ વૃક્ષ સાથે છાલ ચોટી છે તેમ મારી મૂર્તિ સાથે બહારથી જોડાઈ ગયા છે, પણ અનાદિ મુક્તની પેઠે પરમ એકાંતિક મુક્તને મારી મૂર્તિમાં લીન રહેવાની ગતિ નથી, તે મુક્તને સુખ તથા દાસભાવ અનાદિ મુક્તથી ન્યૂન છે. સર્વોત્તમ સ્થિતિ અનાદિ મુક્તની છે ને અનાદિ મુક્ત મૂર્તિ સ્વરૂપ છે.
(૬) વળી પ્રશ્ન પૂછ્યો: હે મહારાજ ! તમારા ભેગા તમારી મૂર્તિમાં કેટલાક મુક્ત અનાદિ કાળથી રહે છે. તેઓ અનાદિ મુક્ત કહેવાય છે તે તો બરાબર છે, પણ જે તમોને ભજીને નવા મુક્ત થયા તેઓ અનાદિ કેમ કહેવાય ?
શ્રીજીમહારાજે કહ્યું : નવાને અનાદિ કહેવાય છે તેનું કારણ એ છે કે જે મુક્ત અમારી મૂર્તિમાં રહે છે તે મુક્તની અનાદિ મુક્ત એવી સંજ્ઞા છે, ને કેવલ્ય મુક્ત તથા નિત્ય મુક્ત ને સર્વાત્માબ્રહ્મ તે પણ અનાદિ મુક્તને જ કહ્યા છે. વળી નવા મુક્ત અનાદિ કહેવાય છે, તે શાથી તો, અનાદિ મુક્તને આદિભાવ અમે ભૂલવી દઈએ છીએ, તેથી તે મુક્તને 'હું અનાદિ કાળથી મૂર્તિમાં જ છું’—એમ વર્તે છે, જેથી નવા મુક્ત મૂર્તિમાં આવે છે તે સર્વેને પણ અનાદિ કહેવાય છે ને તે મુક્તને અમે જ એક દેખાઈએ છીએ, માટે કૈવલ્ય-મુક્ત છે ને અમારા સિવાય અન્ય સર્વથી પર ને મોટા છે તેથી સર્વાત્માબ્રહ્મ કહેવાય છે. વળી, અનાદિ એવા ભગવાનમાં તે અમે – અમારામાં રહે છે ને અમારારૂપ – ભગવાનરૂપ – છે માટે અમને લઈને અનાદિ મુક્ત કહેવાય છે.
આ રીતે શ્રીજીમહારાજે પ્રશ્નોના ઉત્તર કર્યા પછી, પોતે વાત કરી : કેટલાક સ્થૂળ દષ્ટિવાળાને શંકા થાય છે કે એક મૂર્તિમાં અનેક મુક્તો કેમ રહી શકે ? તેનો ઉત્તર એ છે કે અમારી મૂર્તિ તો દિવ્ય, અકળિત ને અમાપ છે ને મૂર્તિની ગતિ તો મૂર્તિમાં રહેનારા મુક્તો જ જાણે છે. આવી રીતે શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામી આદિ સંત મંડળને વાત કરી હતી અને ગોપાળાનંદ સ્વામીએ મને કરી હતી, તે મેં તમને કહી.
વળી, સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ વાત કરી કે : “અનાદિ મુક્તની સ્થિતિની વાત સમજવી ઘણી કઠણ છે તેથી કરીને વિસ્તારથી લખાણી નથી પણ ઘણાંક વચનામૃતમાં તથા સત્સંગી ભૂષણ, બ્રહ્મહ્મસૂત્રભાષ્ય, ભક્તચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય વગેરે ગ્રંથોમાં તથા સદ્દગુરુઓના કીર્તનોમાં, સદ્ગુરુઓની વાતોમાં અનાદિ મુક્તની સ્થિતિ, મૂર્તિમાં રહેવાની વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
🍃🍃🌼🍃🍃
#🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ