Follow
c.j. jadav
@44336850
13,268
Posts
22,932
Followers
c.j. jadav
559 views
19 hours ago
🥀श्री हरि चरित्र-whatsapp🥀: Jay Swaminarayan: 🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           વળી એક સમયે શ્રીજી મહારાજે ગામ શ્રીઅસલાલીને વિષે પોતાના બે દત્તપુત્રોને દેશના વિભાગ કરી આપ્યા, અને સાધુ, બ્રહ્મચારી, પાળા, પણ અડધો અડધ વહેંચી આપ્યા. તેમાં મુક્તાનંદ સ્વામી તથા ગોપાલાનંદ સ્વામી એ બે સદ્ગુરૂને મધ્યસ્થ રાખ્યા, અને એક સમૈયો વડતાલમાં કરવો અને એક સમૈયો અમદાવાદમાં કરવો એવી વાતનો ઠરાવ કરતા હતા. ત્યાર પછી પ્રથમ રામવનમીનો સમૈયો આવ્યો ત્યારે તે સમૈયો કરવા સારૂ વડતાલ આવ્યા અને તે સમયે રામપ્રતાપભાઇ પણ સાથે હતા. ત્યારે શ્રીજી મહારાજની પૂજા થાય તે ભેગી રામપ્રતાપ-ભાઇની પણ પૂજા થાય અને ભેટ પણ આવતી જાય, તે વાતની શંકા થવાથી રામપ્રતાપભાઈ રીસાઈ ચાલી નીકળ્યા. અને તેમની સાથે સુવાસિનીબાઇ પણ ચાલી નિસર્યાં. તે વાતની મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી એ બે સદ્ગુરૂને ખબર પડી. ત્યારે તેમણે જઇને શ્રીજી મહારાજને કહ્યું જે, હે મહારાજ ! ભાઈ તો રીસાઇને અમદાવાદ ગયા. માટે આ તો બહુજ ખોટું થયું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, હે સ્વામિન્ ! અમારૂં વચન તો ભાઈ માનશે નહીં. માટે તમો બન્ને મોટેરા સદ્ગુરૂઓ જાઓ અને ભાઇને સમજાવીને પાછા વાળી લાવો, તમારૂં કહ્યું માનશે. તેવું સાંભળીને તે બન્ને સદ્ગુરૂ ઉતાવળા થકા ત્યાંથી ચાલ્યા તે ભાઇને થોડેક દૂર ગામ બામરોલીના કૂવાની સમીપે પહોંચી મળ્યા. અને બહુ પ્રકારે સમજાવ્યા તો પણ પાછા વળ્યા નહિ. ત્યારે મુક્તાનંદ સ્વામી વિનંતિ પૂર્વક બોલ્યા જે, હે દાદા રામપ્રતાપભાઇ ! તમો આટલો ક્રોધ કેમ રાખો છો ? ત્યારે બોલ્યા જે હે સ્વામી ! અમારામાં તો એકસો ગાડાં ક્રોધનાં છે. તેમાંથી એકગાડું બ્રહ્માંડમાં વહેંચ્યું છે. તેમાંથી શિવ, બ્રહ્મા, મનુષ્ય, દેવ, એ સર્વેમાં ક્રોધ આવ્યો છે. અને બીજાં નવાણું ગાડાં ક્રોધનાં અમારી પાસે છે. તે તમો ક્યાં જાણતા નથી ? માટે તમારે કંઈ મને કહેવું નહીં. અને આ પચાસ કરોડ પૃથ્વીને હું એકરૂપે મારા મસ્તક ઉપર સરસવના દાણાની માફક ધારણ કરી રહ્યો છું અને વળી આ એકરૂપે હું તમારી પાસે ઊભો છું. એમ કહીને પોતાનું મહા અલૌકિક શેષજીરૂપે દર્શન દેતા હતા. તે મહા અદ્ભુત પ્રતાપ જોઇને સ્વામી તો મહા આશ્ચર્ય પામી ગયા. અને વિંનતિપૂર્વક બે હાથ જોડીને પગે લાગી સ્તુતિ કરીને પાછા આવીને તે વાત વિસ્તારે સહિત શ્રીજી મહારાજને કહેતા હતા. ત્યારે બોલ્યા જે, હે સ્વામી ! જુઓ અમો કહેતા હતા જે, અમારા ભાઈ નહીં માને. એ તો સાક્ષાત્ સંકર્ષણનો અવતાર છે.માટે તેમની પ્રકૃતિ સામુ જોવું નહિં. એવી રીતે ભાઇનાં બહુ વખાણ કરીને પાળા ભગુજી પાસે પોતાનો રોઝો ઘોડો મંગાવ્યો અને તે ઘોડા ઉપર સર્વે સામાન મંડાવીને પોતાને બેસવાની જે ગાડી તે જોડાવીને, ગામ ડાંગરવાના અમરાજી તથા ગામ કણભાના ઉમાભાઇ એ બે ગરાસીયાને હથિયાર બંધાવીને કહ્યું જે, હે અમરાજી ! આ ઘોડા ઉપર ભાઈને સમજાવીને બેસારજો અને આ ગાડીમાં તેમનાં પત્નિ સુવાસિનીબાઇને બેસારજો અને તેમને સુખેથી અમદાવાદ પહોંચાડી આવો. એમ કહીને મોકલ્યા. પછી તેમણે જઈને ભાઈને વિનંતિ કરીને ઘોડા ઉપર બેસાર્યા અને દાદીમાને તે ગાદીમાં બેસાર્યા. પછી ત્યાં થકી ચાલ્યા તે ગામ નડીયાદ અને મહેમદાબાદના વચ્ચે શેઢી નદીના સમીપે આવ્યા ત્યારે સાંજ પડી ગઇ. તે સમયે એક મોટા મહુડાના વૃક્ષ નીચે કેટલાક ચોર પોતાના હથિયારે સહિત બેઠા હતા. તેમને દેખીને ઉમાભાઇના મનમાં એવો સંકલ્પ થયો જે, જુઓ, આ રામપ્રતાપભાઇએ મુક્તાનંદ સ્વામીનું વચન માન્યું નહીં અને આ સામા વૃક્ષ નીચે ઘણાક ચોર બેઠેલા છે. હવે કનડશે ખરા. એવી રીતનો સંકલ્પ કરતા સતા આગળ ચાલતા હતા તે ઊભા રહ્યા અને ભાઇના મુખ સામું જોયું. ત્યારે ભાઇ અંતર્યામીપણે તેમનો સંકલ્પ જાણીને બોલ્યા જે, હે ઉમાજી ! તમોને શો સંકલ્પ થાય છે ? તમો કંઈએ ચોરથી ડરશો નહીં, આપણને તે શું કરવાના છે ? તેવું સાંભળીને ઉમાભાઈ તો મહા આશ્ચર્ય પામી ગયા અને અતિ હિંમત આવી ગઇ. એવા થકા બોલ્યા જે, હે દાદા ! ડર તો કંઇ લાગતો નથી. પરંતુ આપણે થોડાક જણ છીએ અને તે ચોર તો ચાલીશ પચાસના આશરે છે માટે ધીંગાણું કરશે તો કોઇકને વાગશે એટલે મરી પણ જશે. એમ કહેતા સતા એ સર્વે ચોરના નજીક ગયા ત્યારે તેમણે જાણ્યું જે, આ મોટા ઘોડા ઉપર બેઠેલા છે તે કોઇક તાલુકાદાર છે. તે વડોદરાથી અમદાવાદ જતા હશે અને આ ગાડીમાં તેમના રૂપીયા દાગીના પણ હશે માટે ચાલો આપણે સર્વે લૂટી લઇએ અને એ તો ચાર પાંચ જણ છે, તે એમનાથી શું થવાનું છે ? એવી રીતનો વિચાર કરીને તે સર્વે ચોર એકદમ હથિયાર જે તીર-કમાન લઇને ત્યાં થકી તત્કાળ ઊભા થયા. તે જોઈને ભાઈ બોલ્યા જે, હે અમરાજી ! આ ચોર તમારાથી પાછા નહીં હઠે. માટે તમો ચારે જણ આ ગાડીપાસે ઉભા રહો અને લાવો તમારી તરવાર તે મારાથી પાછા હઠશે. આવી રીતે મહાશૂરવીરનું વચન બોલતા સતા પોતે ચડપ લઇને ઘોડા ઉપરથી હેઠા ઉતર્યા અને ઉમાભાઈના હાથમાં ઘોડાની સરક આપી. અમરાજીના હાથમાંથી તરવાર લીધી અને તે જોઈને અમરાજીના મનમાં એમ થયું જે, અહો! આ તો મહા જુલમ થયો. જો ભાઇને કંઇક થશે. તો જગતમાં મારી આબરૂ જશે અને એમ કહેવાશે જે, ડાંગરવાનો અમરો ભેગો હતો અને રામપ્રતાપભાઇને વાગ્યું. માટે હું ભાઇના હાથમાંથી તરવાર પાછી લઉં અને આ સર્વે ચોરને પાછા હઠાવું. એમ જાણીને ઉતાવળા થકા ભાઈના હાથમાંથી તરવાર લેવા ગયા. ત્યારે ભાઈ પોતાની ભ્રકુટી ચડાવીને બે નેત્ર લાલ કરીને બોલ્યા જે, ખબડદાર જો આવ્યા તો મારી નાખીશ. એવી રીતે હાકોટા કરીને બોલ્યા, કે તરત અમરાજી તો ખચકાઈને ત્યાં ને ત્યાં સજ્જડ થઇગયા. તે જોઇને ચોરે જાણ્યું જે, આ તો બન્ને મહા શૂરવીર જણાય છે. એમ જાણીને સર્વે ચોર સામટા ભેગા થઈને એકદમ ભાઇના નજીક આવી ગયા. ત્યારે પોતાના અંતરમાં શ્રીજી મહારાજને સંભાળ્યા કે, તરત શ્રીજી મહારાજ ભાઈના બળની વિશેષ પ્રેરણા કરતા હતા. એવા થકા ભાઇ આનંદ પામતા સતા એક મોટો મહુડાનો વૃક્ષ હતો તેની પાસે જઇને પોતાના જમણા પગનું એક ઠેબું માર્યું કે તરત તે મહુડો મૂળથી ઉખડીને તે સર્વે ચોર ઉપર પડયો. તેથી સર્વે ચોર દબાઇને લોચો થઇ ગયા. એવી રીતનું ઐશ્ચર્ય દેખાડીને ત્યાં થકી ચાલ્યા, તે મોટા મહેમદાવાદમાં બહેચર ભટ્ટના ડેલામાં આવીને રાત્રિ રહ્યા અને દુર્લભરામ આદિક સર્વે સત્સંગીને તે પ્રતાપની વાર્તા કરી. તે સાંભળીને સર્વે જન મહા આશ્ચર્ય પામતા હતા અને ભાઈનો મહિમા બહુ સમજીને હેતે સહિત ભાઇની બહુ સેવા કરીને રાજી કરતા હતા. ત્યાર પછી ત્યાંના સર્વે હરિભક્તોની સેવા અંગીકાર કરીને ચાલ્યા તે ગામ શ્રી જેતલપુરને વિષે આવ્યા અને ત્યાં મંદિરમાં ઉતારો કરીને કેટલાક દિવસ રહેતા સતા, ત્યાંના હરિભક્તની સેવા અંગીકાર કરીને શ્રીઅમદાવાદને વિષે પધારતા હતા.                         🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ
c.j. jadav
561 views
1 days ago
🍃🍃💞🍃🍃 *🥀આજે ચૈત્ર સુદ - ૧૫ હનુમાન જયંતિ...* *मनोजवं मारुततुल्यवेगं...* *जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् !!* *वातात्मजं वानरयूथमुख्यं...* *श्रीरामदूतं शरणं प्रपद्ये !!*                      *🥀સંકટમોચન હનુમાનજી બજરંગબલીના નામે પણ જાણીતા છે. હનુમાનજી ભગવાન શિવજીના રુદ્ર અવતાર છે. કળિયુગના પ્રભાવથી નારદજી , વશિષ્ઠ વગેરે ચિરંજીવી ઋષિમુનિઓ આ પૃથ્વી ઉપર આવતા નથી. દેવાધિદેવ મહાદેવજીએ જે કોઈ ધર્મનિષ્ઠ ભગવાનના ભક્ત હોય એમનું રક્ષણ કરવાની જવાબદારી હનુમાનજીને સોંપી છે. એટલે રોકડીયા દેવ કહેવાય છે. જે કોઈ ધર્મ-નિયમમાં વર્તતા હોય એમના સંકટ હનુમાનજી દૂર કરે છે. અને જે મનસ્વી રીતે વર્તે છે અને પાપ કરે છે તેને તેના કર્મનું ફળ ભોગવવું પડે છે તેમની કોઈ દેવ સહાયતા કરતા નથી. હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી ભક્તોના સંકટ દૂર થાય છે. એ જ કારણસર તેમને સંકટ મોચન દેવ પણ કહેવામાં આવે છે. હનુમાનજીની આરાધનાથી ભક્તોને તમામ પ્રકારના રોગ-પીડા અને ભૂતપ્રેતના ભયમાંથી મુક્તિ મળે છે. સાથે જ હનુમાનજીની પૂજા કરવાથી આપણાં આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી કે એમનું સ્મરણ કરવાથી તમામ પ્રકારના ગ્રહ દોષનું પણ નિવારણ થાય છે. તેથી ભક્તો હનુમાન જયંતીના દિવસે ઉપવાસ કરીને હનુમાનજીની ઉપાસના કરે છે.*            *હનુમાનજીને લાડુની પ્રસાદી અતિપ્રિય છે. તેથી હનુમાનજીને હંમેશા લાડુની પ્રસાદી અર્પણ કરવામાં આવે છે. તેથી ભક્તો બુંદી, મોતીચુર અથવા બેસનના બનાવેલાં લાડુનો હનુમાનજીને ભોગ ચઢાવતા હોય છે. રાવણે મંત્ર શક્તિથી ગ્રહોને બંદી બનાવેલા. હનુમાનજીએ બધાય ગ્રહોને મુક્ત કરાવેલા. એટલે શનિદેવે વરદાન આપ્યું કે હે હનુમાનજી ?? તમારી ઉપાસના કરનાર ભક્તને મારી વક્ર દ્રષ્ટિનો કોઈ પ્રભાવ નહિ નડે. હનુમાનજી તમામ પ્રકારના ગ્રહ દોષોને દૂર કરે છે. આ ઉપરાંત ઘણાં લોકો હનુમાનજીને જલેબીનો કે સુખડીનો પણ ભોગ ધરાવતા હોય છે.*              *હનુમાનજી ચિરંજીવી છે. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને ચિરંજીવીનું વરદાન આપેલું છે. હજી પણ જ્યાં રામાયણની કથા થાતી હોય ત્યાં હનુમાનજી દિવ્ય સ્વરૂપે પધારે છે. હનુમાનજી ભગવાનના રામ અવતાર ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ પ્રભુની સેવામાં પણ હંમેશા દિવ્યસ્વરૂપે હાજર રહેતા. સ્વામિનારાયણ ભગવાનના પિતા ધર્મદેવના " કુળદેવ " હનુમાનજી છે. ભગવાન સ્વામિનારાયણે સ્વધામ પધારતા પહેલા જેમને સત્સંગની સોંપણી કરેલી એવા મહાસમર્થ સદગુરુ શ્રી ગોપાળાનંદસ્વામીએ સાળંગપુરમાં સંકટમોચન હનુમાનજીને પધરાવ્યા છે. જે આજે પણ ઘણા જ ચમત્કારિક વિશ્વ વિખ્યાત છે.* *🦋 સંકટમોચન હનુમાનજી આપના સર્વે સંકટ દૂર કરીને જીવનમાં સુખ - શાંતિ અને સમૃદ્ધિ આપે એજ પ્રાર્થના...*🦋                          🍃🍃💞🍃🍃 #હનુમાન જયંતિ સ્પેશ્યિલ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
c.j. jadav
709 views
1 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           ત્યારપછી દાદા અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી પોતાને એવો નિયમ હતો જે, દરેક પૂર્ણિમાએ જેતલપુરને વિષે દર્શન કરવા જવું. તે એક દિવસે કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે ગાડી જોડાવીને પોતે નરનારાયણ દેવનાં મંગળા આરતીનાં દર્શન કરીને ગાડીમાં જઈને બેઠા અને હથીયાર બંધ ચાર પાળાને સાથે લઈને તે વચ્ચે કાંકરીયા તળાવમાં સ્નાન કરીને ચાલ્યા, તે ગામ અસલાલી અને જેતલપુરના વચ્ચમાં ગયા, ત્યારે રસ્તામાં પાણીનો રોદો બહુ પડેલો હતો. તે રોદામાં એક જેતલપુરના ગરાસીયાનું ગાડું ડાંગરનું ભરેલું ચાર બળદ સહિત ખૂંચેલું હતું. તે ગરાસીયો ઘણો પ્રયત્ન કરે પણ તે ગાડું બહાર નીકળે નહિ અને જેમ જેમ બળદને હાંકે તેમ તેમ માંહી કાદવમાં વધારે ખુંચતું જાય. તેવું દુઃખ જોઇને તે ગરાસીયો ભાઇની ગાડીના બળદ સારા દેખીને ગાડીને સમીપે જઇને બોલ્યો જે, હે ભાઈ ગાડીવાળા ! આ તમારા બળદ મને થોડીવાર આપો તો આ ગાડું માર્ગ વચ્ચે ખૂંચી ગયું છે તેને હું બહાર કાઢું એટલે તમો સુખેથી જાઓ. અને તમારે જવાનો બીજો માર્ગ નથી. જે તમો જઈ શકો અને સાંજ સુધી અહીંથી જવાશે નહિ. માટે દયા કરીને આપો તો બહુ સારું. ત્યારે ભાઇ ગાડીમાં તકીયાના ઓઠીંગણે બેઠા હતા. તે એ ગરાસીયાનાં અતિ નિર્માનીપણાનાં વચન સાંભળીને પડદો આઘો કરીને બોલ્યા જે, હે કરસન ભગત ! જાઓ. તમો એ ગાડીને બહાર કઢાવો. ત્યારે એમણે કહ્યું જે, હે દાદા ! આખા ગામના માણસ આવીને ખેંચે તો પણ ગાડું નિકળે તેમ નથી. એવું સાંભળીને પોતે ગાડામાંથી નીચે ઉતરીને તે ગાડા પાસે જઈને તે ચાર બળદને ગાડેથી કાઢી દેવરાવીને ગાડાનું ધુસરૂં પોતે એક હાથે ગ્રહણ કરીને તે એમને એમ શ્રીજી મહારાજનું નામ લઇને તે ગાડાને કડેડાટ કરીને બહાર ખેંચી લાવીને એક ખેતરવાર દૂર મૂકી આવતા હતા. તેવું મહા અદ્ભૂત ચરિત્ર જોઇને તે ગરાસીયા સહિત સર્વે પાળા ચકિત થઇ ગયા. ત્યારે તે ગરાસીયે પૂછ્યું જે, હે ભાઇ ! તમો આ સમર્થ મૂર્તિ કોણ છો ? ત્યારે કુબેરસિંહ બોલ્યા જે, આતો સ્વામિનારાયણના મોટા ભાઇ છે તે જેતલપુર દર્શન કરવા જાય છે. તે સાંભળીને બોલ્યો જે, અહો !! એ સ્વામિનારાયણ તો સાક્ષાત્ પોતે ભગવાન હતા. તેમણે અમારા જેતલપુરમાં ઘણાક યજ્ઞો કરીને લાખો બ્રાહ્મણોને જમાડીને દક્ષિણાઓ આપી, અનંત પરચાઓ આપ્યા છે. અને તેમના મોટાભાઇ પણ મહા પ્રતાપી છે. એમ કહીને બે હાથ જોડીને પોતાનું ગાડું ભાઇની પાસે બહાર કઢાવ્યું, એ રૂપી પોતાનો અપરાધ ક્ષમા કરાવીને, ચરણાવિંદમાં પોતાનું મસ્તક મૂકીને ગદ્ગદ્ કંઠે થઇને પગે લાગતો હતો. ત્યારપછી જાલમ મોટાએ જણાવ્યું જે, બહુ મોડું થઈ જશે અને શ્રીઠાકોરજીનાં દર્શન પણ નહિ થાય, એમ જાણીને ઉતાવળા થઇ ગાડીની ચારે બાજુ કપડાંનો પડદો હતો તેને આઘો કરી, જ્યાં બારીનું કમાડ ઉઘાડડ્યું ત્યાં તો અંદર ગાડીમાં દાદા એકરૂપે બેઠેલા છે અને વળી એકરૂપે બહાર ઉભેલા જોયા એટલે તત્કાળ કુબેરસિંહને તે વાત કહેવા જાય છે. ત્યાં તો તે ગાડીમાં તે દાદાની મૂર્તિ હતી તે અદૃશ્ય થઇ ગઇ. તેવું ચરિત્ર જોઇને આનંદ પામતા સતા દાદાને ગાડીમાં બેસારીને ત્યાં થકી ચાલ્યા તે મંદિરમાં જઈને તે વાત જાલમ મોટા એ આનંદાનંદ સ્વામીને કહીં, ત્યારે સ્વામી એમ બોલ્યા જે, હે જાલમ મોટા ! એ તો મુક્ત, દેવ, ઋષિ એ સર્વેનાં બે રૂપ હોય તે ભગવાનની ઇચ્છાથી કોઈકને દેખાય. એમ કહીને દાદા તો બળદેવજીનો અવતાર છે. તેની જાલમ મોટાને ખબર પડી અને તેમની પ્રશંસા કરતા હતા. તે સાંભળીને ચકિત થઇ ગયા અને ભાઈનો મહિમા સમજીને મન, કર્મ, વચનથી સેવા કરવાનો નિયમ રાખતા હતા.                           🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર