Follow
c.j. jadav
@44336850
13,208
Posts
22,890
Followers
c.j. jadav
526 views
2 hours ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...         હવે શ્રી અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સર્વ અવતારના અવતારી શ્રીધર્મભક્તિના પુત્ર ઘનશ્યામ મહારાજનાં અસાધારણ લક્ષણો કહું તે સાંભળો, પૂર્વે થયા જે રામકૃષ્ણાદિક સર્વે અવતાર તેમને પોતે પોતાના સ્વરૂપને વિષે દેખાડતા હતા તથા વૈકુંઠાદિક ધામને વિષે રહેલી જે મૂર્તિમાં અને તેમાં રહેલાં જે દિવ્ય ઐશ્વર્ય તેને ઘનશ્યામ મહારાજ પોતાની મૂર્તિને વિષે અનંત મનુષ્યોને દેખાડતા હતા તથા જેવા તેવા જીવને પણ સમાધિ કરાવીને પોતાની મૂર્તિને વિષે નિરોધ કરાવ્યો તથા બીજા અવતારોએ જીવોનું જેવું કલ્યાણ કર્યું, તેવું તો પોતાના ભક્તદ્વારા સામર્થ્ય જણાવતા હતા તથા અપાર તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેના મધ્યમાં રહ્યું જે દિવ્ય સિંહાસન તેના ઉપર સદા બિરાજમાન અને ચારે બાજુ અનંતકોટી મુક્તમંડળની સભાએ વિંટાણા એવા જે દિવ્યમૂર્તિ પોતે તેનું દર્શન જેવા તેવા જીવને સહજમાં કરાવતા હતા તથા પૂર્વે શાસ્ત્રને વિષે કહ્યા જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિ તથા સાંખ્ય, યોગ, વેદાંતાદિક શાસ્ત્રના મત તેમના સ્વરૂપનું પ્રતિપાદન જ્યારે પોતે કરે તથા તેમના પ્રતિપાદનનાં શાસ્ત્ર કરે ત્યારે પૂર્વનાં શાસ્ત્રમાંથી તેમાં બહુ ચમત્કાર આવે અને સહેજે સર્વેના સમજવામાં આવે અને તે વાર્તા શાસ્ત્રમાં જેની બુદ્ધિ પહોંચતી હોય તેને યથાર્થ જાણવામાં આવે.અને આજ તો તે વાર્તા જેવા તેવા જીવને સમજાય એવી સુગમ કરતા હતા.તથા પોતાનાં દર્શન માત્રથી અનેક જીવના મનની વૃત્તિઓને પોતાના સ્વરૂપમાં તાણી લેતા હતા. તથા જે કોઇ જીવે પોતાના આશ્રય કર્યો તેને પોતે પોતાના પાર્ષદે સહિત રથ વિમાન લઇને તેડવા આવે છે તથા પોતાની આજ્ઞાએ કરીને અનેક સ્ત્રીપુરુષ પોતપોતાના ધર્મ માર્ગે ચાલ્યા તથા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના માર્ગે ચાલ્યા. એવી રીતનો પોતાના વચનમાં પ્રતાપ જણાવતા હતા. તથા પોતાના સંબંધને પામ્યું જે, વસ્ત્રપુષ્પાદિક કંઇક વસ્તુ તેનાં દર્શન માત્રે કરીને તથા તેના સ્પર્શ માત્રે કરીને તત્કાળ અન્તર્દષ્ટિ થઇ જતી હતી. અને બ્રહ્મપુરાદિક ધામ તથા તે ધામોનાં દિવ્ય ઐશ્વર્ય તેને જણાતાં હતાં. તથા પોતાના સ્વરૂપ સંબંધી વાર્તા જે કોઈ પરદેશમાં જઇને કરે અને જે કોઇ સાંભળે તેને અલૌકિકપણું જણાઇ આવતું હતું. તથા જીવાત્મા, વિરાટ પુરુષ, ઈશ્વર, પ્રધાનપુરુષ, મૂળપ્રકૃતિ પુરુષ અને અક્ષરધામના મુક્ત ને તે અક્ષરધામના નિવાસી પોતે પુરુષોત્તમ એ સર્વેનું નિરુપણ ભેદે સહિત અને ઐશ્વર્યે સહિત નોખું નોખું કરીને સર્વને પોતે દેખાડ્યું તથા ઐશ્વર્ય સહિત તેમનાં સ્વરૂપ બીજાને દેખાડતા હતા. એવી રીતનું જ્ઞાન પોતાના ભક્તને આપીને તે ભક્ત દ્વારા તે ઐશ્વર્યને જણાવતા હતા. તથા પોતાના અવતાર તે પોતાની મૂર્તિને વિષે લીન થતા અને પોતાની મૂર્તિ કોઇ અવતારને વિષે લીન ન થતી હતી.                          🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
c.j. jadav
891 views
1 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...         રામશરણજી ! વળી એક સમયે શ્રીજી મહારાજ શ્રીભુજ-નગરમાં ગંગારામભાઈના ઘેર બિરાજમાન હતા. તે સમયે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ! શાંતિ શેણે કરીને થાય ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, અમો છપૈયાપુરને વિષે ધર્મભક્તિને ઘેર જન્મ ધારણ કર્યો. તે જન્મ ધારણ કરીને ત્યાં અનંત પ્રકારનાં બાળ-ચરિત્ર કર્યા તથા અમોને યજ્ઞોપવિત દીધી તથા અમારાં માતાપિતા ને દેહ ત્યાગ કરાવીને અમો વનવિચરણ કરવા માટે નીકળ્યા તે જનકપુરી થઈને, ફરતા ફરતા હિમાલયની ઝાડી ઉલ્લંઘીને પુલહાશ્રમને પામ્યા. અને ત્યાં ગંડકી નદીને કીનારે જ્યાં ભરતજીએ તપ કર્યું છે. ત્યાં અમો એક પગે ઉભા રહીને બાહુ ઉંચા રાખીને કેટલાક માસ તપ કર્યું, ત્યારે અમારા ઉપર સૂર્યનારાયણ પ્રસન્ન થયા. તે થકી વર પામીને ચાલ્યા તે કેટલાક દિવસે ફરત ફરતા નવલખા પર્વત ઉપર ચઢ્યા અને ત્યાં નવલાખ જોગી અમારે અર્થે તપ કરતા હતા તેમને સિદ્ધગતી આપીને ત્યાં થકી ચાલ્યા, તે શ્રીજગન્નાથપુરીમાં આવ્યા અને ત્યાં કેટલાક પૃથ્વીના ભારરૂપ અસુરોને પરસ્પર મોહ પમાડીને નાશ કરતા થકા ચાલ્યા, તે દક્ષિણ દેશને ઉલ્લંઘીને રૈવતાચલ પર્વતની છાયામાં પીપલાણા ગામને વિષે શ્રીરામાનંદ સ્વામીને મળ્યા. એવી રીતે ઘણીક લીલાની વાર્તા કરીને મૌન રહ્યા. ત્યારે સ્વામીએ જાણ્યું જે, મેં પ્રશ્ન પૂછયો તેનો ઉતર ન કર્યો અને આતો મહારાજે બીજી વાત કરી. ત્યારે સ્વામીએ ફરીથી પૂછ્યું જે, હે મહારાજ ! શાંતિ શેણે કરીને થાય ? ત્યારે શ્રીજી મહારાજે પ્રથમ જેવી લીલાની વાર્તા કરી હતી તેવીજ રીતે વળી ફરીથી તેની તે વાર્તા કરતા હતા. છતાં પણ સ્વામીને સમજણ પડી નહીં. ત્યારે અતિવૃદ્ધ સદાનંદ સ્વામીએ કહ્યું જે, હે સ્વામી !શ્રીજી મહારાજે કેવી રૂડી શાંતિ થવાના ઉપાયની વાર્તા કરી પણ તમોને સમજણ ન પડી. જુઓને, પૂર્વે પણ શ્રીવ્યાસ મુનિએ સત્તર પુરાણ કર્યાં પરંતુ પોતાને શાંતિ થઇ નહીં. ત્યારે નારદજીએ કહ્યું જે, તમોએ શ્રીકૃષ્ણ ભગવાનનાં બાળ ચરિત્રોનું વર્ણન કર્યું નથી. ત્યાં સુધી તમોએ કંઇ કર્યું નથી. તેવું સાંભળીને શ્રીમદ્ભાગવત કર્યું. ત્યારે પોતાને શાંતિ થઇ. તેમ આપણે પણ શ્રીજી મહારાજનાં બાળ-ચરિત્રનું અંતરમાં ચિંતવન કરવું અને તે લીલા નિત્યે ગાવી અને સાંભળવી, એવી ઘણીક મહિમાની વાર્તા કરતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામીના અંતરમાં શ્રીજી મહારાજના પ્રતાપની વાર્તા બરાબર સમજાતી હતી. ત્યારે પોતે જાણ્યું જે, આ શ્રીજી મહારાજનાં બાળચરિત્રમાં જેવી શાંતિ છે તેવી શાંતિ કોઇ પદાર્થમાં નથી. એમ જાણીને શ્રીજી મહારાજને અતિ પ્રેમમગ્ન થઇને દંડવત્ સ્તુતિ કરીને પોતાનો અપરાધ ક્ષમા કરાવીને, બે હાથ જોડીને પગે લાગતા હતા. ત્યાર પછી શ્રીજી મહારાજના જન્મથી આરંભીને સ્વધામમાં પધાર્યા ત્યાં સુધીનાં ચરિત્રનું શાસ્ત્ર ધર્માખ્યાન પોતે કરતા હતા. હે રામશરણજી ! આ શ્રીજી મહારાજનાં બાળચરિત્ર જે કોઈ જન રોગાદિકે કરીને મહા કષ્ટને પામેલો હોય તથા રાજ્યસમૃદ્ધિએ કરીને અવરાઇ ગયેલો હોય તે સર્વેજન શ્રદ્ધાએ સહિત પ્રેમમગ્ન થઈ ગાશે, સાંભળશે તથા જે કોઈ પ્રાણી અતિશય પાપી હોય તેના કાનમાં અજાણ્યે શબ્દ પડશે એટલે તેની સર્વે પિતૃઓ સહિત ઈકોતેર પેઢીનો ઉદ્ધાર થશે. અને અત્યંત મોક્ષ જે અક્ષરધામ તેને પામશે.                               🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
See other profiles for amazing content