Follow
c.j. jadav
@44336850
13,179
Posts
22,970
Followers
c.j. jadav
675 views
23 hours ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર....            હે રામશરણજી ! એક સમયે લખનૌ પરગણે ગામ ગોસાઇગંડના હલવાઇ હુકમચંદભાઈ આદિક બીજા કેટલાક હરિભક્તો શ્રાવણ માસમાં હિંડોળામાં ઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા માટે છપૈયાપુર આવતાં, વચ્ચે અયોધ્યાપુરીમાં સરયૂગંગામાં આવ્યાં. તે સમયે પાણીનું ઘણું જોર હતું અને વાયુ તથા વરસાદ પણ ઘણો હતો તેથી તે વહાણ પાણીમાં ત્રણ ઘુમરીયો ખાઇને ડુબવા લાગ્યું. તે જોઈને વહાણનો ખેવટીયો બોલ્યો જે, હે ભાઈઓ ! પોતાના ઈષ્ટદેવને સંભારો. હવે આ વહાણ અમારા હાથમાં નથી. ડુબી જશે. તેવું મહા ત્રાસનું વચન સાંભળીને હુકમચંદના અંતઃકરણમાં ત્રાસ પડ્યો. એટલે ઘનશ્યામ મહારાજને સંભારીને બોલ્યો જે, હે શ્રીજી મહારાજ ! અમો ડુબી જઇશું તો લોકમાં તમારી લાજ જશે. કારણ કે આ અયોધ્યાપુરી અનાદિનું શ્રીરામચંદ્રજી ભગવાનનું ધામ છે અને તે ધામનાં દર્શન પડયાં મૂકીને એમના ગુરુ સ્વામિનારાયણ હમણાં થોડાક દિવસમાં પ્રગટ થયા છે તેમનાં દર્શન ક૨વા સારું છપૈયાપુર જતા હતા તેથી સર્વે પાણીમાં ડુબીને અંતરીયાળ મરી ગયા. એમ કહીને જગતમાં અમારી લોકો હાંસી કરશે, એવી રીતની પ્રાર્થના કરતા હતા. એટલામાં તો તે વહાણની ચારે બાજુ ફરતાં ચાર ચાર ધનુષ્યવા પાણી દૂર થઇ ગયું, એટલે તે વહાણ ભોય ઉપર જઇને બેઠું. પછી શ્રીજી મહારાજે હુકમચંદભાઇને દર્શન દઇને કહ્યું જે, સર્વે વહાણમાંથી નીચે ઉતરીને અંદરથી પાણી કાઢી નાખો. તેવું સાંભળીને હુકમચંદભાઇ તો અતિ આનંદ પામતા છતા, મહારાજનાં દર્શન કરીને સર્વે મનુષ્યોને વહાણમાંથી નીચે ઉતારીને એક તરફ ઉભા રાખીને વહાણને પકડીને એક બાજુ નમાવ્યું. એટલે અંદરથી સર્વે પાણી નીકળી ગયું. પછી તે વહાણમાં સર્વે મનુષ્યો બેઠાં કે તરત કોઇ પાપી ખેવટીયાએ કેયમાં પૈસા ઘાલેલા હતા. તે ભોંય ઉપર નીકળી પડ્યા. એટલે તે પાપી વીણવા લાગ્યો. તે સમયમાં ચારે તરફથી પાણી ભેગું થઈ ગયું અને તે વહાણ તરવા લાગ્યું. તે જોઈને સર્વે જન મહા આશ્ચર્ય પામતાં હતાં. પછી ત્યાં થકી હુકમચંદભાઈ કિનારે ઉતરીને છપૈયાપુર આવીને સર્વે ધર્મકુળને તે વાર્તા કહેતાં હતા.                             🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
c.j. jadav
644 views
1 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...         એક સમયે ગ્વાલીયર પરગણે ગામ ધોરીમાર્ગમાં બે સ્ત્રીપુરુષ સારા સત્સંગી સુથાર હતાં. તે બન્નેને પરસ્પર કોઇક દિવસે વઢવેડ થઇ. ત્યારે તે બાઇ અણસમજણથી રીસાઇને સંધ્યા સમયે કૂવે પડવા ગઇ. તે કૂવાના કિનારે ઘડી એક બેસીને પોતાના ઇષ્ટદેવ સ્વામિનારાયણનું ઉચ્ચ સ્વરે નામ લઇને ભજન કરતી સતી તે કૂવામાં પડતી હતી, કે તરત શ્રીજી મહારાજ પોતાના ભક્તની સહાય કરવા માટે આવીને તે બાઇની રક્ષા કરીને તેને ભય બતાવીને બોલ્યા જે, આત્મઘાત જે કરે છે તેના જીવનો કદી મોક્ષ થતો નથી. એમ કહીને તે સુથારના ઘેર જઇને તેને ત્રણ સોટીઓ મારીને ઠપકો દેવા લાગ્યા, ત્યારે તે સુથાર તુરત પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! તમો અત્યારે કયાંથી આવ્યા ? ત્યારે બોલ્યાજે, તારી સ્ત્રી કૂવામાં પડી છે. એમ કહીને અદ્રશ્ય થઇ ગયા. પછી તે સુથાર ઉતાવળો થકો પોતાના ઘરમાં ચારે તરફ જોઇને ન દેખી એટલે બીજાં કેટલાંક માણસોને લઈને કૂવા ઉપર ગયો. ત્યારે તે બાઇ કૂવામાં પાણી ઉપર બેઠેલી હોયને શું ? એવી થકી શ્રીજી મહારાજનું ભજન કરતી હતી. પછી તે બાઇને બહાર કાઢી એટલે તે વૃત્તાંત કહેતી હતી. તે સાંભળીને કેટલાંક જનોએ તે કૂવામાં ઉતરીને જોયું તો લાકડું આદિક કોઇ પણ આધાર ન મળે. એવો પ્રગટ પ્રતાપ જોઈને શ્રીજી મહારાજનું વિશેષ ભજન કરતાં હતાં.                    🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
c.j. jadav
799 views
2 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર....            એક સમયને વિષે ગ્વાલીયર પરગણે ધુવા ગામને વિષે, સકટુભાઇ નામનો એક લુહાર સારો સત્સંગી શ્રીજી મહારાજને મળેલો હતો. તે દિવાળીના સારા દિવસોમાં પોતાના પુત્રને ભારે હેમના દાગીના પહેરાવી સાથે લઇને સંધ્યા સમયે મંદિરમાં આવતા હતા ત્યારે વચ્ચે ચોર બેઠેલા હતા તેમણે તે છોકરાનાં ઘરેણાં જોયાં. અને સકટુભાઇને એક જ પુત્ર હતો. તે મંદિરમાં ગયા. પછી તે છોકરાને શ્રીઠાકોરજીનાં દર્શન કરાવીને બેઠા એટલે તે છોકરો રમતો રમતો મંદિરથી બહાર જઇને ઉભો રહ્યો કે તુરત તે ચોરોએ તેને ઉપાડી લીધો અને તેનું મોઢું બાંધીને મોટા પર્વતમાં લઇ ગયા અને તેનાં સર્વે ઘરેણાં ઉતારી લઈને મારી નાખવાનો વિચાર કર્યો. એટલે તે છોકરો તે વાત જાણીને ત્રાસ પામી ગયો. અને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલીને રૂદન કરવા લાગ્યો, તો પણ ચોરોને દયા ન આવતાં તેને તત્કાળ ગળું પકડીને મારવા માટે હથિયાર ઉપાડતા હતા. તે સમયમાં તેની રક્ષા કરવા માટે શ્રીજી મહારાજ શ્વેત હાથી ઉપર બેસીને ઉતાવળા થકા આવીને તે છોકરાને એકદમ ઉપાડી લઇને હાથી ઉપર બેસાડતા હતા. અને જેટલા ચોર હતા. તેટલા સ્વરૂપે થઇને તે સર્વે ચોરને બાંધીને ઘરેણાં સર્વે લઇને પોતે એક સ્વરૂપે થઇને ત્યાં થકી ચાલ્યા, તે થોડેક દૂર જઇને તે છોકરાને બધાં ઘરેણાં પહેરાવીને મોતૈયા લાડુ જમાડી, પાણી પાઇ શાંત પમાડ્યો. પછી તેને તેનાં ઘરનાં આંગણે લાવીને તેનાં માતાપિતાને સોંપી અદ્રશ્ય થઇ ગયા. તે પ્રતાપ જોઇને તેણે કહ્યું જે, તને કોણ લઈ ગયું હતું? અને અહીં કોણ લાવ્યું ? ત્યારે સર્વેના સાંભળતાં તે વૃત્તાંત કહેતો હતો. પછી તેના કહેવા પ્રમાણે તે ગામનો રાજા પોતાના કેટલાક સિપાઈઓને સાથે લઇને તથા બીજા કેટલાક માણસોથી વિંટાણા સતા બાંધેલા ચોરોને પાસે જઈને તે સર્વેને પકડી લીધા અને ફાંસીએ દેવા તૈયાર કર્યા. તે જોઈને સકટુ લુહારે જાણ્યું જે, મારા પુત્રની શ્રીજી મહારાજે રક્ષા કરીને ઘરેણાં પણ લાવ્યા. એમ જાણીને તે સર્વે ચોરને છોડાવી મૂકાવતા હતા. એવી રીતનો શ્રીજી મહારાજનો પ્રતાપ જોઇને કેટલાંક માણસ પ્રગટ પ્રમાણ સ્વામિનારાયણનો આશ્રય કરીને ભજન કરવા લાગ્યાં.                       🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗