Follow
c.j. jadav
@44336850
13,044
Posts
23,135
Followers
c.j. jadav
3.8K views
6 hours ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 95 અમદાવાદના હરિભક્તોને થયું કે અમદાવાદની આજુ-બાજુમાં ખુલ્લી જગ્યામાં કોઈ બંગલામાં સદ્ગુરુશ્રીને રાખ્યા હોય તો હવાફેર જેવું રહે. તે વખતે વાડજ વિસ્તાર નવો નવો વિકાસ પામી રહેલો. ત્યાંની ચાંપાનેર સોસાયટીના બાવીશ નંબરના બંગલામાં પોતાના સંતમંડળે સહિત સદ્-ગુરુશ્રી પધાર્યા, હરિભક્તોના મંડળનાં મંડળ દર્શને આવ્યા જ કરે. સાધુ મુક્તવલ્લભદાસજી સવાર-સાંજ રસોઈ કરતા પહેલાં થાળ સામગ્રી પર સદ્ગુરુશ્રીની નજરપ્રસાદી કરાવે. આવી માંદગીમાં સદ્ગુરુશ્રીના સાધુ આવું શું કરતા હશે, તેમ ડૉકટરને થાય ! મુક્તવલ્લભદાસજીને કહે પણ ખરા કે આવી તકલીફ સદ્ગુરુશ્રીને શું આપો છો! મુક્તવલ્લભદાસજી કહે : “ભાઈ! તમને ખબર નથી; આ રસોઈ હવે ગમે તેટલાં હરિભક્તો જમશે તો પણ ખૂટશે નહીં!" હવે મુક્તરાજ અબજીબાપાશ્રીના જીવનચરિત્રનું કામ મુક્તસ્વરૂપ સોમચંદભાઈએ પ્રેમપૂર્વક અને સઘળા ખંતથી પૂરું કર્યું હતું. તે હસ્તલિખિત ગ્રંથ લઈને તેઓશ્રી માથકથી સદ્ગુરુની પાસે જોરાવરનગર આવ્યા. (તે વખતે સદ્ગુરુશ્રી અનન્ય સેવાપરાયણ, પ.ભ. ડો. શાન્તિભાઈના અતિ પ્રેમને વશ થઈને જોરાવરનગર પધાર્યા હતા.) એ ગ્રંથ જોઈ સદ્ગુરુશ્રી અતિશય પ્રસન્ન થયા. પછી સોમચંદભાઈને સદ્ગુરુશ્રી કહે : હવે અહીં રહીને આ ગ્રંથની પારાયણ અમને સંભળાવો. સદ્ગુરુશ્રીની આજ્ઞા થતાં સોમચંદભાઈએ અબજીબાપાશ્રીના જીવનચરિત્રનો હસ્તલિખિત ગ્રંથ સદ્ગુરુશ્રી આગળ વાંચવા માંડયો. સોમચંદભાઈ વાંચતા હોય, સદ્દગુરુશ્રી મંદવાડને કારણે પાટ ઉપર સૂતા સૂતા તે કથા સાંભળતા હોય. એકવાર સોમચંદભાઈને લાગ્યું કે સદ્ગુરુશ્રી યોગનિદ્રામાં જતા રહ્યા છે, તેથી તેઓ વાંચતા અટકી ગયા. તરત જ સદ્દગુરુશ્રી કહે : કેમ બંધ રાખ્યું ? વાંચ્યે જ રાખો, હું સાંભળું જ છું! સદ્દગુરુશ્રીનો અથાક્ પ્રભાવ ને સામથ્ર્ય જોઈ સોમચંદ-ભાઈએ અહોભાવ અનુભવ્યો ને કયા કરવા માંડી, પારાયણ પૂરી થતા સદ્ગુરુશ્રીએ સોમચંદભાઈ ઉપર અતિશય પ્રસન્નતા જણાવી કહ્યું : “ જેવું કામ થવું જોઈએ તેવું જ થયું! હવે તેને જલ્દીથી છપાવી દો. તમે રાજકોટ જઈ હીરજીભાઈને મળી આ પુસ્તક છપાવવાની તજવીજ કરો.” તે પ્રમાણે રાજકોટમાં તે પુસ્તક છપાવા માંડ્યું. સોમચંદભાઈ રાજકોટમાં રહી તેના પ્રૂફો સુધારી ઉતાવળે તે તૈયાર કરાવવા લાગ્યા. સદ્ગુરુશ્રી બિરાજતા હોય ત્યાં સુધીમાં તે છપાઈને તૈયાર થઈ જાય તેવી સૌના મનની ઇચ્છા હતી. શેઠ હીરજીભાઈ સદ્ગુરુશ્રીના મંદવાડની શરૂઆતમાં એમ કહ્યા કરતાં કે હજી તો મારે સદ્ગુરુશ્રીને રાજકોટ મારે ત્યાં તેડી જઈ પારાયણ કરાવવું છે. સદ્દગુરુશ્રીને પૂછે : “પધારશો ને?” પોતે રાજી થઈને કહે: “હા, હા જરૂરથી રાજકોટ આવવું છે.” પણ મંદવાડ તો વધતો ચાલ્યો તેથી હીરજીભાઈથી બોલાય તેમ રહ્યું નહિ. પણ સં. ૧૯૯૮ના આસો માસની શરૂઆતમાં હીરજીભાઈ સદ્ગુરુશ્રીના દર્શને આવ્યા, ત્યારે સદ્દગુરુશ્રીએ જ સામેથી પૂછ્યું : “હીરજીભાઈ! અમને હવે રાજકોટ ક્યારે લઈ જવા છે?” હીરજીભાઈએ વૈદ્યરાજની સલાહ પૂછી. વૈદ્ય રવિશંકરભાઈ કહે: “આ સ્થિતિમાં કોઈ પણ ચિકિત્સક લઈ જવાની સંમતિ ન આપે, પણ જો સદ્દગુરુશ્રીની પોતાની આવવાની ઈચ્છા હશે તો રસ્તામાં કોઈ જાતનો વાંધો નહિ આવે.” ડો. નાગરદાસભાઈનો પણ એ જ અભિપ્રાય પડ્યો. તે વર્ષોમાં મોટર વાહનવ્યવહાર હતો નહીં, વળી સૌરાષ્ટ્ર વિભાગમાં કેવળ મીટર ગૅજ ટ્રેનો હતી, ને અમદાવાદથી વિરમગામ સુધી બ્રોડગૅજ ટ્રેનો જતી. 🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
c.j. jadav
613 views
1 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 94 સદ્દગુરુશ્રીની છેલ્લી માંદગીમાં વિરમગામના ડો. નાગર-દાસભાઈએ સેવાનો બહુ લાભ લીધો. પોતાના દવાખાનાની દરકાર કર્યા વગર, રોજ બપોરે વિરમગામથી ટ્રેનમાં નીકળે, અમદાવાદ જાય, ને સદ્ગુરુશ્રીને તપાસે, દવા કરે, ડ્રેસીંગ કરે, સેવા કરે. મોડી સાંજે નીકળે ને રાત્રે ૧૧ વાગ્યે વિરમગામ પાછા પહોંચે. આ રીતે સતત દોઢ-બે વર્ષ સુધી સેવા કરી, ન જોઈ દિવાળી, ન જોઈ હુતાશની! તેવી જ રીતે શેઠ બળદેવભાઈ, બહેચરભાઈ, મગનભાઈ, સોમચંદભાઈ, તુલસીદાસભાઈ (મૌઠુભાઈ) ડૉ. મણિલાલભાઈ, શિવલાલભાઈ, લક્ષ્મણભાઈ, ત્રિભોવનભાઈ, વગેરે અનેક હરિભક્તોએ સદા તત્પર રહી સેવા કરી. સદ્ગુરુશ્રીની અંતિમ માંદગીમાં પેટમાં પાણી ભરાયું. તે વખતે હાલના જેવી સારવાર હતી નહીં. પગેથી પાણી કાઢે. સદ્ગુરુશ્રીને એ વખતે પગમાં વ્રણ થયું. પેટનું પાણી તો સૂકાઈ ગયું, પણ પગનો જખમ નીચે ઉતરતો રહ્યો. સોજો પણ રહેતો. સદ્દગુરુશ્રીએ થોડા દિવસે ફરી સૌની રજા માંગવા માંડી. “હવે અમને ધામમાં જવા દો”—એમ કહે ને સૌને ફાળ પડે! સદ્ગુરુશ્રીએ નબળાઈ ને માંદગી વધારે દેખાડવા માંડી, તે જાણે દેહોત્સવ કરશે તેમ લાગ્યું. સદ્ગુરુ વૃંદાવન-દાસજી સ્વામીશ્રી મોટા મંદિરમાંથી સરસપુર મંદિર આવ્યા. સ્વાભાવિક રીતે કહે: “સ્વાઓ ! મૂર્તિ સંભારી રાખવી.” સદ્ગુરુશ્રી કહે : “આ ભલામણ કરવાની હોય? અહીં તો મૂર્તિ જ છે, બીજું કાંઈ નથી!” પણ મોટેરા હરિભક્તો ગદ્ગદ કંઠે પ્રાર્થના કરવા માંડ્યા, સદ્દગુરુશ્રીએ કૃપા કરી નિર્ણય બદલ્યો, ને બીજા વધુ દસ મહિના દર્શન આપ્યા. ડૉ. પ્રિયકાંતભાઈ સદ્ગુરુશ્રીના પગે રોજ ડ્રેસીંગ કરે, તેને સદ્દગુરુશ્રી જોયા કરે. કહે: “જો, પેલો સફેદ ભાગ દેખાય છે તે કાઢી નાખ, " ડૉ. પ્રિયકાંતભાઈ કાતર લઈ કાપે, પણ સદ્ગુરુશ્રી સ્મિત કરતા જાય. જાણે પોતાને કાંઈ થતું જ ન હોય, જાણે કે બીજા કોઈના દેહને ડ્રેસીંગ થતું હોય ! મોટા ડૉકટર આવીને કહે: “પગે ઓપરેશન કરવું પડશે ને તે માટે ઘેનની દવા (ઍનેસ્થેસીયા) આપવી પડશે.” સદ્દગુરુશ્રી કહે : “તેની કાંઈ જરૂર નથી, તમે નસ્તર મૂકો.” પોતે આરામખુરશીમાં બેઠા, સહેજ પણ દુ:ખ કે દેહભાવ વરતાયો નહીં. ડૉકટર અહોભાવ પામી આશીર્વાદ માંગવા સદ્ ગુરુશ્રીની આટલા મંદવાડમાં આવી અદ્ભુત સ્વસ્થતાથી આશ્ચર્ય પામી કોઈ હરિભકતે પૂછ્યું : “બાપજી! આપના જેવી શાંતિ અને આનંદ અમને સદા કેવી રીતે રહે?” સદ્ગુરુશ્રી કહે : “પોતાપણું કાંઈ ન રાખીએ તો રહે!” ટૂંકા-ટચ જવાબ ને મોટામાં મોટી સમજણ ! સેવામાં રહેલા હરિભક્તોને થયું કે કોઈ વૈદ્યની દવા કરી હોય તો સારું. ફાગણ માસથી ગુજરાત આયુર્વેદ ફાર્મસી-વાળા વૈદ્યરાજ રવિશંકરભાઈ ત્રિવેદીને બોલાવી લાવ્યા. તેમની સારવાર શરૂ કરી. તેમણે સ્થળનો ફેરફાર-હવાફેર-ની સૂચના કરી. વિઠ્ઠલજીભાઇએ એ તક મળી જાણી સદ્ગુરુશ્રીને વિનંતી કરી : “બાપજી! આપ દયા કરીને આબુ પધારો તો હું આપના નિવાસ માટે બધી સગવડ કરી આવું. આબુ ઉપર ઉનાળામાં પણ શિયાળા જેવી ઠંડી હવા આપને બહુ જ અનુકૂળ આવશે. માટે આપ કૃપા કરી રજા આપો.” વિઠ્ઠલજીભાઈનો અતિ ભાવ જાણીને તેમને રાજી કરવા સદ્-ગુરુશ્રી આબુ પધાર્યા. ત્યાં નખી તળાવને કાંઠે બંગલો ભાડે રાખી સદ્ગુરુશ્રીને ત્યાં રાખ્યા. વિઠ્ઠલજીભાઈનો સંકલ્પ પૂરો કરી સદ્દગુરુશ્રી થોડા દિવસ પછી અમદાવાદ પધાર્યા. 🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
c.j. jadav
597 views
2 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 93 મંદવાડ હતો તો ય સદ્દગુરુશ્રાનું જ્ઞાનનું સદાવ્રત તો ચાલુ જ હતું. એક હરિભક્ત વિશિષ્ટાદ્વૈતનું સંસ્કૃત પુસ્તક લઈ આવ્યા. સદ્દગુરુશ્રીએ સૂતાં સૂતાં હાથ લંબાવી તે પુસ્તક ઉઘાડી એક લીટી ઉપર આંગળી મૂકીને કહ્યું: “વાંચો. ” – પછી સમજાવ્યું : “આ અન્વયસ્વરૂપનું વિશિષ્ટાદ્વૈત અને મહારાજ અને મુક્ત રસબસ રહે છે એ વ્યતિરેક સ્વરૂપનું વિશિષ્ટાદ્વૈત.” સંસ્કૃત ભણેલા શાસ્ત્રીઓના સંશયોનું નિરસન કે વિરોધોનો પરિહાર કે સમન્વય સદ્ગુરુશ્રી સહજમાં સરળતા-પૂર્વક કરી આપતા ! મંદવાડની જાણ થતાં સદ્ગુરુશ્રીનો વિશાળ શિષ્ય સમુદાય હતો તેની ભીડ થતી. સદ્દગુરુશ્રીની સેવાનો લહાવો લેવા સૌ આવે. એક બાજુ સદ્ગુરુશ્રી મંદવાડની ચેષ્ટા જણાવે, તો બીજી બાજુએ સંત-હરિભક્તોની સભા થાય, જ્ઞાનવાર્તા સદ્ગુરુશ્રી પોતે કરે, જમવાની પંક્તિઓ થાય, એવું લાગે કે જાણે મોટી પારાયણ થતી ન હોય ! કોઈ પૂછે કે 'બાપજી! કેમ છે?’ તો પોતે જવાબ દે : “આપણે તો એક મહા-રાજની મૂર્તિ જ છે.” જાણે કાંઈ માંદગી જ ન હોય તેમ સૂતાં સૂતાં સૌને બોલાવે, જમાડે, વાતો કરે. એમ જણાઈ આવે કે મોટા મુક્તોનો મંદવાડ તો અનંત જીવોના કલ્યાણ પૂરતો જ હોય, કેમકે મોટા મુક્તની સેવાના પ્રસંગમાં જે કોઈ આવે તથા તેમના દર્શન-સેવા-સમાગમ કરી સુખનો લહાવો પ્રાપ્ત કર્યો હોય, તેઓનું આત્યંતિક કલ્યાણ સહેજે થાય. આવી રીતે સદ્ગુરુશ્રીની સેવાચાકરી કરી કેટલાય પોતાના ધન્યભાગ્ય જાણી કૃતાર્થ થઈ ગયા. સદ્દગુરુશ્રીના રાજીપામાં જે જે આવી ગયા, તે અદ્ભુત દિવ્ય મેવા પામી ગયા. આમ સદ્ગુરુશ્રીના મંદવાડમાં પણ જીવોના ઊર્વીકરણની પ્રક્રિયા સતત ચાલુ ને ચાલુ જ હતી. ખરેખર તો, અવરભાવમાં દેખાતો મંદવાડ પણ એ પ્રક્રિયાનો જ ભાગ હતો! સદ્ગુરુશ્રીની સેવાનો ને દિવ્યતાનો લાભ લેવા હરિ-ભક્તોના મંડળ બેઠા જ હોય! રાતના ૧૨-૧ વાગ્યા સુધી સતત દિવ્ય મોજ મળતી રહે, હરિભક્તોને સદ્ગુરુશ્રી પાસેથી ઊઠવાનું મન જ ન થાય. પરાણે ઊઠવું પડે. કેટલાય હરિભક્તો તો એ લાભ લેવા પરગામથી અમદાવાદ રહેવા આવી ગયા તો કેટલાય અમદાવાદના અન્ય સ્થળે રહેતા હોય ને સરખો લાભ લેવાનું અનુકૂળ ન પડે તેવું હોય તો ઘર બદલી સરસપુર મંદિરની નજીકના સ્થળે રહેવા આવ્યા. જર્મન ડૉકટર-ડૉ. ગાસ્કેલ-ની સારવાર ચાલતી હતી. એક દિવસ પરોઢિયે સદ્ગુરુશ્રીની નાડી ૨૦ થી ૩૦ થઈ ગઈ. સેવામાં રહેલા ડૉ. પ્રિયકાંતભાઈને લાગ્યું કે હૃદયમાં લોહીનું રોકાણ થતું હશે. આ પરિસ્થિતિ ચાલુ રહે તો મગજ સુધી પહોંચતું લોહી ઓછું થવા લાગે ને તેનાથી ખરાબ પરિણામ આવે. તરત જર્મન ડોકટરને તેડાવ્યા. તેમણે નાડી જોઈ, પણ સદ્ગુરુશ્રી તો રોજની જેમ વાતો કરતા હતા. જર્મન ડોક્ટરને ય આશ્ચર્ય થયું. ડૉ. પ્રિયકાંતભાઈને કહે: “મૂંઝાશો નહીં, આ તો બહુ મોટા પુરુષ છે!” બહાર નીકળતી વખતે ડૉકટરે ડૉ. પ્રિયકાંતભાઈને પૂછ્યું કે તમે એમ. બી. બી. એસ. ડૉકટર થઈને આમની સેવામાં ચોવીસે કલાક રહો છો, તો તે તમારે શું સગાં થાય? પ્રિયકાંતભાઈ કહે : એ અમારા આધ્યાત્મિક પિતા છે! જર્મન ડોકટર કહે : “ડોકટર, તમારી પસંદગી ખરેખર વખાણવા લાયક છે. He commands his disease, the disease does not command him. (આ મહાપુરુષ ઉપર રોગનું કાંઈ ચાલતું નથી, તેઓશ્રી કહે તેમ રોગને કરવું પડે છે !) 🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર