Follow
c.j. jadav
@44336850
12,938
Posts
23,146
Followers
c.j. jadav
2.1K views
4 hours ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 107 કોઈ હરિભક્તને કાંઈક વ્યાવહારિક દુ:ખ હોય, અગર કોઈ મંદવાડ હોય, અગર કોઈને ધ્યાન-ભજનમાં સંકલ્પ નડતા હોય, ભગવાનના સ્વરૂપમાં એકાગ્રતા ન થતી હોય, તો સદ્ગુરુશ્રી પાસે જઈ વાત કરે ને સદ્ગુરુશ્રી આશીર્વાદ આપે કે “શ્રીજીમહારાજને સંભારજો, મહારાજ સારું કરી દેશે.” – અને એની આંતર-બાહ્ય મૂંઝવણ ટળી જતી. જેમ બાળકને મા પાસે જતાં હૂંફ મળે તેમ સદ્ગુરુશ્રી પાસે જતાં શાંતિ થઈ જતી. સદ્ગુરુશ્રીના ત્યાગ-વૈરાગ્યની સરખામણીમાં બીજા બહુ થોડા જ આવી શકશે. ત્યાગ-વૈરાગ્યની બાબતમાં સદ્ગુરુશ્રીના અતિ કડક વલણને લીધે તેમની સેવામાં રહેનારા સાધુઓ પણ ક્યારેક મૂંઝાઈ જતા. પરંતુ આ ત્યાગની તીવ્રતાને પોતે સમાવીને રહેતા. બહારથી આવનારા કે ગૃહસ્થ હરિ-ભક્તોને તેની બહુ જાણ થવા દેતા નહીં. પોતાની અંગત સેવામાં રહેનારા જ એ બાબતથી પરિચિત હતા. તે ત્યાગ નિષ્ઠા નકારાત્મક ન હતી, પરં'તુ પોતે સદાય ભગવદ્સ્વરૂપના સુખમાં જ રહેતા એ કેફે કરીને પ્રભુ સિવાય જગતમાં બીજે ક્યાંય સારપ જણાતી નહિ. એ ત્યાગ-વૈરાગ્ય શાને યુક્ત હતા. તેઓ શ્રીહરિના સ્વરૂપ સંબંધી લક્ષ્યાર્થ જ્ઞાનના જ હિમાયતી હોવાથી તેમનાં ત્યાગ-વૈરાગ્ય વગેરે મહાન ગુણો સૂક્ષ્મ અવલોકન કરનારા સિવાય બીજાને બહુ જણાય નહિ તેમ ઢાંકીને વર્તતા. સદ્ગુરુશ્રી આજ્ઞા ને વર્તમાન પાળવા પળાવવા બાબત બહુ જ આગ્રહી હતા. તેમાં જરા પણ શિથિલતા ચલાવી ન લેતા. કોઈમાં શિથિલતા જણાય તો સાચી સમજણ આપી, પ્રાયશ્ચિત્ત કરાવી તેને શુદ્ધ કરતા. તેઓશ્રી કહેતા : “સત્સંગી થાય ને જો વર્તમાન કે આજ્ઞા ન પાળે તો શ્રીજીમહારાજને ન પામે.” સમૈયા ઉપર કે બીજા દિવસોમાં સદ્ગુરુશ્રી પાસે હરિ-ભક્તોની ભૌડ સદાય જામેલી જ હોય. તેઓશ્રીની પાસે જઈને બેસીએ નેટલામાં જ અંતરમાં અલૌકિક શાંતિ અનુભવાતી. તેઓશ્રીની સહૃદયતા અગાધ હતી. જે કોઈ તેઓશ્રીની પાસે આવે તેનું દુ:ખ કેમ ટળે તેની જ તેમને ફિકર રહેતી. આશીર્વાદ આપવાનો ફક્ત દેખાવ કરવાનું તેમની રુચિમાં ન હતું. કોઈ પોતાના દુ:ખની વાત કરે ત્યારે તેમનું હૃદય દ્રવી જતું. તેઓશ્રી કહેતા: “શ્રીજીમહારાજ સારું કરશે.” તેમનું આટલું વચન દુ:ખથી ભાંગી પડેલા માટે બસ હતું. તેઓશ્રીના આશીર્વચનથી અનેકના જીવનમાં પરિવર્તન થઈ ગયાના દાખલાઓ છે. તેઓશ્રી ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરાવતા. વિદ્યાભ્યાસ કરતા સંતોને હરિભક્તો પાસે મદદ કરાવતા. દીન દુઃખીને આશીર્વાદ, અન્ન-વસ્ત્ર, નોકરી-ધંધા વગેરે આપી-અપાવી તેનું દુ:ખ તથા મુશ્કેલીઓ ટાળતા. માંદાની પણ ચીવટ રાખી સંભાળ રાખતા-રખાવતા. આમ પોતાના જોગમાં આવનાર આલોકમાં અને પરલોકમાં બંને રીતે સુખી થાય તેમ કરતા. ‘કોઈને દુ:ખિયો રે, દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકળા થાય. અન્ન, ધન, વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે, દેખી વાનજ વાળે.’ શ્રીજીમહારાજના આવા કરુણાસભર ગુણો સદ્ગુરુશ્રીના જીવનમાં ચરિતાર્થ થયેલા જણાતા હતા. 🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
c.j. jadav
584 views
1 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 106 ગામ મેથાણવાળા પટેલ કેશવજીભાઈને મંદવાડમાં એક વખત શ્રીજીમહારાજ તથા બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે 'ચાલો, તમને અમે ધામમાં તેડી જવા આવ્યા છીએ. કેમ આવવું છે ને? ' એ વખતે સદ્ગુરુ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “આમને હમણાં રાખો તો ઠીક. " આથી મહારાજ તેમને એ વખત મૂકી ગયા અને મંદવાડ પણ મટી ગયો. એક વખત જેતલપુરમાં સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને કૂતરું કરડેલું. તેની પીડા છતાં અનિવાર્ય હોવાથી તેમને મૂકીને સદ્ગુરુશ્રી એક દિવસ અમદાવાદ આવ્યા ત્યારે પાછળથી એ બહુ જ ઉદાસ થઈ ગયા. તે વખતે સદ્ગુરુશ્રીએ તેમને પ્રત્યક્ષ દર્શન આપી કહ્યું કે તમે કેમ મૂંઝાઓ છો? અમે ક્યાં ગયા છીએ? તમને સારું થઈ જશે. અને એ જ વખતે તેમને શાંતિ થઈ ગઈ. અ.મુ.શ્રી કાનજીભાઈ અમીચંદભાઈ ગાંધીએ સદ્ગુરુશ્રી વિષે પોતાનો અનુભવ ટાંક્યો છે : “સં. ૧૯૮૦ની સાલમાં હું ધ્રાંગધ્રામાં હતો, ત્યાં એક વખત દૂધ જમ્યા પછી ઊલટી અને ઝાડા થઈ ગયા. હું બહિભૂમિ જવા નદી ઉપર ગયો હતો, ત્યાં બેહોશ જેવો થઈ પડી ગયો. એ વખતે સ્વામીશ્રીએ દર્શન આપી કહ્યું કે અહીંથી ઘેર જાવ, હવે ઠીક થઈ જશે. એ પળે જ મને ઠીક થઈ ગયું ને સ્વામીશ્રી અદશ્ય થઈ ગયા ને હું સાજોસમો ઘેર આવ્યો. વળી, સ્વામીશ્રી અંતર્ધાન થયા ત્યારે હું ધ્રાંગધ્રામાં હતો, ત્યાં ભારાસરવાળા રામજી વાલજી આવ્યા હતા. તેમણે કહ્યું કે સ્વામીશ્રીના નિમિત્તે સંતહરિભક્તો પારાયણ બેસાડવાની વાતો કરતા હતા, પણ કાંઈ નક્કી થયું નથી. તે રાત્રિએ સ્વામીશ્રીએ મને સ્વપ્નમાં દર્શન દઈ કહ્યું કે આજ સરસપુર મંદિરમાં શિક્ષાપત્રીભાષ્યની પારાયણ શરૂ થઈ ગઈ છે, તમે એ કથામાં જરૂર આવજો. તે પ્રમાણે હું સરસપુર ગયો ને લાભ લીધો. આવા મહાન પુરુષના જોગમાં જે જે આવ્યા તથા હજી પણ જે તેમને દિવ્યભાવે સંભારશે તેમને મહારાજ પોતાની મૂર્તિનું સુખ જરૂર આપશે.” સં. ૧૯૯૮ના આસો માસમાં સદ્ગુરુશ્રી ઈશ્વરચરણ-દાસજી સ્વામીને અ.મુ. હીરજીભાઈ રાજકોટ લઈ આવ્યાના ખબર મળતાં, અ. મુક્તરાજશ્રી મનસુખભાઈ (સરાવાળા)ને ત્યાં દર્શને જવાની તાણ બહુ થઈ, પણ તે વખતે તેમને તાવ બહુ આવતો હતો એટલે જવાયું નહિ. તેથી તેમને ઘણું જ દુ:ખ થયું, પછી સદ્ગુરુશ્રી ત્યાંથી પાછા સરસપુર પધાર્યા એવી ખબર મળતાં તેમની ઉદાસીનતાનો પાર રહ્યો નહિ. તેઓ રોજ સંભાર્યા કરે કે ક્યારે દર્શન દેશે? એમ કરતાં દિવાળીના રોજ રાત્રે અગિયાર વાગ્યાના સુમારે તેમને એવાં અલૌકિક દર્શન થયાં, જાણે તેજનો મોટો ડુંગરો ! તેમાં અનંત મુક્તો દેખાય, વચમાં શ્રીજીમહારાજ બેઠા હતા. ત્યાં પડખે સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી દેખાયા. પછી તો જ્યાં નજર કરે ત્યાં તેજ તેજ દેખાય, અને તે તેજમાં મુક્તોનાં દર્શન થાય, તેમ બે કલાક સુધી એ મુક્તો પરસ્પર વાતો કરતા હતા, તેથી તેમને બહુ સુખ આવ્યું. તેમને સામાન્ય રીતે કાને સંભળાતું ન હતું, પણ એ વખતે બધું સંભળાતું હતું. પછી સદ્દગુરુ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી તેમને કહે: 'તમારે બહુ તાણ હતી, તેથી મહારાજ તથા દિવ્ય મુક્તોએ તમને દર્શન આપ્યાં. આ સુખ સંભારી રાખજો, હવે અમે અંતર્ધાન થઈએ છીએ.’ વળી ભલામણ કરી કે 'બાપાશ્રીની કૃપામાં જે જે આવ્યા છો તે એકબીજામાં સંપ રાખજો, તો અમે રાજી થઈશું. વચન લોપીને કોઈ મોટાને ખતરાવશો નહિ. આ વાત સૌ હેતવાળાને કરજો,’ એટલું કહીને અદશ્ય થઈ ગયા. 🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર