⛈️રાજ્યમાં ભર ઉનાળે ચોમાસું જામ્યું

Sanjay ᗪesai
3.3K views
3 days ago
#⛈️આ શહેરોમાં કમોસમી વરસાદ, રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનો પારો 42ને પાર પહોંચ્યો છે. જેના કારણે લોકો કાળઝાળ અકળવાતી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હજુ પણ ગરમીથી કોઇ રાહત ન મળવાનો અહેવાલ રજૂ કર્યો છે. જો કે આ સાથે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. આ સાથે ક્યાંક છૂટછવાયો ઝરમર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વલસાડ અને ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે સાપુતારામાં ધીમીધારે વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે. વલસાડ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભિતી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આજે માવઠાની આગાહી પણ કરી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.બીજી તરફ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. હિલ સ્ટેશન સાપુતારામાં વાદળછાયા માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે ઘાટમાર્ગ પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ છે. ઝીરો વિઝિબિલિટીની સ્થિતિ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે સૂચના આપવામાં આવી રહી છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં બદલાયેલા વાતાવરણને કારણે એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો અને વાહનચાલકો માટે મુશ્કેલી પણ ઉભી થઈ છે. #🌦️ હવામાન અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ
Sanjay ᗪesai
27.8K views
3 days ago
#⛈️કમોસમી વરસાદની આગાહી, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન થઈ રહ્યા છે, પરંતુ હવે હવામાનમાં ધીમે ધીમે બદલાવ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. સાથે જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. આજથી જ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા તેમજ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દ્વારકા, જામનગર અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 22 મેથી 24 મે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાનમાં આ બદલાવને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને પવનોના બદલાતા પ્રવાહને કારણે ચોમાસાની ગતિ હાલમાં થોડી ધીમી પડી છે. જોકે આ સિસ્ટમ ઓમાન તરફ આગળ વધતા ચોમાસું ફરી સક્રિય બનશે અને કેરળ કાંઠે તેની એન્ટ્રી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે. આગાહી મુજબ 26 મેથી 1 જૂન દરમિયાન ચોમાસું કેરળ કાંઠે પહોંચવાની શક્યતા છે.અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્ર અંગે પણ મહત્વની વાત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે રોહિણી નક્ષત્ર ઉતરતી વખતે પડતો વરસાદ ખેતી માટે સારો અને લાભદાયી માનવામાં આવે છે. રાજ્યમાં 1 જૂનથી 5 જૂન દરમિયાન પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમય દરમિયાન કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે, જે ખેડૂતો માટે રાહતરૂપ બની શકે છે.આ સાથે જ તેમણે જણાવ્યું કે 27 મે બાદ ફરી રાજ્યમાં ઉકળાટમાં વધારો થઈ શકે છે. જોકે હાલ વરસાદી પવનો અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળશે. બીજી તરફ 23 મે સુધી નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આદ્રા નક્ષત્ર દરમિયાન એટલે કે 23 જૂન બાદ રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વધુ મજબૂત બનશે. હાલ લોકો ગરમી વચ્ચે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ આગાહીએ આશાનું નવું કિરણ જગાવ્યું છે. #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🌦️ હવામાન અપડેટ્સ