ShareChat
click to see wallet page
search
🍃🍃💞🍃🍃 *🥀આજે ચૈત્ર સુદ - ૧૫ હનુમાન જયંતિ...* *मनोजवं मारुततुल्यवेगं...* *जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् !!* *वातात्मजं वानरयूथमुख्यं...* *श्रीरामदूतं शरणं प्रपद्ये !!*                      *🥀સંકટમોચન હનુમાનજી બજરંગબલીના નામે પણ જાણીતા છે. હનુમાનજી ભગવાન શિવજીના રુદ્ર અવતાર છે. કળિયુગના પ્રભાવથી નારદજી , વશિષ્ઠ વગેરે ચિરંજીવી ઋષિમુનિઓ આ પૃથ્વી ઉપર આવતા નથી. દેવાધિદેવ મહાદેવજીએ જે કોઈ ધર્મનિષ્ઠ ભગવાનના ભક્ત હોય એમનું રક્ષણ કરવાની જવાબદારી હનુમાનજીને સોંપી છે. એટલે રોકડીયા દેવ કહેવાય છે. જે કોઈ ધર્મ-નિયમમાં વર્તતા હોય એમના સંકટ હનુમાનજી દૂર કરે છે. અને જે મનસ્વી રીતે વર્તે છે અને પાપ કરે છે તેને તેના કર્મનું ફળ ભોગવવું પડે છે તેમની કોઈ દેવ સહાયતા કરતા નથી. હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી ભક્તોના સંકટ દૂર થાય છે. એ જ કારણસર તેમને સંકટ મોચન દેવ પણ કહેવામાં આવે છે. હનુમાનજીની આરાધનાથી ભક્તોને તમામ પ્રકારના રોગ-પીડા અને ભૂતપ્રેતના ભયમાંથી મુક્તિ મળે છે. સાથે જ હનુમાનજીની પૂજા કરવાથી આપણાં આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી કે એમનું સ્મરણ કરવાથી તમામ પ્રકારના ગ્રહ દોષનું પણ નિવારણ થાય છે. તેથી ભક્તો હનુમાન જયંતીના દિવસે ઉપવાસ કરીને હનુમાનજીની ઉપાસના કરે છે.*            *હનુમાનજીને લાડુની પ્રસાદી અતિપ્રિય છે. તેથી હનુમાનજીને હંમેશા લાડુની પ્રસાદી અર્પણ કરવામાં આવે છે. તેથી ભક્તો બુંદી, મોતીચુર અથવા બેસનના બનાવેલાં લાડુનો હનુમાનજીને ભોગ ચઢાવતા હોય છે. રાવણે મંત્ર શક્તિથી ગ્રહોને બંદી બનાવેલા. હનુમાનજીએ બધાય ગ્રહોને મુક્ત કરાવેલા. એટલે શનિદેવે વરદાન આપ્યું કે હે હનુમાનજી ?? તમારી ઉપાસના કરનાર ભક્તને મારી વક્ર દ્રષ્ટિનો કોઈ પ્રભાવ નહિ નડે. હનુમાનજી તમામ પ્રકારના ગ્રહ દોષોને દૂર કરે છે. આ ઉપરાંત ઘણાં લોકો હનુમાનજીને જલેબીનો કે સુખડીનો પણ ભોગ ધરાવતા હોય છે.*              *હનુમાનજી ચિરંજીવી છે. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને ચિરંજીવીનું વરદાન આપેલું છે. હજી પણ જ્યાં રામાયણની કથા થાતી હોય ત્યાં હનુમાનજી દિવ્ય સ્વરૂપે પધારે છે. હનુમાનજી ભગવાનના રામ અવતાર ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ પ્રભુની સેવામાં પણ હંમેશા દિવ્યસ્વરૂપે હાજર રહેતા. સ્વામિનારાયણ ભગવાનના પિતા ધર્મદેવના " કુળદેવ " હનુમાનજી છે. ભગવાન સ્વામિનારાયણે સ્વધામ પધારતા પહેલા જેમને સત્સંગની સોંપણી કરેલી એવા મહાસમર્થ સદગુરુ શ્રી ગોપાળાનંદસ્વામીએ સાળંગપુરમાં સંકટમોચન હનુમાનજીને પધરાવ્યા છે. જે આજે પણ ઘણા જ ચમત્કારિક વિશ્વ વિખ્યાત છે.* *🦋 સંકટમોચન હનુમાનજી આપના સર્વે સંકટ દૂર કરીને જીવનમાં સુખ - શાંતિ અને સમૃદ્ધિ આપે એજ પ્રાર્થના...*🦋                          🍃🍃💞🍃🍃 #હનુમાન જયંતિ સ્પેશ્યિલ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
હનુમાન જયંતિ સ્પેશ્યિલ - मनोजवं मारुततुल्यवेगं... जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् !! वातात्मजं वानरयूथमुख्यं.. श्रीरामदूतं शरणं प्रपद्ये !! ஆதிவிலgடு ல கு்குலீலே cj:jadav मनोजवं मारुततुल्यवेगं... जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् !! वातात्मजं वानरयूथमुख्यं.. श्रीरामदूतं शरणं प्रपद्ये !! ஆதிவிலgடு ல கு்குலீலே cj:jadav - ShareChat