c.j. jadav
619 views • 1 days ago
🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 98
સં. ૧૯૭૫માં વસંત પંચમીનો સમૈયો કરી સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, સ.ગુ.શ્રી વૃંદાવનદાસજી સ્વામી, સ.ગુ.શ્રી ધનશ્યામજીવનદાસજી સ્વામી આદિ ઘણાં સંતો અમદાવાદ-મૂળી થઈ વૈશાખ માસમાં ભુજ દર્શને આવ્યા. બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને તો આનંદ-આનંદ થઈ ગયો. પોતે તો સદ્ગુરુશ્રીને રાજી કરવામાં તત્પર રહે, પણ પોતાના હેત રુચિવાળા હરિભક્તોને પણ એ સેવામાં સ્નેહથી જોડે. તેમાં ભુજના વિઠ્ઠલજીભાઈ કેશવજીભાઈ દવેને સદ્ગુરુના પ્રભાવથી અહોભાવ થઈ આવ્યો. બ્રહ્મચારી મહારાજ તેમને સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી પાસે લઈ ગયા અને સત્સંગમાં સદાય ચડતો રંગ રહે તેવા આશીર્વાદ અપાવ્યા. સ્વામીશ્રીની કૃપાદષ્ટિથી વિઠ્ઠલજીભાઈનું સમગ્ર જીવન બદલાઈ ગયું ને શ્રીજીમહારાજ અને મુક્તોની સેવાના કાર્યમાં તેઓએ જીવન સમર્પણ કર્યું. કેટલો બધો જીવન પલટો!
એક વખત સદ્ગુરુશ્રી રેલ્વેમાં જઈ રહ્યા હતા, ને શેઠ હીરજીભાઈ ભીમજીભાઈ ચાવડા મળી ગયા. સં. ૧૯૫૮માં તેઓ સદ્દગુરુશ્રીને મળેલા, પણ સં. ૧૯૬૦માં કોઈ કારણસર થોડો વિવાદ થતાં સદ્ગુરુશ્રીની આજ્ઞા માની શકેલા નહીં. તેમના પિતાશ્રી ભૌમજીભાઈને તે વાતની જાણ થતાં તેમને ખૂબ દુ:ખ થયું. મનોમન સદ્ગુરુશ્રીને પ્રાર્થના કરી, ત્યારે સદ્દગુરુશ્રીએ દિવ્યરૂપે દર્શન દઈ કહેલું કે અમે હીરજીને જાળવી લેશું. તે પછી હીરજીભાઈ પરોક્ષશાસ્ત્રના અભ્યાસમાં ને વેપાર ધંધામાં લાગી ગયા, ને સત્સંગરંગ ઓછો થઈ ગયો. આમ લગભગ વીસ વર્ષે હીરજીભાઈને સદ્ગુરુશ્રીનો મેળાપ અચાનક રેલ્વેમાં થઈ ગયો. સદ્દગુરુ તો વાત્સલ્ય મૂર્તિ. કરુણાર્દ્ર દષ્ટિએ હીરજીભાઈને જોઈ રહ્યા, તેમના ખબર અંતર પૂછ્યા, તેમનું મુંબઈનું સરનામું લીધું, ને મૂળી મંદિરના પાટોત્સવની સામાન્ય વાતો કરી, શ્રીજીમહારાજના મહિમા-પ્રતાપની વાતો કરી પાછા સત્સંગ તરફ વાળ્યા. સદ્ગુરુશ્રીએ રાજી થઈ ખૂબ આશીર્વાદ આપ્યા. એ પછી હીરજીભાઈની આર્થિક સધ્ધરતા ઘણી વધી. વિશેષે તો સદ્-ગુરુશ્રીની કૃપાદષ્ટિમાં આવી જતા હીરજીભાઈ સેવા, સમર્પણ ને જ્ઞાન-ઉપાસનામાં અનન્ય અગ્રણી બની રહ્યા !
સદ્ગુરુશ્રી બાપાશ્રી સાથે કરાંચો પધાર્યા હતા તે દરમ્યાન વિરમગામમાં અ.મુ. ડૉ. નાગરદાસભાઈને ડબલ ન્યૂમોનિયાની સખત માંદગી થઈ ગયેલી. તેમણે કરાંચી બાપાશ્રી તથા સદ્ગુરુશ્રી ઉપર તાર કરાવ્યો કે દયા કરી તરત દર્શન દેવા પધારો. તે સમાચાર જાણી બાપાશ્રી તથા સંતો કરાંચીથી નીકળવા તૈયાર થયા, પણ કેટલાક હરિભક્તોને રસોઈ દેવાના સંકલ્પ અધૂરા રહેતા હતા, તેથી બાપાશ્રીએ સદ્ગુરુશ્રી સહિત વિરમગામમાં નાગરદાસભાઈને દિવ્યરૂપે દર્શન આપ્યા! પોતે માંદા હોવા છતાં બેઠા થઈ પગે લાગવા મંડયા. કહે : "બાપા! બહુ દયા કરી, આમ ઓચિંતા પધાર્યા!” બાપાશ્રી કહે : “અમે તો હજી કરાંચીમાં જ છીએ, પણ તમે સંભાર્યા તેથી દર્શન આપ્યા.” એ દિવ્ય દર્શન પછી ડોકટર સાજા થઈ ગયા.
હેતરુચિવાળા હરિભક્તોને સદ્ગુરુશ્રીનું દિવ્ય સ્વરૂપે માતૃવત્ રક્ષણ મળતું હતું. એક વાર રામગ્રી ગામના નારાયણ-ભાઈ ખેતર ગયા હતા. ત્યાં તેમને ઘણો તાવ આવ્યો. તેમણે શ્રીજીમહારાજ, બાપાશ્રી તથા સદ્ગુરુશ્રીને હેતપૂર્વક સંભાર્યા. તે સમયે સદ્ગુરુશ્રીના દર્શન થયાં. સદ્ગુરુશ્રી તેમનો હાથ ઝાલી ઘર સુધી મૂકી ગયા! હેતથી સંભારનારને તો મહારાજ તથા મુક્તો અણુમાત્ર છેટા નથી.
🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
13 likes
10 shares