c.j. jadav
711 views • 1 days ago
🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 104
ધ્રાંગધ્રાના પ.ભ. નારાયણભાઈ ઠક્કર અને તેમના મોટાભાઈ પ.ભ. ડો. અમૃતલાલભાઈ ઠક્કર સદ્ગુરુશ્રીના દર્શને વાડજ આવ્યા. એ વખતે સદ્દગુરુશ્રી પથારીવશ હતા, એ સ્થિતિમાં દર્શન આપતા હતા. આ બંને ભાઈઓને જોઈને સદ્ગુરુશ્રીએ અતિ પ્રસન્નતા જણાવી, સાંજે રોક્યા, આગ્રહ પૂર્વક જમાડ્યા ને રાત્રે બંગલાની અગાશીમાં સૂવા માટે વ્યવસ્થા કરાવી. પરોઢના આશરે ચાર વાગ્યાના સુમારે બંને ભાઈ જાગી ગયા. વાતાવરણમાં અનેરી શાંતિ ને આનંદ પ્રવર્તતાં હતાં. બંને ભાઈઓ કીર્તન ગાતા ગાતા અગાશીમાં ટહેલવા લાગ્યા. ત્યાં અગાશીમાંથી એકાએક નીચે જોતાં આશ્ચર્યકારક દર્શન થયા. સદ્દગુરુશ્રીને સાજા તાજા ભવ્ય સ્વરૂપમાં બંગલાના ચોકમાં ફરતા દીઠા! દોડતા સીડી ઉતરી નીચે આવ્યા તો સગુરુશ્રી પોતાના બિછાનામાં જ હતા. બંને ભાઈઓને ખૂબ અહોભાવ થઈ રહ્યો અને સદ્ગુરુશ્રીના ચરણોમાં ઢળી પડ્યા. સદ્દગુરુશ્રીએ તેઓના માથે હાથ મૂકી પ્રસન્નતા જણાવી ને ઘડીભર દેહભાનનું વિસ્મરણ થઈ ગયું ને દિવ્ય આનંદ ને શાંતિનો અનુભવ કરવા લાગ્યા. સદ્-ગુરુશ્રીએ તેમને વર્તમાન ધરાવ્યા અને 'આ તમારો છેલ્લો જન્મ' એમ આશીર્વાદ આપી કહ્યું: “તમે અમદાવાદ મંદિરમાં સદ્. વૃન્દાવનદાસજી સ્વામી પાસે જજો, તેઓશ્રી તમને છેલ્લા વર્તમાન સમજાવશે.”
બંને ભાઈઓ હવે મંદિર જવા નીકળ્યા. ત્યાં પહોંચ્યા કે તરત જ સ.ગુ. વૃન્દાવનદાસજી સ્વામીએ પૂછ્યું : “તમને સ્વામીશ્રીએ અહીં મોકલ્યા?” આશ્ચર્ય સાથે તેમણે ‘હા’ પાડી. સ્વામીશ્રીએ રાત્રે સૂવા માટે તેઓના માટે આસનની વ્યવસ્થા કરાવી. પછી સભા પૂરી થયા બાદ રાત્રે એક વાગ્યા સુધી ‘છેલ્લા વર્તમાન'ના રહસ્યની ગહન વાતો સમજાવી, મૂર્તિ-સુખના આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા. સદ્ગુરુશ્રીના સમાગમ ને સાંનિધ્યના સ્વાનુભવના આધારે અ.મુ. નારાયણ-ભાઈએ નોંધ કરી છે કે - "છેલ્લા વર્તમાન એટલે અનાદિ મુક્તની સ્થિતિનો અનુભવ. સદ્ગુરુશ્રીની જ્ઞાન સમજાવવાની રીત જેમ આગવી ને ન્યારી હતી તેમ શ્રીહરિની કૃપા વરસાવવાનું તેઓશ્રીનું સામર્થ્ય પણ અજબ ને અલૌકિક હતું.”
એક નવયુવક, જેના હૃદયમાં પ્રભુ પ્રાપ્તિની તીવ્ર ઉત્કંઠા હતી, સંસાર પ્રત્યે અતિ વિતરાગી હતો, યોગ્ય માર્ગદર્શક-ગુરુની શોધમાં ફરતો-ફરતો સદ્ગુરુશ્રી ઈશ્વરચરણ-દાસજી સ્વામી પાસે આવી પહોંચે છે. “સ્વામી! મન આપની પાસે રાખો, મારે આપના શિષ્ય થઈ રહેવું છે.” થોડો વખત વીતે છે ત્યાં તેના માતા-પિતા, સગાં-સંબંધીઓ આવીને સદ્ગુરુશ્રીને વિનંતી કરી તેને પાછો ઘેર લઈ જાય છે. ફરી વૈરાગ્યની તીવ્રતાને લીધે ઘર છોડી સ્વામીશ્રી પાસે આવે છે અને ફરી પાછા તેના વાલીઓ સદ્ગુરુશ્રી પાસે આવીને તે યુવકને ઘરે લઈ જાય છે. આમ નવ વાર તે યુવક સદ્દગુરુશ્રી પાસે આવે છે, પરંતુ તેના માબાપની રજા ન મળતાં સદ્ગુરુશ્રી તેને પાછો ઘરે મોકલી આપે છે. યુવકને કેટલો તીવ્ર વેરાગ્ય ! અને સ્વામીશ્રીની કેવી આકરી કસોટી ! ફરી ને યુવકનો વૈરાગ્ય તેને ઘર છોડી સદ્દગુરુશ્રી પાસે લઈ આવે છે. હવે તેના સંબંધીઓના હાથ હેઠા પડે છે. વૈરાગ્યના પ્રબળ જોર સામે માયા-મમતાનો પરાજ્ય થાય છે. સંબંધીઓ સદ્ગુરુશ્રી પાસે આવીને પ્રાર્થના કરે છે કે હવે આ છોકરો સંસારમાં નહીં રહી શકે. તેના સાચા માવતર તો આપ છો, તો આપની પાસે જ તેને રાખો એવી અમારી નમ્ર વિનંતી છે. પછી સદ્ગુરુશ્રી તેને પોતાની પાસે રાખે છે; એ તીવ્ર વૈરાગ્યવાન યુવક તે આપણા સ્વામીશ્રી દેવજીવનદાસજી જેમણે સદ્ગુરુશ્રી પાસે રહી, તેમની કૃપા સંપાદન કરી, શ્રીજીમહા-રાજનો સાક્ષાત્કાર કરી, સર્વોત્તમ દિવ્ય સ્થિતિ પ્રાપ્ત કરી હતી.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
5 shares