c.j. jadav
577 views 2 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 99 એક દિવસ બપોરે નવીવાડીમાં બાપાશ્રી સંત-હરિભક્તો પ્રત્યે મહારાજના મહિમાની વાતો કરતા હતા, ત્યાં કેરાના હરિભક્તના છોકરાને આંચકી આવી અને તેના બાપના ખોળામાં તે છોકરો દેહ મૂકી ગયો. તેના બાપે તે છોકરાને સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના ખોળામાં નાખ્યો. સદ્ગુરુ કહે : “અરે! આ શું? આનો તો દેહ પડી ગયો છે.” બાપાશ્રી કહે: “સ્વામી! એ છોકરાને પાણી પાઓ, મહારાજ સારું કરશે.” સદ્ગુરુશ્રીએ તેના મોંમાં પાણી મૂક્યું એટલે તે બેઠો થયો! બાપાશ્રી કહે: “નૈમિષારણ્ય ક્ષેત્ર હોવાથી તે બચી ગયો, ને એનું કામ પણ થઈ ગયું. સ્વામિનારાયણને ઘેર આવાં અલૌકિક કામ થાય છે." સદ્ગુરુશ્રી સરસપુર મંદિરમાં બિરાજતા હતા, ત્યાં એક દિવસ બહેચરભાઈ તેમના એક મિત્ર મથુરદાસ માધવ-દાસને લઈને આવ્યા. મથુરભાઈ મૂળ તો શંકરાચાર્યના અદ્વૈત મતમાં માનતા હતા, પણ બહેચરભાઈના પરિચયમાં આવ્યા પછી ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યે ગુણભાવ થયેલો. તેઓ સદ્ગુરુ પાસે પ્રથમ વાર જ આવ્યા હતા અને સદ્ગુરુશ્રીને પૂછવા માટે એકવીસ પ્રશ્નો તૈયાર કરેલા. તેમણે મનમાં ધારેલું કે આ અઘરા પ્રશ્નોના ઉત્તર જો સદ્દગુરુ કરે તો તેમને મોટા પુરુષ માનવા. સદ્ગુરુશ્રી તો અંતર્યામી ને કરુણા સાગર! મથુરભાઈ સાથે વાતો કરવા માંડી. મથુરભાઈ જે પ્રશ્નો લઈને આવેલા તે તેઓ પૂછે તે પહેલાં જ પોતે જાણી લઈ પોતાના ઉપદેશમાં તેમના તમામ પ્રશ્નોના ઉત્તરો આપી દીધા! મથુરભાઈ અહોભાવ સાથે બોલી ઊઠ્યા કે : "મારા અનેક જન્મનો પુરુષાર્થ આજે આપની કૃપાથી ફળીભૂત થયો.” સદ્ગુરુશ્રીની પ્રતિભા એવી જબરી હતી કે તેમને મોટા રાજાને પણ કાંઈ કહેવું હોય તો પણ જરાય થડક ન લાગે. એ અરસામાં જામનગરથી દરિયા કાંઠે જઈ આગબોટમાં બેસવા જવાનો રસ્તો ખૂબ જ ખરાબ હતો. તેથી મુસાફરોને ઘણી હાડમારી સહન કરવી પડતી. સૌને એ તકલીફનો અનુભવ થાય, પણ જામનગર તો મોટું રાજ્ય, તેના અમલ-દારોને કોણ કહે? સદ્દગુરુશ્રીએ તો જામસાહેબ રણજીતસિંહજી ઉપર જ સીધો પત્ર લખ્યો કે આપના રાજ્યમાં આગબોટને માટે દરિયા કાંઠે જતાં માણસોને ખૂબ જ તકલીફ થાય છે, તેનો કાંઈક બંદોબસ્ત કરવો જોઈએ. રાજાએ પોતે જ્યારે આ વાત જાણી ત્યારે અંગત રસ લઈ, તે રસ્તો સુધરાવ્યો ને સદ્ગુરુશ્રીએ ધ્યાન દોર્યા બદલ આભાર વ્યક્ત કર્યો અને તેમને પડેલી તકલીફ બદલ દિલગીરી વ્યક્ત કરી. મૂળીના સ્વામી શ્વેતવૈકુંઠદાસજી તથા સ્વામી દેવજીવન-દાસજી તથા બીજા સંતો ગામ સરામાં હતા, ત્યાં તેમને સદ્ગુરુશ્રીનો પત્ર મળ્યો કે 'બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે, અમે વૃષપુર જઈએ છીએ અને તમારે આવવું હોય તો આવજો.' બાપાશ્રીના મંદવાડના સમાચાર જાણી સ્વામી દેવજીવનદાસજી અત્યંત ઉદાસ થઈ ગયા. હરિભક્તોનો આગ્રહ હતો કે સંતો થોડા દિવસ સરા ગામમાં રોકાય તો વધુ લાભ મળે. પણ સંતોને એમ કે કઈ રીતે જલ્દી વૃષપુર જઈએ. એમ કરતાં રાન પડી. સદ્દગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ દેવજીવનદાસજી સ્વામીને પ્રત્યક્ષ દર્શન આપી હાથ ઝાલી જગાડ્યા. સદ્દગુરુશ્રી કહે : “તમે ઉતાવળા ન થજો, હરિભક્તોને રાજી કરીને વૃષપુર આવજો. આ મંદવાડમાં બાપાશ્રી દેહોત્સવ કરવાના નથી.” 🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ
13 likes
13 shares

More like this