c.j. jadav
945 views 9 days ago
🍃🍃🌼🍃🍃 🥀અષાઢ સુદી - ૧૧ પદ્મા એકાદશી.              નારદજી બ્રહ્માજીને પૂછે છે :- હે પરમ પિતા ? અષાઢ સુદ એકાદશીનું શું નામ છે ? વ્રતનો કેવો પ્રકાર છે ? તે મને કૃપા કરીને જણાવો.            બ્રહ્માજી કહે છે :- હે નારદજી ? આ એકાદશી થી વધારે પવિત્ર કોઈ વ્રત નથી. કષ્ટ સહન કરીને પણ આ વ્રત કરવું જોઈએ. આ એકાદશીનું નામ છે પદ્મા એકાદશી. પૂર્વે માંધાતા નામે પ્રતાપી સૂર્યવંશી રાજા હતા. ધર્મ પૂર્વક પ્રજાનું પાલન કરતા હતા. રાજા અને  પ્રજા પણ સુખી અને સમૃદ્ધ હતા. એક વાર કાંઈક કર્મ ફળ ભોગવવાનો વારો આવ્યો ને આ રાજ્યમાં ઘણા વર્ષ વરસાદ ન થયો. પ્રજા ભૂખે મરવા લાગી.            છેવટે પ્રજા રાજાને કહેવા લાગી કે હે રાજન ? ભગવાન નારાયણ મેઘરૂપે વૃષ્ટિ કરે છે. માટે સર્વેને સુખ થાય તેવો ઉપાય કરો. આ સાંભળીને રાજા વનમાં ઋષિમુનિઓ પાસે જવા નીકળ્યા. આગળ જતાં બ્રહ્માજીના પુત્ર અંગીરાઋષિના દર્શન થયા. રાજા ઘોડા ઉપરથી ઉતરીને વિનય પૂર્વક નમસ્કાર કર્યા.             મુનિએ આશીર્વાદ આપીને આવવાનું કારણ પૂછ્યું. રાજા કહે  છે હે ભગવન ? હું ધર્મ પૂર્વક પ્રજાનું પાલન કરું છું. તો પણ મારા દેશમાં વૃષ્ટિ નથી ને પ્રજા દુઃખી છે. માટે કોઈ ઉપાય જણાવો.  અંગીરાઋષિ કહે છે હે રાજન ? આ સત્યયુગમાં ધર્મ ચાર પગવાળો છે. આ યુગમાં બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે. છતાં અન્ય કોઈ તપ કરે છે. તેથી વરસાદ નથી. રાજા કહે છે હે  મુનિશ્રેષ્ઠ ? આ નો કાંઈક તો ઉપાય હશે ને ? ઋષિ કહે છે રાજન ? તમે આ અષાઢ સુદ પદ્મા એકાદશીનું વ્રત કરો. તે સર્વે ઉપાધીને શાંત કરનારી અને સર્વ સિધ્ધિ આપનારી છે.            આ આજ્ઞા લઈને માંધાતા રાજા પોતાના નગરમાં આવ્યા ને અષાઢ સુદ - ૧૧ આવી ત્યારે  પ્રજા સહીત વિધિ પૂર્વક વ્રત કર્યું. તેથી વૃષ્ટિ થઈ અને ખૂબ જ સારી રીતે અનાજ પાકયું. આમ ભગવાન વિષ્ણુની કૃપાથી સર્વે સુખી થયા.           આ અષાઢ સુદ એકાદશી દેવપોઢી એકાદશી પણ કહેવાય છે. આ દિવસે પ્રભુ નારાયણ શયન કરે છે. આ દિવસે જ ચાતુર્માસના નિયમો લેવાના હોય છે. આ એકાદશીએ નારાયણ ને  પોઢાડવા અને કાર્તિક સુદી પ્રબોધીની એકાદશીના દિવસે જગાડવા.            આવી રીતે બ્રહ્માંડપુરાણ અને ભવિષ્ય પુરાણમાં અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે.                   🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #એકાદશી #એકાદશી ની શુભકામના
15 shares

More like this