c.j. jadav
538 views • 7 hours ago
🍃🌼🍃🍃
બાપાશ્રીએ લખાવેલા વચનામૃત રહસ્યાર્થનો સંપૂર્ણ ઇતિહાસ ભાગ - ૦૭
વચનામૃત' ગ્રંથ એ શ્રી સ્વામિનારાયણ મહા પ્રભુજીની શ્રીમુખવાણી છે, પરમ પૂજનીય છે, એ તો શ્રીહરિ-સ્વરૂપતુલા છે. એ વાણીને બીજા કોઈની સાથે સરખાવી શકાય નહીં, એ તો સ્વત: સિદ્ધ છે. એને બીજું અવલંબન કે પ્રમાણ ન જોઈએ. એથી ‘વચનામૃત’ ગ્રંથના પ્રશ્નો અને જવાબો 'વચનામૃત'ના જ અન્ય પ્રમાણોથી ગૂંથાયા છે. એમાં અન્ય શાસ્ત્રોનો આધાર જરૂરી નથી. ખરેખર તો અન્ય શાસ્ત્રો અને તેના રચનારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી, સર્વકારણનું કારણ ને અપાર સ્વરૂપને ન પણ પામ્યા હોય, તેમના વચનનો આધાર શ્રી સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતને જેમ છે તેમ સમજવામાં શું ખપમાં આવે? આથી, વચનામૃતના પ્રશ્નો અન્ય વચનામૃતના સંબંધમાં પૂછવામાં આવ્યા છે, ને એના જવાબો પણ એ જ રીતે આપવામાં આવ્યા છે. આ મુજબ જુદાં જુદાં વચના-મૃતો સાથે વાંચીએ તો કેવા કેવા પ્રશ્નો થાય તે જુદા કાઢી લેવાતા જાય છે. જ્યારે જ્યારે બાપાશ્રીના સમાગમે જવાનું બને ત્યારે તેના જવાબો પૂછી લેવાય તે માટે ! આવી ઉમદા પ્રવૃત્તિ થતી જાય છે અને શ્રી હરિસ્વરૂપના જ્ઞાનનું સદાવ્રત અપાતું જાય છે. ‘વચનામૃત’ ગ્રંથ ઉપરની રહસ્યાર્થ ટીકાનું કામ ચાલતું હતું. સગુરુશ્રી કહેતા: “વચનામૃત એટલે શ્રીજી-મહારાજની સંમુખ બેઠેલા હરિભક્તોને શ્રીજીએ કરેલી વાતો, તેમાં સભામાં બેઠેલા હરિભક્તોની કક્ષા પ્રમાણે મહારાજે વાતો કરી છે. આથી જુદા જુદા વચનામૂનોનો પૂર્વાપર સંબંધ લેવામાં આવે ત્યારે સંપૂર્ણ સમજણ થાય. વળી, કૃષ્ણ, શ્રીકૃષ્ણ, વાસુદેવ, અશ્નર, બ્રહ્મ, પુરુષોત્તમ, પ્રત્યક્ષ,–પરોક્ષ વગેરે શબ્દો જુદા જુદા સંદર્ભમાં શ્રીજીમહારાજે વાપર્યાં છે. તેમાં કઈ જગ્યાએ એ શબ્દ કયા સંદર્ભમાં વપરાયો છે તે જો પૂર્વાપર વચનામૃતોનો સાંગોપાંગ અભ્યાસ ન હોય તો સમજાતું નથી, અને ખોટું સમજાઈ જવાનો સંભવ રહે છે. આથી બાપાશ્રીએ કૃપા કરીને દરેકે દરેક વચનામૃતને કેવી રીતે સમજવાનું છે તે જુદા જુદા વચનામૃતના પૂર્વાપર સંદર્ભ આપીને સમજાવ્યું છે. આથી કૃષ્ણ-વાસુદેવ-અક્ષર— બ્રહ્મ-ગોલોક-પુરુષોત્તમ-વગેરે શબ્દો દરેક જગ્યાએ કયા અર્થમાં વપરાયા છે તે સમજાવ્યું છે." આમ, મુક્તરાજ બાપાશ્રીના સંપૂર્ણ માર્ગદર્શન મુજબ સદ્ગુરુશ્રી 'વચનામૃત' ગ્રંથની ટીકાનું સંકલન-સંપાદન કાર્ય કરી રહ્યા હતા.
જય સ્વામિનારાયણ. #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ
14 shares